ETV Bharat / state

314 ગામના લોકોએ કર્યો લોકસભાનો વિરોધ, ગ્રામપંચાયત નહીં તો વોટ નહીં

author img

By

Published : Mar 29, 2019, 11:19 PM IST

નર્મદા: લોકસભાની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે. ત્યારે ગ્રામપંચાયતોના સ્વતંત્ર દરજ્જા માટે લડત ઉપાડી ગામોના આગેવાનોએ સમૂહમાં મુખ્યપ્રધાનથી લઇ કલેક્ટર મામલતદાર, TDOને આવેદન પત્ર આપી ગ્રામ પંચાયત અલગ કરવાની માંગ કરી હતી, પરંતુ આ મામલે કોઇ ઉકેલ ન આવતા આગામી 23મી માર્ચે આ તમામ ગામો ચૂંટણીનો બહિષ્કાર કરે એવી તૈયારીઓ કરી દીધી છે. ભચરવાડા નવી વસાહત, હાંડી, ઉમરવા જોશી, માંડણ સહિતના ગામોમાં બેનરો લાગ્યા છે. તો ગ્રામજનો દ્વારા જાહેર દેખાવો પણ કરી રહ્યાં છે. ત્યારે વહીવટી તંત્રમાં દોડધામ મચી છે. જો કે, રાજપીપળા ખાતે આગામી 7મી એપ્રિલે આ વિરોધને લઈને બેઠક યોજાનારી છે. ત્યારે આ 314 ગામ વિરોધ કરે તો, ભરૂચ અને છોટાઉદેપુર બંને લોકસભા વિસ્તારમાં 1 લાખથી વધુ મતદારો મતદાન નહિ કરે તો જિલ્લાનું મતદાન નીચું આવે એવી શક્યતાઓ દેખાઈ રહી છે.

ચૂંટણીનો વિરોધ કરતા ગ્રામજનો

નર્મદા જિલ્લામાં આવા 314 ગામો છે, જે ગૃપ ગ્રામ પંચાયતો સાથે જોડાયેલા છે. આ તમામ ગામ અલગ ગ્રામ પંચાયતનો દરજ્જો માંગી રહ્યાં છે. ત્યારે આ માંગોને લઈને જિલ્લા વિકાસ અધિકારીએ વિકાસ કમિશ્નર પાસે માર્ગદર્શન માગ્યું છે. તો એક બીજા પર કામ છોડી રહ્યાં છે, પણ કોઈ કામ કરતું નથી. આઝાદીના 72 વર્ષ વીતી ગયા છતાં નર્મદા જિલ્લામાં કેટલીય એવી ગ્રામ પંચાયતો છે, તે વિકાસથી વંચિત છે. ઇ.સ 1961માં સરકારે પંચાયત ધારો પસાર કરી ગ્રામ પંચાયતો બનાવી હતી. ત્યાર પછી અધિકારીઓએ બંધારણ અને ખરડાના નિયમોનું ઉલ્લંઘન કરીને વહીવટી સરળતા માટે 2 કે તેથી વધુ ગામો એકત્રિત કરી ગૃપ ગ્રામ પંચાયત બનાવાઈ છે. તેમની ભૂલોને લઈને ગ્રામજનોનો વિકાસ રૂંધાયો છે.

આ બાબતે ગ્રામપંચાયતોના દરજ્જાની લડત ઉપાડતા આદિવાસી આગેવાન મહેશ વસાવાએ જણાવ્યું કે, "પંચાયત એટલે સરકારની વિકાસની સમિતિ ગ્રામપંચાયત એટલે લોકોનો મૂળભૂત અધિકાર છતાં નીતિ નિયમો નેવે મૂકીને ગૃપ ગ્રામપંચાયતો બનાવાઈ હવે આ લડત અમે ઉપાડી છે. અત્યાર સુધી રજૂઆતો કરી હવે આંદોલન કરીશું. એટલે કે, ગામેગામ હાલ વિરોધ પ્રદર્શનો કરવાનું કામ ચાલું છે. 7મી એપ્રિલના રોજ બેઠક મળશે જેમાં આગળની રણનીતિ નક્કી કરીશું ચૂંટણી બહિષ્કાર તો કરીશું જ તે નક્કી છે."

