ETV Bharat / state

મોરબીમાં બે અલગ-અલગ કેસમાં પરિણીતાઓ ગુમ થયા હોવાની નોંધાઈ ફરિયાદ

author img

By

Published : May 25, 2019, 3:43 PM IST

મોરબીઃ જિલ્લાના કેનાલ રોડ પર રહેતી પરિણીતા કોઈને કહ્યા વગર ઘરેથી જતી રહી છે અને પરિણીતા તેના પ્રેમી સાથે નાસી ગઈ હોવાની પતિ દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જ્યારે અન્ય એક કેસમાં વાંકાનેરની પરિણીતા બજારમાં જવાનું કહીને ગયા બાદ ગુમ થઇ છે.

વાંકાનેર પોલીસ સ્ટેશન

મોરબીના કેનાલ રોડ પરના રહેવાસી હિરેનભાઈ દિનેશભાઈ ચારોલાએ પોલીસને જાણ કરી કે, તેમની પત્ની ધરતીબેન ગત તા. ૦૬-૦૫ ના રોજ સવારે ઘરેથી કોઈને કહ્યા વગર ચાલી ગયા છે અને 10 દિવસથી હર્ષ નામના વ્યક્તિ સાથે ફોનમાં વાત કરતા હતા. જેથી તેના પત્ની સાથે હર્ષ સાથે પ્રેમસંબંધ હોવાનું મનાઈ રહ્યું છે અને પતિએ આક્ષેપ લગાવ્યો છે કે, પ્રેમસબંધના કારણે હર્ષ સાથે જતી રહી છે. A-ડીવીઝન પોલીસે પરિણીતા ગુમ થયાની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.

મળતી માહિતી મુજબ, અન્ય એક કિસ્સામાં વાંકાનેરના આંબેડકરનગરના રહેવાસી ભવાનભાઈ રૂપાભાઇ સોલંકીએ વાંકાનેર સીટી પોલીસમાં તેની પત્ની ગુમ થયાની ફરિયાદ કરી છે. જેમાં જણાવ્યું છે કે, ગત તા. ૨૨ના રોજ સાંજે 5 વાગ્યે તેની પત્ની ગીતાબેન સોલંકી ઘરેથી બજારમાં જવાનું કહીને જતી રહી છે અને બાદમાં તેનો કોઈ પત્તો લાગ્યો નથી. પોલીસે પરિણીતા ગુમ થયાના બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

R_GJ_MRB_01_25MAY_MORBI_WAKANER_PARINITA_GUM_FILE_PHOTO_AV_RAVI

R_GJ_MRB_01_25MAY_MORBI_WAKANER_PARINITA_GUM_SCRIPT_AV_RAVI

મોરબી અને વાંકાનેરમાંથી પરિણીતા ગુમ, પોલીસે તપાસ ચલાવી  

        મોરબીના કેનાલ રોડ પર રહેતી પટેલ પરિણીતા કોઈને કહ્યા વગર ઘરેથી જતી રહી છે અને પરિણીતા તેના પ્રેમી સાથે નાસી ગઈ હોય તેવી પતિએ પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે વધુ તપાસ ચલાવી છે જયારે વાંકાનેરની પરિણીતા બજારમાં જવાનું કહીને ગયા બાદ ગુમ થઇ છે  

        મોરબીના કેનાલ રોડ પરના રહેવાસી હિરેનભાઈ દિનેશભાઈ ચારોલાએ ઓપ્લીસને જાણ કરી છે કે તેની પત્ની ધરતીબેન પટેલ (ઉ.વ.૨૦) ગત તા. ૦૬-૦૫ ના રોજ સવારે ઘરેથી કોઈને કહ્યા વગર ચાલી ગઈ છે અને ગુમ થનાર દસેક દિવસથી હર્ષ નામના વ્યક્તિ સાથે ફોનમાં વાત કરતા હોય જેથી ગુમ થનારને હર્ષ સાથે પ્રેમસંબંધ હોય જેથી તેની સાથે જતી રહેલ હોવાનું જણાવ્યું છે એ ડીવીઝન પોલીસે પરિણીતા ગુમ થયાની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

        અન્ય બનાવમાં વાંકાનેરના આંબેડકરનગરના રહેવાસી ભવાનભાઈ રૂપાભાઇ સોલંકીએ વાંકાનેર સીટી પોલીસમાં તેની પત્ની ગુમ થયાની ફરિયાદ કરી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૨૨ ના રોજ સાંજે પાંચેક વાગ્યે તેની પત્ની ગીતાબેન સોલંકી ઘરેથી બજારમાં જવાનું કહીને જતી રહી છે અને બાદમાં તેનો કોઈ પત્તો લાગ્યો નથી પોલીસે પરિણીતા ગુમ થયાના બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે   

 

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩ 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.