ETV Bharat / state

મોરબીના ઝૂલતા પુલ અંગે ઓરેવા ટ્રસ્ટ દ્વારા કલેક્ટરને ફરી એક વખત રજૂઆત

author img

By

Published : Jan 25, 2020, 7:08 PM IST

ETV BHARAT
મોરબીના ઝૂલતા પુલ અંગે ટ્રસ્ટ દ્વારા કલેક્ટરને ફરી એક વખત રજૂઆત

2001માં ભૂકંપ સમયે મોરબીના ઝૂલતા પુલને નુકસાન થયું હતું. જેથી તેની જાણવણી અને સાર-સંભાળ માટે ઓરેવા ગૃપને એગ્રીમેન્ટના આધારે પુલ સોંપવામાં આવ્યો હતો. જે એગ્રીમેન્ટ 26 જાન્યુઆરીના રોજ પૂર્ણ થવાનો છે અને ઓરેવા ગૃપ હવે કલેક્ટરને પુલ પરત સોંપવા માટે રજૂઆત કરે છે, પરંતુ કલેક્ટર તરફથી કોઈ જવાબ મળતો નથી.

મોરબી: ઓરેવા ટ્રસ્ટે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે, ટ્રસ્ટ દ્વારા 10 જાન્યુઆરીના રોજ પત્ર લખીને જણાવવામાં આવ્યું છે કે, વર્ષ 2001માં ભૂકંપ સમયે મોરબીના ઝૂલતા પુલને નુકસાન થયું હતું. તે સમયે સરકાર દ્વારા અને રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા ડેમેજ થયેલા ઐતિહાસિક વારસાને રીપેરીંગ, જાળવણી અને મેન્ટેનન્સ માટે જણાવેલા આ ઝૂલતો પુલ અને વાઘમહેલ (મણીમંદિર)ને સરકાર તરફથી પ્રાઇવેટ ટ્રસ્ટ અથવા કંપનીને એગ્રીમેન્ટ દ્વારા સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેથી પ્રાઈવેટ કંપની તેનું મેન્ટેનન્સ, સિક્યોરીટી અને લોક ઉપયોગ માટે વારસાને જાળવી રાખે. આ અંતર્ગત મોરબીને મહારાણી સાહેબા અને ઓરેવાને ઝૂલતો પુલ સોપવાનું સરકાર અને જિલ્લા કલેક્ટર રાજકોટ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું.

મોરબીના ઝૂલતા પુલ અંગે ટ્રસ્ટ દ્વારા કલેક્ટરને ફરી એક વખત રજૂઆત

જિલ્લા કલેક્ટર રાજકોટ તરફથી તે સમય દરમિયાન અન્ય ઐતિહાસિક ઈમારતો, સ્મારકો PPPના ધોરણે નક્કી કરીને રાજકોટ જિલ્લામાં આવેલા વિવિધ વ્યક્તિઓને સોપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીના ઝૂલતા પુલને ઓરેવા ગ્રુપને સોંપવા અંગે ગાંધીનગરથી કલેક્ટરને કહેવામાં આવ્યું હતું.

ઓરેવા ગૃપ ઝૂલતો પુલ સરકારને પરત સોંપવા માટે છાસવારે રજૂઆત કરે છે, પરંતુ સરકાર તરફથી કોઈ જવાબ મળી રહ્યો નથી. ઓરેવા ગૃપનું કહેવું છે કે, મેઈન્ટેનન્સ તેમને પરવળતું નથી અને સરકાર દ્વારા આપવામાં આવેલો 1 વર્ષનો કોન્ટ્રેક્ટ પણ 26 જાન્યૂઆરીએ પૂર્ણ થાય છે. જેથી હવે તે સરકારને પરત પુલ સોંપવા માટે રજૂઆત કરે છે.

