ETV Bharat / state

Wankaner Leopard Attack : વાંકાનેરના દીઘલીયામાં દીપડાનો આતંક, ચાર ઘેટાં અને એક બકરાનું મારણ કર્યું

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 2, 2024, 5:41 PM IST

છેલ્લા કેટલાક સમયતી સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લા અને તાલુકામાં દીપડાના આંટાફેરા વધ્યા છે. ત્યારે વાંકાનેર તાલુકાના દીઘલીયા ગામમાં દીપડો ત્રાટકયો હતો. અહીં એક વાડામાં ચાર ઘેટાં અને એક બકરાનો શિકાર કરી દીપડો ફરાર થયો હતો. આ ખબર સમગ્ર પંથકમાં વાયુવેગે ફેલાઈ ગઈ છે.

Wankaner Leopard Attack
Wankaner Leopard Attack

મોરબી : વાંકાનેર પંથકમાં દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે. છાશવારે ગ્રામજનો દીપડાએ દેખા દીધી હોવાની માહિતી આપતા રહેતા હોય છે. ત્યારે ગત રાત્રીના દીઘલીયા ગામ નજીક ખેડૂતના વાડામાં દીપડો ત્રાટકયો હતો. જ્યાં વાડામાં બાંધેલ ચાર ઘેટાં અને એક બકરાનું મારણ કર્યું હતું. ફરી એકવાર દીપડાના હુમલાથી પંથકમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

ગતરાત્રીના દીપડાએ દેખા દીધી હતી અને ખેડૂતના વાડામાં બાંધેલ ચાર ઘેટાં અને એક બકરાનું મારણ કર્યાનું ધ્યાને આવ્યું છે. જેથી વન વિભાગની ટીમે પીંજરું મૂકી દીપડાને પકડવા માટેની કામગીરી શરૂ કરી છે. -- પ્રતિક નારોડીયા (RFO)

દીઘલીયામાં દીપડાનો આતંક : વાંકાનેરના દીઘડીયા ગામ નજીક રહેતા ખેડૂત ખોરજીયા નુરમહંમદ અલાઉદીનના વાડામાં ગત મધરાત્રીના સુમારે દીપડો આવી ચડ્યો હતો. દીપડાએ વાડામાં બાંધેલા ચાર ઘેટાં અને એક બકરાનું મારણ કર્યું હતું. એટલું જ નહીં વાડામાં બાંધેલા અન્ય ઘેટાં પર હુમલો કરી તેને ઈજા પહોંચાડી હતી. પંથકમાં અવારનવાર દીપડો આવી ચડતો હોવાથી ગ્રામજનો ભય હેઠળ જીવી રહ્યાં છે. કોઈપણ સમયે દીપડો આવી હુમલો કરી દેતો હોવાથી લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. તો માલધારી પરિવારોના માથે આફત વરસી રહી છે.

વાંકાનેર પંથકમાં ફફડાટ : આ બનાવ અંગે વન વિભાગના RFO પ્રતિક નારોડીયાએ જણાવ્યું હતું કે, ગતરાત્રીના દીપડાએ દેખા દીધી હતી અને ખેડૂતના વાડામાં બાંધેલ ચાર ઘેટાં અને એક બકરાનું મારણ કર્યાનું ધ્યાને આવ્યું છે. જેથી વન વિભાગની ટીમે પીંજરું મૂકી દીપડાને પકડવા માટેની કામગીરી શરૂ કરી છે.

  1. મોરબી નિખીલ હત્યાકાંડના 8 વર્ષ વીતી ગયા છતાં હત્યારો હજી પોલીસ પકડથી દૂર
  2. સંઘપ્રદેશ દીવમાં દીપડાએ મચાવ્યો આતંક, બે કલાક રહેવાસીઓના શ્વાસ અધ્ધર રહ્યા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.