ETV Bharat / state

શિક્ષા અભિયાન અંતર્ગત 6થી 14 વર્ષના શાળા બહારના બાળકોને અપાશે શિક્ષણ

author img

By

Published : Jul 6, 2019, 12:57 PM IST

મોરબીઃ જિલ્લામાં શિક્ષા અભિયાન અંતર્ગત 6થી 14 વર્ષનાં શાળા બહારના બાળકોને શિક્ષણ આપવાની કવાયત હાથ ધરવામાં આવી છે. આ શૈક્ષણિક કાર્યમાં જોડાવા ઈચ્છુક ગ્રેજ્યુટ યુવાનોને શિક્ષણની સેવા આપવાનો અનુરોઘ કરવામાં આવ્યો હતો.

મોરબી જિલ્લામાં 6 થી 14 વર્ષના શાળા બહારના બાળકોને શિક્ષણ આપવા કવાયત

સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત 6થી 14 વર્ષના શાળા બહારના બાળકોને શિક્ષણ મળી રહે તે માટે STP વર્ગ શરૂ કરવમાં આવે છે. જેમાં મોરબીમાં 290, માળીયામાં 85, હળવદમાં 45, ટંકારામાં 20 અને વાંકાનેરમાં 405 જેટલા શાળા બહારના બાળકો સર્વેમાં મળી આવ્યા હતા. જેમાંથી 235 બાળકો STP વર્ગમાં સમાવેશ કરવામાં આવ્યો છે. બાકીના બાળકો માટે STP વર્ગ શરૂ કરવાના છે. જે માટે આજુ-બાજુનાં વિસ્તારનાં ગ્રેજયુટ વ્યકિતઓ શિક્ષણ કાર્ય કરવા માંગતા હોય તો દરેક તાલુકાના BRC ભવન અથવા જિલ્લા પ્રોજેકટ કચેરી મોરબીના ટોલ નંબર 1800-233-3967 ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે. જેમાં બાળમિત્રને માસિક મહેનતાણું રૂપિયા 8000 મળવાપાત્ર થશે.

RTI ACTના અમલીકરણના ભાગરૂપે એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે સીરામીકના કારખાના વિસ્તાર, સ્લમ એરિયા, ઝુંપડપટી વિસ્તાર, છુટા છવાયા કે અંતરીયાળ વિસ્તાર,અગરીયા વિસ્તાર, વાંઢ વિસ્તારના 6થી 14 વર્ષના દિવ્યાંગ સહિત શાળા બહારના તમામ બાળકોને સરકારી પ્રાથમિક શાળામાં નામાંકન કરવા જિલ્લા પ્રોજેક્ટ કો.ઓર્ડીનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર એસ.પારેખ દ્વારા આચાર્યોને અપીલ કરવામાં આવી હતી. મોરબી જિલ્લ્લામાં ઘરથી શાળાનું અંતર દુર હોય તેવા બાળકો માટે ટ્રાન્સપોર્ટેશન સુવિધા શરૂ કરવામાં આવી છે.

મોરબી જિલ્લામાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ધોરણ 1થી 5માં 1.5 કિ.મી. અને ધોરણ 6થી 8માં 3.5 કિ.મી. કે તેથી વધારે અંતરથી દુર આવતા સરકારી પ્રાથમિક શાળાના બાળકો માટે ટ્રાન્સપોર્ટેશન સુવિધા શરૂ કરવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લામાં હાલ 974 બાળકો લાભ લઇ રહ્યા છે. આ યોજનાનું સમગ્ર સંચાલન SMC દ્વારા કરવામાં આવે છે. આ યોજનાથી બાળકોની હાજરીમાં નિયમિતતા આવી છે અને શાળામાં નામાંકન વધવાથી ડ્રોપઆઉટ રેટ પણ ઘટી રહ્યો છે. આ યોજના સરકારી શાળાના બાળકો માટે આશિર્વાદ રૂપ સાબિત થઇ છે. તેવુ જિલ્લા પ્રોજેક્ટ કો.ઓર્ડીનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર એસ.પારેખએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.

