ETV Bharat / state

રોકાણકારોને ઝિમ્બાબ્વેમાં રોકાણ કરવા ઝિમ્બાબ્વેના ઉદ્યોગ અને વાણિજ્ય પ્રધાન રાજ મોદીએ આપ્યું આમંત્રણ

author img

By

Published : Jan 15, 2020, 5:05 PM IST

નર્મદાઃ ઝિમ્બાબ્વે દેશ હાલ આર્થિક મુશ્કેલી વેઠી રહ્યો છે. મોંઘવારી, બેરોજગારી એ માઝા મુકી છે. ત્યારે આ આર્થિકની મુશ્કેલી દૂર થાય એ માટે ઝિમ્બાબ્વેના ઉદ્યોગ અને વાણિજ્ય પ્રધાન રાજ મોદી હાલ ગુજરાતમાં આવી ઉદ્યોગપતિઓને ઇન્વેસ્ટ કરવા આમંત્રણ આપી રહ્યા છે. તેઓ દેશની આર્થીક વ્યવસ્થાને કારણે ચિંતિત છે, પોતે ગુજરાતી હોવાથી ગુજરાતી ઇન્વેસ્ટર ત્યાં આવે તેવું ઈચ્છી રહ્યા છે.

zimbabwe Minister of Industry and Commerce in Gujarat for finding investor
રોકાણકારોને ઝિમ્બાબ્વેમાં રાકાણ કરવા ઝિમ્બાબ્વેના ઉદ્યોગ અને વાણિજ્ય પ્રધાન રાજ મોદીએ આપ્યું આમંત્રણ

રાજ મોદી એ મૂળ ગુજરાતના રાજપીપળાના છે. વર્ષો પહેલા ધંધો રોજગાર કરવા ઝિમ્બાબ્વે ગયેલા રાજ મોદી ત્યાં જ સ્થાઈ થઈ ઝિમ્બાબ્વેનું નાગરીત્વ પણ મેળવ્યું છે. તેઓ હાલ ઝિમ્બાબ્વેના ઉદ્યોગ અને વાણિજ્ય પ્રધાન છે. જેથી તેમના માથે ઇકોનોમિક ગ્રોથની મોટી જવાબદારી છે. બીજે રાકાણકારો શોધવા કરતા તેમણે પહેલા પોતાના વતનમાં આવી, પોતે ગુજરાતી હોય પહેલા ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને મળી ઇન્વેસ્ટરોને ઝિમ્બાબ્વે મોકલવા માટે આમંત્રણ આપ્યું છે.

રોકાણકારોને ઝિમ્બાબ્વેમાં રાકાણ કરવા ઝિમ્બાબ્વેના ઉદ્યોગ અને વાણિજ્ય પ્રધાન રાજ મોદીએ આપ્યું આમંત્રણ

તેમની સાથે ઝિમ્બાબ્વેના એમ્બેસેડર પણ સાથે છે. જેઓ વડા પ્રધાનને પણ મળવાના છે. તેમનું કહેવું છે કે, હું ગુજરાતી પ્રધાન ઝિમ્બાબ્વેની સરકારમાં બેઠો છું, ત્યારે ઉદ્યોગપતિઓ ત્યાં આવે, તેમની જરૂરી તમામ મદદ કરી શકું તેમ છું. ઝિમ્બાબ્વેમાં કરવામાં આવતી લીગલ કાર્યવાહી હું ઝડપથી હલ કરી શકું. ઝિમ્બાબ્વે દેશ ખુબ જ સારો અને શાંતિપ્રિય છે, એટલે ત્યાં ધંધો કરવાની પણ મઝા આવશે.

Intro:AAPROAL BAY-DESH

ઝિમ્બાબ્વે દેહ4 હાલ આર્થિક મુશ્કેલી વેઠી રહ્યો છે. મોંઘવારી, બેરોજગારી એ મઝામુકી છે. ત્યારે આ આર્થિક મુશ્કેલી દૂર થાય એ માટે ઝીમ્બાબ્વે ના ઉદ્યોગ અને વાણિજ્ય પ્રધાન રાજ મોદી હાલ ભારત અને.ગુજરાત માં આવી ઉદ્યોગ પતિઓને ઇન્વેસ્ટ કરવા આમંત્રણ આપી રહ્યા છે. દેશની આર્થીક વ્યવસ્થાને લઈને ચિંતિત હોય પોતે ગુજરાતી હોય ગુજરાતી ઇન્વેસ્ટર ત્યાં આવે તેવું ઈચ્છી રહ્યા છે..Body:રાજ મોદી એ મૂળ ગુજરાતના રાજપીપલા ના છે. વર્ષો પહેલા ધંધો રોજગાર કરવા ગયેલ રાજમોદી ઝિમ્બાબ્વે માં સ્થાઈ થઈ ત્યાનું નાગરીત્વ પણ મેળવ્યું અને હાલ તેઓ ઝિમ્બાબ્વે દેશના ઉદ્યોગ અને વાણિજ્ય પ્રધાન છે. જેથી તેમના માથે ઇકોનોમો ગ્રોથ ની મોટી જવાબદારી છે. ત્યારે બીજે શોધવા કરતા તેમણે પહેલા પોતાના વતનમાં આવી પોતે ગુજરાતી હોય પહેલા ગુજરાત ના મુખ્ય મંત્રી વિજય રૂપાણી ને મળી ઇન્વેસ્ટરો ને ઝિમ્બાબે મોકલે નું આમંત્રણ આપ્યું છે.Conclusion: તેમની સાથે ઝિમ્બાબ્વે એમ્બેસેડર પણ સાથે છે. જેઓ પી.એમ ને પણ મળવાના છે. ત્યારે તેમનું કહેવું છે.કે હું ગુજરાતી મંત્રી ઝિમ્બાબ્વે સરકાર માં બેઠો છું ત્યારે ઉદ્યોગપતિઓ ત્યાં આવે તેમની જરૂરી તમામ મદદ કરી શકું તેમ છું તો જવા પણ લીગલ મેટરો હોય હું ઝડપથી હલ કરી શકું.અને દેશ ખુબજ સારો અને શાંતિ વાળો છે.ત્યાં ધંધો કરવાની મઝા આવશે.

બાઈટ. રાજ મોદી (ઉદ્યોગ અને વાણિજ્ય પ્રધાન, ઝિમ્બાબ્વે)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.