Intro:gj_mrb_02_julta_pull_rajuat_visual_avb_gj10004
gj_mrb_02_julta_pull_rajuat_bite_avb_gj10004
gj_mrb_02_julta_pull_rajuat_photo_avb_gj10004
gj_mrb_02_julta_pull_rajuat_script_avb_gj10004

gj_mrb_02_julta_pull_rajuat_avb_gj10004
Body:મોરબીના ઝુલતાપુલ મામલે ટ્રસ્ટ દ્વારા કલેકટરને ફરી એક વખત રજૂઆત કરવામાં આવી
         મોરબીના ઓરેવા ટ્રસ્ટે જીલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે ટ્રસ્ટ દ્વારા તા. ૧૦ ના રોજ લેટર લખીને જણાવ્યું છે કે વર્ષ ૨૦૦૧ માં ભૂકંપ સમયે મોરબીના ઝુલતાપુલને નુકશાન થયું હતું ત્યારે સરકાર દ્વારા અને રાજકોટ જીલ્લા કલેકટરે ડેમેઝ થયેલ એતિહાસિક વારસાને રીપેરીંગ, જાળવણી અને મેન્ટેનન્સ માટે જણાવેલ આ ઝૂલતો પુલ અને વાઘમહેલ (મણીમંદિર) સરકાર તરફથી પ્રાઇવેટ ટ્રસ્ટ અથવા કંપનીને એગ્રીમેન્ટ દ્વારા ઓપરેશન, મેન્ટેનન્સ,સિક્યોરીટી અને લોક ઉપયોગ માટે વારસાને જાળવવા માટે સોપવામાં આવે અને મહારાણી સાહેબા મોરબીને અને ઓરેવાને ઝુલતા પુલ સોપવાનું સરકાર અને જીલ્લા કલેકટર રાજકોટ નક્કી કરવામાં આવેલ હતું.જીલ્લા કલેકટર રાજકોટ તરફથી તે સમય દરમિયાન અન્ય એતિહાસિક ઈમારતો, સ્મારકો પીપીપીના ધોરણે નક્કી કરી રાજકોટ જીલ્લામાં આવેલ અલગ અલગ વ્યક્તિઓને સોપવાનું નક્કી કરેલ જેમાં મોરબીના ઝુલતા પુલને ઓરેવા ગ્રુપને સોંપવો એવું ગાંધીનગર ખાતેથી જીલ્લા કલેકટરને કહેવામાં આવેલ હતું ૨૦૦૮ માં ઓરેવા ગ્રુપ તરફથી અંદાજે ૧ કરોડ રૂ જેવો ખર્ચ કરીને ઝુલતા પુલ ફરી લોકોના ઉપયોગ માટે ચાલુ કરવામાં આવ્યો હતો ઓરેવા ગ્રુપને આ ઝુલતાપુલ જીલ્લા કલેકટર તરફથી આપવામાં આવેલ અને જયારે સોપવામાં આવેલ ત્યારે કાયમી ધોરણે તેની માલિકી સરકારની હતી નહિ કે મોરબી નગરપાલિકાની અને એટલા માટે જ અમો ફક્ત ને ફક્ત જીલ્લા કલેકટરને હમેશા રજૂઆત કરીએ છીએ અને તેની કોપી મોરબી નગરપાલિકાને આપવામાં આવે છે ફક્ત જાણ માટે તેવું પણ જણાવ્યું છે અને ટ્રસ્ટે વારંવાર રજૂઆત કરેલ છે હવે કોઈપણ નિર્ણય લેવાનો સમય આવી ગયો છે જેથી યોગ્ય નિર્ણય તાત્કાલિક લેવા પણ જણાવ્યું છે અને આવતીકાલે ૨૬ મી તારીખે છે તો પુલ બધ થશે કે ચાલુ રહશે તે જોવાનું રહ્યું

બાઈટ : જયસુખભાઈ પટેલ, અંજતા-ઓરેવા ગ્રુપના એમ.ડી.
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.