મોરબીઃ મોરબીના મચ્છુ 2 ડેમના દરવાજા ભારે વરસાદને પગલે ખોલવામાં આવ્યાં છે. જેથી મોરબીના વનાળીયા ગામમાં ખેડૂતોની મોટર, કેબલ વાયરો પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયાં છે. એટલું જ નહી, પણ ગામમાં નદીની પાજ પણ તૂટી ગઈ છે જેથી ખેડૂતોને સિંચાઈ માટેનો જે એકમાત્ર વિકલ્પ હતો તે છીનવાઈ જતાં ખેડૂતોને ચોમાસું પાક નિષ્ફળ ગયો છે. સાથે જ શિયાળુ પાકમાં પણ સિંચાઈની સુવિધા નહીં મળે તેથી શિયાળુ પાક પણ નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે.
મોરબીઃ મચ્છુ નદીના પાણીએ વનાળીયા ગામે તારાજી સર્જી
મોરબીઃ મોરબીના મચ્છુ 2 ડેમના દરવાજા ભારે વરસાદને પગલે ખોલવામાં આવ્યાં છે. જેથી મોરબીના વનાળીયા ગામમાં ખેડૂતોની મોટર, કેબલ વાયરો પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયાં છે. એટલું જ નહી, પણ ગામમાં નદીની પાજ પણ તૂટી ગઈ છે જેથી ખેડૂતોને સિંચાઈ માટેનો જે એકમાત્ર વિકલ્પ હતો તે છીનવાઈ જતાં ખેડૂતોને ચોમાસું પાક નિષ્ફળ ગયો છે. સાથે જ શિયાળુ પાકમાં પણ સિંચાઈની સુવિધા નહીં મળે તેથી શિયાળુ પાક પણ નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે.