ETV Bharat / state

સાઉદી દેશોમાં એન્ટી ડમ્પિંગ ડ્યુટીમાં સંભવિત ડ્યુટી વધારાથી મોરબીના સિરામિક ઉદ્યોગને ફટકો

author img

By

Published : Feb 24, 2020, 5:59 PM IST

મોરબી સિરામિક ઉદ્યોગનું હબ છે અને મોરબીમાં ઉત્પાદન કરાતી સિરામિક ટાઈલ્સ દુનિયાના અનેક દેશોમાં નિકાસ કરાય છે. જેમાં મોરબીના સિરામિક ઉદ્યોગ માટે સૌથી મોટું માર્કેટ સાઉદી અરેબિયા અને આરબ દેશો છે. જ્યાં સિરામિક ઉદ્યોગ વર્ષે 3000 કરોડથી વધુનું એક્સપોર્ટ થાય છે જો કે, હાલમાં સાઉદી અરેબિયા દ્વારા એન્ટી ડમ્પિંગ ડ્યુટી માટે તે દેશના કોમર્સ મંત્રાલયમાં જે દરખાસ્ત કરી છે. જેમાં ભારતની ટાઈલ્સ પર 41 ટકા ડ્યુટી જયારે ચીનની ટાઈલ્સ પર 23 ટકા ડ્યુટી લગાડવા દરખાસ્ત કરાઈ છે. જે મંજુર કરાય તો મોરબીના ઉદ્યોગને મોટો ફટકો પડશે.

morbi
સાઉદી દેશોમાં એન્ટી ડમ્પિંગ ડ્યુટીમાં સંભવિત ડ્યુટી વધારાથી મોરબીના સિરામિક ઉદ્યોગને ફટકો

મોરબીઃ જિલ્લાના સિરામિક ઉદ્યોગ માટે મોટા માર્કેટ સમાન સાઉદી અરેબિયા અને આરબ દેશો જે GCC તરીકે ઓળખાય છે. તે દેશોમાં ભારત અને ચીનથી આવતી ટાઈલ્સ પ્રોડક્ટમાં એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવવા સાઉદી સરકારના મંત્રાલયમાં દરખાસ્ત કરવામાં આવી છે. જેમાં ભારતની ટાઈલ્સ પર સંભવિત 41 ટકા જયારે ચીન પર માત્ર 23 ટકા ડ્યુટી લગાડવા દરખાસ્ત કરી છે. જેને મંજુરી મળે તો મોરબીના ઉદ્યોગને ફટકો પડશે કારણ કે, મોરબીના સિરામિક ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર 3000 કરોડ કરતા વધુ છે અને 41 ટકા ડ્યુટી લાગે તો એક્સપોર્ટ બંધ થઈ જશે. જેથી 30 થી 40 હાજર લોકોની રોજગારી પર અસર પડશે. ચીન જેટલી જ 23 ટકા ડ્યુટી ભારતની ટાઈલ્સ પર લગાવાય તેવી માંગ કરી છે.

સાઉદી દેશોમાં એન્ટી ડમ્પિંગ ડ્યુટીમાં સંભવિત ડ્યુટી વધારાથી મોરબીના સિરામિક ઉદ્યોગને ફટકો
GCC દેશોમાં એન્ટી ડમ્પિંગ ડ્યુટી મામલે ઉદ્યોગપતિ જણાવે છે કે, ચીનની 23 ટકા ડ્યુટી સામે ભારતની ટાઈલ્સ પર 41 ટકા ડ્યુટી લગાવાય તો એક્સપોર્ટ બંધ કરવું પડેશે. મોરબીની એક્સપોર્ટ કરતી સિરામિક ફેક્ટરીના 25 ટકાથી લઈને 40 ટકા સુધીનું ઉત્પાદનનું તેઓ સાઉદી દેશોમાં એક્સપોર્ટ કરે છે. જેથી ફેક્ટરીઓને મોટો ફટકો પડશે એટલું જ નહિ પરંતુ સાઉદીમાં વેપાર બંધ થતા આવડું મોટું બીજું માર્કેટ નવું મેળવવું પણ મુશ્કેલ બની રહેશે કારણ કે, હાલ તો મંદીનો માહોલ છે. જેથી નવું માર્કેટ શોધવું તે લોઢાના ચણા ચાવવા સમાન બની રહેશે તેમ જણાવ્યું હતું. આમ આરબ દેશોમાં ચીન કરતા 18 ટકા વધુ ડ્યુટી જો લાગી તો મોરબીના સિરામિક ઉદ્યોગને મરણતોલ ફટકો લાગશે. તેમાં શંકાને કોઈ સ્થાન નથી 300 કરોડનું વાર્ષિક ટર્નઓવર બંધ થશે. એટલું જ નહિ પરંતુ હાલ ઉદ્યોગપતિ અસમંજસની સ્થિતિમાં નવા ઓર્ડર પણ લઇ સકતા નથી તો ઉત્પાદન અંગે પણ દ્વિઘામાં મુકાયા છે. જેથી સરકાર મધ્યસ્થી કરીને યોગ્ય કરે તેવી માંગ મોરબીના સિરામિક એસોસિએશન અને ઉદ્યોગપતિઓ કરી રહ્યા છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.