Intro:R_GJ_MRB_04_06JUL_MORBI_SCHOOL_CHILDREN_FILE_PHOTO_RAVI

R_GJ_MRB_04_06JUL_MORBI_SCHOOL_CHILDREN_SCRIPT_RAVI

Body:મોરબી જીલ્લામાં ૬ થી ૧૪ વર્ષના શાળા બહારના બાળકોને શિક્ષણ આપવા કવાયત

મોરબી જિલ્લામાં ૬ થી ૧૪ વર્ષનાં શાળા બહારનાં બાળકોને શિક્ષણ આપવાની કવાયત શરૂ શૈક્ષણિક કાર્યમાં જોડાવા ઈચ્છુક ગ્રેજયેએટ યુવાનોને શિક્ષણની સેવા આપવાનો અનુરોઘ કરવામાં આવે છે.

સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ૯ થી ૧૪ વર્ષના શાળા બહારના બાળકોને શિક્ષણ મળી રહે તે માટે એસટીપી વર્ગ શરૂ કરવમાં આવે છે.જેમાં મોરબી-૨૯૦, માળીયા-૮૫,હળવદ-૪૫,ટંકારા-૨૦, અને વાંકાનેર-૪૦૫ જેટલા શાળા બહારના બાળકો સર્વેમાં મળી આવેલ છે. જેમાંથી ૨૩૫ બાળકો એસટીપી વર્ગમાં સમાવેશ કરવામાં આવેલ છે. બાકીના બાળકો માટે એસટીપી વર્ગ શરૂ કરવાના છે. જે માટે આજુ-બાજુનાં વિસ્તારનાં ગ્રેજયુએટ વ્યકિતઓ શિક્ષણ કાર્ય કરવા માંગતા હોય તો દરેક તાલુકાના બી.આર.સી. ભવન અથવા જિલ્લા પ્રોજેકટ કચેરી મોરબીના ટોલ નંબર ૧૮૦૦-૨૩૩-૩૯૬૭ ઉપર સંપર્ક કરવો.જેમાં બાળમિત્રને માસિક મહેનતાણું રૂ.૮૦૦૦- મળવાપાત્ર થશે.

આરટીઈ એકટનાં અમલીકરણનાં ભાગરૂપે એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહી તે માટે સીરામીકનાં કારખાના વિસ્તાર,સ્લમ એરિયા,ઝુંપડપટી વિસ્તાર,છુટા છવાયા કે અંતરીયાળ વિસ્તાર,અગરીયા વિસ્તાર,વાંઢ વિસ્તારનાં ૬ થી ૧૪ વર્ષનાં દિવ્યાંગ સહિત શાળા બહારનાં તમામ બાળકોનું સરકારી પ્રાથમિક શાળામાં નામાંકન કરવા જિલ્લા પ્રોજેક્ટ કો.ઓર્ડીનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મયુર એસ.પારેખ દ્વારા આચાર્યશ્રીઓને અપીલ કરવામાં આવે છે. મોરબી જીલ્લ્લામાં ઘરથી શાળાનું અંતર દુર હોય તેવા બાળકો માટે ટ્રાન્સપોર્ટેશન સુવિધા શરૂ કરવામાં આવી.

મોરબી જીલ્લામાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ધોરણ ૧ થી ૫ માં ૧.૫ કી.મી. અને ધોરણ ૬ થી ૮ માં ૩.૫ કી.મી. કે તેથી વધારે અંતરથી દુર આવતા સરકારી પ્રાથમિક શાળાના બાળકો માટે ટ્રાન્સપોર્ટેશન સુવિધા શરૂ કરવામાં આવેલ છે. જેમાં મોરબી જીલ્લામાં હાલ ૯૭૪ બાળકો લાભ લઇ રહ્યા છે. આ યોજનાનું સમગ્ર સંચાલન એસએમસી દ્વારા કરવામાં આવે છે. આ યોજનાથી બાળકોની હાજરીમાં નિયમિતતા આવી છે. અને શાળામાં નામાંકન વધવાથી ડ્રોપઆઉટ રેટ પણ ઘટી રહ્યો છે. આ યોજના સરકારી શાળાનાં બાળકો માટે આશિર્વાદ રૂપ સાબિત થઇ છે. એમ જિલ્લા પ્રોજેક્ટ કો.ઓર્ડીનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર એસ.પારેખએ અખબાર યાદીમાં જણાવેલ છે.

Conclusion:રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.