ETV Bharat / state

જલાલપોરના દીવાદાંડી-માછીવાડ ગામે છ ગાળાનું મકાન તૂટી પડ્યુ

author img

By

Published : May 19, 2021, 3:01 AM IST

જલાલપોરના દીવાદાંડી-માછીવાડ ગામે છ ગાળાનું મકાન તૂટી પડ્યુ
જલાલપોરના દીવાદાંડી-માછીવાડ ગામે છ ગાળાનું મકાન તૂટી પડ્યુ

નવસારી જિલ્લાના દરિયા કિનારા નજીકથી તૌકતે વાવાઝોડુ પસાર થયા બાદ થયા બાદ તેની અસર સામે આવી રહી છે. કાંઠાના દીવાદાંડી માછીવાડ ગામે આજે મંગળવારે વહેલી સવારે છ ગાળાના મકાનનો પહેલો માળ ધરાશાયી થયો હતો. જ્યારે મકાનની દિવાલોમાં મોટી તિરાડો પડી હતી. જોકે ઘરના સદસ્યો બે દિવસો અગાઉ જ પોતાના સંબંધીને ત્યાં ગયા હોવાથી જાનહાની ટળી હતી.

  • બે મકાનોના પતરા ઉડતા પરિવારજનોએ પડોશીને ત્યાં આશરો લીધો
  • ગામના કાચા મકાનમાં રહેતા લોકોનુ કરાયું હતું સ્થળાંતર
  • સરપંચે નુકસાનીનો સર્વે કરવાની પ્રક્રિયા હાથ ધરી

નવસારી: જિલ્લાના દરિયા કિનારા નજીકથી તૌકતે વાવાઝોડુ પાસ થયા બાદ તેની આફ્ટર ઇફેક્ટ સામે આવી રહી છે. વાવાઝોડાને કારણે દરિયા કિનારે ભારે પવન અને ધોધમાર વરસાદે જનજીવન પ્રભાવિત કર્યુ છે. જેમાં કાંઠાના દીવાદાંડી માછીવાડ ગામે આજે મંગળવારે વહેલી સવારે છ ગાળાના મકાનનો પહેલો માળ ધરાશાયી થયો હતો. જ્યારે મકાનની દિવાલોમાં મોટી તિરાડો પડી હતી. જોકે ઘરના સદસ્યો બે દિવસો અગાઉ જ પોતાના સંબંધીને ત્યાં ગયા હોવાથી જાનહાની ટળી હતી. ઘર તૂટતા ગ્રામજનો તેમજ સરપંચ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જ્યારે ગ્રામપંચાયતની સામે આવેલા બે મકાનોના પતરા ઉડી જ દરિયાતા પરિવારે પડોશીઓને ત્યાં આસરો લેવો પડ્યો હતો. જેથી ગ્રામપંચાયત દ્વારા સર્વેની કામગીરી આરંભી, નુક્શાનીનો ક્યાસ કાઢવાની તૈયારી કરી હતી.

ગામના કાચા મકાનમાં રહેતા લોકોનુ કરાયું હતું સ્થળાંતર
ગામના કાચા મકાનમાં રહેતા લોકોનુ કરાયું હતું સ્થળાંતર

આ પણ વાંચોઃ તૌકતે વાવાઝોડાએ લોકોને બેઘર કર્યા

જલાલપુર તાલુકાના 14 ગામોમાં 17 મકાનોને થયુ નુકસાન

દરિયામાં ઉઠેલા તૌકતે વાવાઝોડાને પગલે ભારે પવન સાથે વરસાદ રહેતા નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના કાંઠાના 14 ગામોમાં નુકશાની થઇ હતી. જેમાં 11 વૃક્ષો પડ્યા હતા અને પાંચ વીજળીના થાંભલા પડવા સાથે વીજ તારને નુકસાન થતાં ગામડાઓમાં વીજ પૂરવઠો અવરોધાયો હતો. જ્યારે ભારે પવનને કારણે કાચા અને પાકા મળી કુલ 17 મકાનોને નુકસાન થવાની માહિતી મળી હતી.

બે મકાનોના પતરા ઉડતા પરિવારજનોએ પડોશીને ત્યાં આશરો લીધો

આ પણ વાંચોઃ રાજ્યમાં તૌકતે વાવાઝોડાનો ખતરો ટળ્યો, 13ના મૃત્યુ, 3850 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.