ETV Bharat / state

મોરબીના પ્રજાપતિ યુવાને ચોકમાંથી શ્રીરામ ભાગવાનની મૂર્તિ બનાવી

author img

By

Published : Apr 2, 2020, 2:41 PM IST

આજે રામનવમીના પાવન અવસરે મોરબીના પ્રજાપતિ યુવાને ચોકમાંથી શ્રીરામ, હનુમાનજી, સીતાજી, લક્ષ્મણ ભાગવાનની મૂર્તિ બનાવી પોતાની કલા રજૂ કરી હતી.

મોરબીના પ્રજાપતિ યુવાને 4 સેન્ટીમીટરની મૂર્તિઓ બનાવી.
મોરબીના પ્રજાપતિ યુવાને 4 સેન્ટીમીટરની મૂર્તિઓ બનાવી.

મોરબીઃ આજે રામનવમીનો પાવન અવસરેે સૌકોઈ રામનવમીના દિવસે ઉપવાસ કરીને આ પર્વની ઉજવણી કરતા હોય છે અને હિંદુ માટે રામનવમીનું પર્વ અનેરું મહત્વ ધરાવે છે, ત્યારે મોરબીના પ્રજાપતિ યુવાને ચોક સ્ટીકમાંથી ભગવાન શ્રીરામ, સીતાજી, લક્ષ્મણ અને હનુમાનજીની મૂર્તિઓ બનાવી છે.

પ્રજાપતિ કારીગરે 4 સેન્ટીમીટરની મૂર્તિઓ બનાવી છે. પ્રજાપતિ યુવાન અગાઉ ચોક સ્ટીક અને વિવિધ કૃતિઓ બનાવી ચૂક્યો છે. એટલું જ નહિ પરંતુ, તેની કલા કારીગરી અને કૃતિઓ અનેક પ્રદર્શનમાં પણ મોરબીનું ગૌરવ વધારી ચૂકી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.