ETV Bharat / state

નર્મદામાં રેપિડ ટેસ્ટ કીટથી કોરોના ટેસ્ટ કેટલું યોગ્ય, સામાન્ય શરદીવાળા પણ કોરોના પોઝિટિવ

author img

By

Published : Jul 17, 2020, 11:32 AM IST

નર્મદામાં પણ કોરોના વાઇરસનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે દર્દીઓને શોધી કાઢવા માટે હવે રેપિડ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યાં છે. છેલ્લા 10 દિવસમાં કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા હવે કોરોનાના દર્દીને શોધી કાઢવા માટે રેપિડ ટેસ્ટની રણનીતિ અપનાવવામાં આવી છે. નર્મદા જિલ્લામાં ગઈકાલે લગભગ 90 જેટલા રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

corona
નર્મદા

નર્મદાઃ આરોગ્ય વિભાગનો ઉત્સાહ કહો કે, વહીવટી ભૂલ પણ આ રેપિડ ટેસ્ટ ગુરૂવારે બપોરના 4 વાગ્યે કરવામાં આવ્યા હતા. તેનું પરિણામ વધારેમાં વધારે 30 મિનિટમાં આપવાનો દાવો આરોગ્ય વિભાગનો છે. પરંતુ ઉત્સાહી નર્મદા જિલ્લા આરોગ્ય તંત્રે 30 મિનિટનું આ ટેસ્ટનું પરિણામ આપવાના બદલે રાત્રે 10 વાગ્યે સોશિયલ મીડિયા દ્વારા લગભગ 12 લોકોનું લિસ્ટ બનાવી જાહેર કર્યું હતું. જેમાં એક જ વિસ્તારના લગભગ 12 લોકોનું માત્ર લિસ્ટ હતું. તેમાં કોઈ પણ જાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો કે, આ 12 કોરોના પોઝિટિવ છે કે, તેમને કોઈ કોરોનાના લક્ષણ છે.

નર્મદામાં રેપિડ ટેસ્ટ કીટથી કોરોના ટેસ્ટ કેટલું યોગ્ય

પરંતુ સોશિયલ મીડિયામાં આ લિસ્ટ ફરતું થતા રાજપીપળા વાસીઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. ત્યારે નર્મદા આરોગ્ય વિભાગે 30 મિનિટમાં જાહેર થઇ શકે તેવું લિસ્ટ રાત્રે 10 વાગે સોશિયલ મીડિયામાં જાહેર કરવાની જરૂર હતી. એ સવાલ આજે રાજપીપળામાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. તેમજ ગુરૂવારે રાત્રે 10 વાગે તમામ 12 લોકોને રાજપીપળા કોવિડ- 19 હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

જોકે, રાત્રે 1 વાગે તમામના લોહીના સેમ્પલ લઈ SSG વડોદરા ખાતે મોકલવામાં આવ્યા છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે, રેપિડ ટેસ્ટ કીટ કેટલું યોગ્ય નિદાન કરે છે કે, માત્ર આ એક પ્રજા માટે કોરોનાના દર્દના ભયમાંથી લોકોને દૂર કરવાનો આ તંત્રએ ઉપાય શોધી કાઢ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.