ETV Bharat / state

Navsari News : પાકોનું ઉત્પાદન વધારવાની ટિપ્સ મેળવતા ખેડૂતો, કૃષિ યુનિ.નું મહત્ત્વનું આયોજન

author img

By

Published : Mar 11, 2023, 9:40 AM IST

Navsari News : હલકા ધાન્ય પાકોનું ઉત્પાદન કરી રીતે વધારી શકાય તે હેતુથી કૃષિ મેળાનું આયોજન
Navsari News : હલકા ધાન્ય પાકોનું ઉત્પાદન કરી રીતે વધારી શકાય તે હેતુથી કૃષિ મેળાનું આયોજન

નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા ખેડૂતો માટે કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધાન્ય પાકોને પ્રોત્સાહિત કરવા અને ધાન્ય પાકો પકવતા ખેડૂતોને પ્રોત્સાહન મળી રહે એવા હેતુથી સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે કૃષિ મેળાનું આયોજન

નવસારી : હલકા ધાન્ય પાકોને પ્રોત્સાહિત કરવા ભારત અને ગુજરાત સરકાર આગામી ઇન્ટરનેશનલ મિલેટ વર્ષ તરીકેની ઉજવણી કરી રહી છે, ત્યારે હલકા ધાન્ય પાકોના નવીનતમ ટેકનોલોજી પર નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે કૃષિ મેળા સાથે પ્રદર્શનને કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ઝેડ એન પટેલ અને વસુધારા ડેરીના ચેરમેન મગન પટેલે ખુલ્લો મુક્યો હતો. આ પ્રદર્શનમાં હલકા ધાન્ય પાકો શહેરી વિસ્તાર કરતાં ગામડામાં રોજિંદા જીવનમાં વધુ ઉપયોગમાં લેવામાં આવે છે. તેથી શહેરમાં પણ હલકા ધાન્ય વિશે પૂરતી માહિતી મળી રહે અને ખેડૂતોને પણ નવી માહિતી ઉપલબ્ધ થાય એવા હેતુથી આ કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

મૂલ્યવર્ધન પર ખેડૂતોને માર્ગદર્શન : નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયેલા આ કૃષિ મેળામાં દક્ષિણ ગુજરાતના આદિવાસી બાહુલ્ય વિસ્તારના ખેડૂતો સાથે પ્રગતિશીલ ખેડૂતો અહીં ઉપસ્થિત રહ્યા હતા. દક્ષિણ ગુજરાતના ડુંગરાળ આદિવાસી વિસ્તારમાં હલકા ધાન્ય પાકોનું વાવેતર મોટા પ્રમાણમાં થાય છે. જેમાં બાજરી, જુવાર, પોદરા, નાગલી, બંટી, વળી કાન સામો અને રાજગરો મુખ્ય હોય છે. તેથી હલકા ધાન્ય પાકમાં સંશોધન પ્રક્રિયા કરણ અને મૂલ્યવર્ધન પર ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ધાન્ય પાકનું મૂલ્યવર્ધન : હલકા ધાન્ય પાકથી થતા લાભ તેમજ પાક લેવા અંગે કૃષિ તજજ્ઞોએ ખેડૂતોને ઉપયોગી માહિતી આપી હતી. તો બીજી તરફ આ કૃષિ મેળા પ્રદર્શનમાં નાગલી, રાગી, કાંગ કોદરી, બાજરો, જુવાર, સામો, મોરચો, ચેના જેવા હલકા ધાન્ય પાકો પ્રદર્શિત કરવા સાથે ધાન્ય પાકનું મૂલ્યવર્ધન કરી તેમાંથી બનતી પ્રોડક્ટ પણ વેચાણમાં મૂકવામાં આવી હતી.

આ પણ વાંચો : Damage Crop Survey : પાક સર્વે માટે રાજ્ય સરકારના આદેશ, જિલ્લા કૃષિ અધિકારીઓ આપશે અહેવાલ

ખેડૂતોએ પોતાના અનુભવ કર્યા રજૂ : આ કૃષિ મેળામાં 250થી વધુ ખેડૂતો માટે એક દિવસનો સેમિનાર યોજીને હલકાં ધાન્યના ઉત્પાદનમાં કઈ રીતે વધારો કરી શકાય. તેમજ કયા વિસ્તારમાં કયો પાક લઈ શકાય એની સંપૂર્ણ માહિતી કૃષિ તજજ્ઞો દ્વારા ખેડૂતોને આપવામાં આવી હતી. સાથે જ કૃષિ તજજ્ઞોએ બદલાતા વાતાવરણમાં ધાન્ય પાકોની કેવી રીતે માવજત કરી શકાય એનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જ્યારે અલગ અલગ તાલુકાના જિલ્લામાંથી આવેલા ખેડૂતોએ પણ પોતાના અનુભવો રજૂ કર્યા હતા.

આ પણ વાંચો : Gujarat Budget 2023 : બજેટમાં કૃષિ અને ખેડૂતો માટે 21,605 કરોડની જોગવાઈ, જૂઓ થઈ જાહેરાત

કયા વિસ્તારમાં કયો પાક લઈ શકાય : યુનિવર્સિટી કુલપતિ ઝેડ.એન. પટેલે જણાવ્યું હતું કે, આ કૃષિ મેળામાં એક દિવસનો સેમિનાર અને પ્રદર્શન યોજી ખેડૂતોને હલકા ધાન્ય પાકોમાં ઉત્પાદનમાં કઈ રીતે વધારો કરી શકાય. તેમજ કયા વિસ્તારમાં કયો પાક લઈ શકાય. તેની સંપૂર્ણ માહિતી નિષ્ણાંતો દ્વારા આપવામાં આવી હતી. તો બીજી તરફ આ પાકોમાંથી જુદી જુદી વાનગીઓ કઈ રીતે બનાવી શકાય અને આપણા આહારમાં કઈ રીતે લઈ શકાય. તે માટેની જાગૃતિ લાવવા તેમજ હલકા ધાન્યોનું આપણા સ્વાસ્થ્યમાં મહત્વ એનું પોષણનું મૂલ્ય અને આવનાર દિવસોમાં આપણે આ હલકા ધાન્યોને વધુમાં વધુ રોજિંદા જીવનમાં ઉપયોગમાં લઈએ તેની જાગૃતિ માટે આખા સેમિનાર યોજવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.