ETV Bharat / state

આજે સાંજે અમિત શાહ પહોંચશે વડોદરા, આવતીકાલે કેવડિયા ખાતે એકતા પરેડમાં લેશે ભાગ

author img

By

Published : Oct 30, 2021, 3:25 PM IST

આજે સાંજે અમિત શાહ પહોંચશે વડોદરા, આવતીકાલે કેવડિયા ખાતે એકતા પરેડમાં લેશે ભાગ
આજે સાંજે અમિત શાહ પહોંચશે વડોદરા, આવતીકાલે કેવડિયા ખાતે એકતા પરેડમાં લેશે ભાગ

કેવડિયા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ(Azadi Ka Amrut Mahotsav at Kevadia) ની થીમ પર આ વર્ષે 31 ઓક્ટોબરના ના રોજ એકતા પરેડ(Solidarity Parade) યોજાવાની છે. ત્યારે એકતા દિવસની ઉજવણી માટે આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિ નહીં પરંતુ ગૃહપ્રધાન અમીત શાહ(Home Minister Amit Shah) ખાસ ઉપસ્થિત રહેનાર છે.જેમની સાથે મુખ્ય પ્રધાન પણ હાજર રહેશે.ખાસ કરીને આ વખતે જે રાષ્ટ્રીય એકતા પરેડ થશે તે પણ મુખ્ય આકર્ષણ રહેશે સુરક્ષા દળોમાં મોટર સાઇકલ સવાર, સાઇકલ સવાર અશ્વ દળ પણ ભાગ લેનાર છે.

  • કેવડિયા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ
  • રાષ્ટ્રીય એકતા પરેડ થશે તે પણ મુખ્ય આકર્ષણ રહેશે
  • ગૃહપ્રધાન અમીત શાહ ખાસ ઉપસ્થિત રહેેશે

નર્મદાઃ કેવડિયા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ ની થીમ પર આ વર્ષે 31 ઓક્ટોબરના ના રોજ એકતા પરેડ યોજાવાની છે. ત્યારે એકતા દિવસની ઉજવણી માટે આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની( Prime Minister Narendra Modi)ઉપસ્થિતિ નહીં પરંતુ ગૃહપ્રધાન અમીત શાહ (Home Minister Amit Shah)ખાસ ઉપસ્થિત રહેનાર છે.જેમની સાથે મુખ્ય પ્રધાન પણ હાજર રહેશે. ત્યારે એકતા પરેડની(Solidarity Parade) તડામાર તૈયારીઓ અને રિહલસલ હાલમાં પુર જોશમાં ચાલી રહ્યું છે. આ વખતે પણ ગૃહ વિભાગ દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું છે.

રાષ્ટ્રીય એકતા પરેડ

ખાસ કરીને આ વખતે જે રાષ્ટ્રીય એકતા પરેડ(National Unity Parade)થશે તે પણ મુખ્ય આકર્ષણ રહેશે સુરક્ષા દળોમાં મોટર સાઇકલ સવાર(Motorcycle rider),સાઇકલ સવાર અશ્વ દળ પણ ભાગ લેનાર છે.જેની વાત કરીએ તો આ વખતે જે પરેડ થવાની છે. જેમાં પોલીસ પેરામિલેટ્રીફોર્સ,બીએસએફ,સીઆઇએસએફ,આઈટીબીપી,સીઆરપીએફ,એસ એસ બીના જવાનો પરેડ કરશે.

સુરક્ષા દળ પોલીસ દળના જવાનો પરેડમાં ભાગ લેશે

ઉપરાંત અલગ અલગ સુરક્ષા દળ પોલીસ દળના જવાનો મોટર સાયકલ,સાઇકલીસ્ટ પણ પરેડમાં ભાગ લેશે. આ વખતે પરેડમાં અલગ કલગ ફોર્સના 400 જવાનો પરેડમાં ભાગ લેશે તેમજ નોર્થ ઇસ્ટના કલાકારો દ્વારા સંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવશે કલ્ચર કાર્યક્રમ રજૂ કરવામાં આવનાર છે. ત્યારે ગૃહપ્રધાન અમિતશાહ આજે સાંજે દિલ્હી થી વડોદરા આવી પહોંચશે.

ગૃહપ્રધાન અમિતશાહ નો કાર્યક્રમ

વડોદરા એરપોર્ટ થી બાય રોડ આજે સાંજે 10.30 કલાકે કેવડિયા આવશે.VVIP સર્કિટ હાઉસમાં રાત્રી રોકાણ કરશે સવારે 7.55 સર્કિટ હાઉસથી.SOU ખાતે જાવા રવાના સરદાર વલ્લભભાઈ પટેલ ની વિરાટ પ્રતિમા ના ચરણ ની પૂજા કરશે.જ્યાંથી સીધા 8 કલાકે પરેડ ગ્રાઉન્ડ પર હાજર8 થી 10 પરેડ નિરીક્ષણ અને સંબોધન કરશે.કાર્યક્રમ પૂર્ણ થયા બાદ કેવડિયા સર્કિટ હાઉસ પર જશે.11.30 કલાકે સર્કિટ હાઉસ થી સીધા હેલી પેડ પર થી આણંદ જવા રવાના થશે.

આ પણ વાંચોઃ જોલી ગ્રાન્ટ એરપોર્ટ પર ગૃહપ્રધાન અમિત શાહ પહોંચ્યા,ધામીએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું

આ પણ વાંચોઃ ગુજરાત યુનિવર્સીટી સંલગ્ન ગ્રાન્ટ ઇન એડ અને સરકારી કૉલેજોમાં વર્ગ દીઠ 20 સીટમાં વધારો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.