નર્મદા ના 314 ગ્રામપંચાયતો ના 1 લખાથી વધુ મતદારો ચૂંટણીનો બહિષ્કાર કરશે : ગામેગામ ચૂંટણી બહિષ્કાર ના બેનરો લાગ્યા 
મુખ્ય મંત્રીથી લઇ કલેક્ટર મામલતદાર, ટીડીઓને આવેદન પત્ર આપી ગ્રામપંચાયત અલગ કરવાની માંગ કરી હતી પણ કોઈ ઉકેલના આવ્યો 
ભચરવાડા નવી વસાહત, હાંડી, ઉમરવા જોશી,માંડણ સહિતના ગામોમાં બેનરો લાગ્યા : તંત્રમાં દોડધામ : 314 ગામોમાં વિરોધને લઈને 7મીએ બેઠક 

 લોકસભાની ચૂંટણી નું કાઉન્ટડાઉન શરૂ  થઇ ગયું છે ત્યારે ગ્રામપંચાયતો ના સ્વતંત્ર દરજ્જા માટે લડત ઉપાડી ગામોના આગેવાનોએ સમૂહમાં મુખ્ય મંત્રીથી લઇ કલેક્ટર મામલતદાર, ટીડીઓને આવેદન પત્ર આપી ગ્રામપંચાયત અલગ કરવાની માંગ કરી હતી પણ કોઈ ઉકેલના આવ્યો, જેથી આગામી 23મી માર્ચે આ તમામ ગામો ચૂંટણી નો બહિષ્કાર કરે એવી તૈયારીઓ કરી દીધી છે, ભચરવાડા નવી વસાહત, હાંડી, ઉમરવા જોશી, માંડણ સહિતના ગામોમાં બેનરો લાગ્યા  છે અને ગ્રામજનો જાહેર દેખાવો પણ કરી રહ્યા છે ત્યારે વહીવટી તંત્રમાં દોડધામ મચી છે જોકે રાજપીપલા ખાતે આગામી 7 મી એપ્રિલે આ વિરોધને લઈને  બેઠક યોજાનારી છે ત્યારે આ 314 ગામ વિરોધ કરે તો ભરૂચ અને છોટાઉદેપુર બંને લોકસભા વિસ્તારમાં 1 લાખથી વધુ મતદારો મતદાન નહિ કરે તો જિલ્લાનું મતદાન નીચું આવે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. 


નર્મદા જિલ્લામાં આવા  314 ગામો છે જે ગ્રુપ ગ્રામ પંચાયતો સાથે જોડાયેલા છે. અને તમામ ગ્રામપંચાયતનો દરજ્જો માંગી રહ્યા છે. ત્યારે આ માંગો ને લઈને જ જિલ્લા વિકાસ અધિકારીએ વિકાસ કમિશનર પાસે માર્ગદર્શન માગ્યું  છે.હવે જે કચેરી માં માંગ જાય તો ઘટતું કરવાની સમાજ આપે છે અને એક બીજાને ખો આપે છે પણ કોઈ કામ કરતુ નથી આઝાદીના 72 વર્ષ વીત્યા છતાં છતાં નર્મદા જિલ્લામાં કેટલીય એવી ગ્રામપંચાયતો છે તે વિકાસથી વાંછિત છે. 1961માં સરકારે પંચાયત ધારો પસાર કરી ગ્રામપંચાયતો બનાવી ત્યાર પછી આધિકારીઓએ બંધારણ અને ખરડાના નિયમોનું ઉલ્લંઘન કરી ને વહીવટી સરળતા માટે બે કે તેથી વધુ ગામો એકત્રિત કરી ગ્રુપ ગ્રામ પંચાયત બનાવાઈ છે. તેમની ભૂલોને લઈને આજે આ ગ્રામજનો નો વિકાસ રૂંધાયો છે. 

આ બાબતે ગ્રામપંચાયતો ના દરજ્જાની લડત ઉપાડતા આદિવાસી આગેવાન મહેશ વસાવા એ જણાવ્યું હતુંકે પંચાયત એટલે સરકારની વિકાસની સમિતિ, ગ્રામપંચાયત એટલે લોકોનો મૂળભૂત અધિકાર છતાં નીતિ નિયમો નેવે મૂકી ને ગ્રુપ ગ્રામપંચાયતો બનાવાઈ હવે આ લડત અમે ઉપાડી છે ત્યારે અત્યાર સુધી રજૂઆતો કરી હવે આંદોલન કરીશું એટલેકે ગામેગામ હાલ વિરોધ પ્રદર્શનો કરવાનું કામ ચાલુ છે અને 7 મી એપ્રિલે બેઠક મળશે જેમાં આગળની રણનીતિ નક્કી કરીશું ચૂંટણી બહિષ્કાર તો કરવાના જ છે.ની વાત કરી હતી.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.