ETV Bharat / state

CM Bhupendra Patel at Bahucharaji : 'પ્રહલાદજી શેઠ'ના જીવનચરિત્રના પુસ્તકનું વિમોચન, PM મોદી પણ ઓનલાઈન જોડાયા

author img

By

Published : Apr 5, 2022, 10:50 AM IST

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે બહુચરાજી ગ્રામ પંચાયતના ગ્રામહાટમાં (CM Bhupendra Patel Visit Bahucharaji) કારીગરોની બનાવેલી ચીજ-વસ્તુઓ નિહાળીને પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ પ્રહલાદજી શેઠના જીવન ચરિત્ર પુસ્તકનું (Prahladji Seth's Biography Book) વિમોચન પણ કરવામાં આવ્યું હતું.

CM Bhupendra Patel at Bahucharaji : 'પ્રહલાદજી શેઠ'ના જીવનચરિત્રના પુસ્તકનું વિમોચન, PM મોદી પણ ઓનલાઈન જોડાયા
CM Bhupendra Patel at Bahucharaji : 'પ્રહલાદજી શેઠ'ના જીવનચરિત્રના પુસ્તકનું વિમોચન, PM મોદી પણ ઓનલાઈન જોડાયા

મહેસાણા : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે બહુચરાજી ગ્રામ પંચાયતના ગ્રામહાટની (CM Bhupendra Patel visits Gramhat) મુલાકાત લીધી હતી. જ્યાં ગ્રામીણ કારીગરોની બનાવેલી ચીજ-વસ્તુઓ નિહાળીને આ કારીગરોને પ્રોત્સાહિત કર્યા હતા. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, પ્રહલાદજી પટેલનું જીવન એટલે સ્વાતંત્ર્યતાની લડત, ભૂ-દાન ચળવળ અને સમાજસેવાની ત્રિવેણી ધારામાં વહેલું જીવન હતુ. દેશની આઝાદી માટેની વીરતાથી લડત લડનારા પ્રહલાદજી શેઠના કાર્યને ઉજાગર કરવાથી આપણા ગુજરાતનું ગૌરવ વધશે.

પ્રહલાદજી શેઠના જીવન ચરિત્રના પુસ્તકનું વિમોચન - બહુચરાજીની ભૂમિ પર બહુમુખી પ્રતિભા ધરાવતા શેઠ પ્રહલાદજી જીવી ગયા તેનાથી બહુ ઓછા લોકો વાકેફ છે. પ્રહલાદજી પટેલનું જીવન એટલે સ્વાતંત્ર્યતાની લડત, ભૂ-દાન ચળવળ અને સમાજસેવાની ત્રિવેણી ધારામાં વહેલું જીવન. તેવું આજરોજ બહુચરાજી ખાતે યોજાયેલ પ્રહલાદજી શેઠના જીવન ચરિત્રના પુસ્તકનું (CM Bhupendra Patel Released Book) વિમોચન કરતા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.

"અનેક ગુણોનો ભંડાર છે પ્રહલાદજી" - મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આ પુસ્તકના માધ્યમથી તમે સૌએ મોટી સેવા કરી છે. પ્રહલાદજી શેઠ એટલે માનવતાનું અજવાળું, નિખાલસતા, નીડરતા, સાદગી, પ્રામાણિકતા, પરિશ્રમ જેવા અનેક ગુણોનો ભંડાર એમ કહી શકાય. તેમનું વ્યક્તિત્વ અને કૃતત્વ જન-જન સુધી આ પુસ્તકથી પહોંચશે તેવો મને વિશ્વાસ છે. પ્રહલાદજી શેઠની જુનવાણી લાટીનું નવનિર્માણ કરી ‘શેઠ પ્રહલાદ બજાર’ નામ અપાયું છે. આ નવી બજાર પ્રહલાદજી શેઠની સ્મૃતિઓને ચિરકાલીન બનાવશે.

ગુજરાતમાં આ આંદોલન ભૂમિકા ભજવી - મુખ્યપ્રધાન વધુમાં કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં આપણે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ. ત્યારે પ્રહલાદ શેઠ જેવા નામી અનામી ક્રાંતિવીરોના ત્યાગ-બલિદાન અને તપસ્યાને યાદ કરવાનો, તેમાંથી પ્રેરણા લેવાનો આ ઉત્સવ છે. આઝાદીના અમૃત મહોત્સવ વર્ષે પ્રહલાદજી શેઠના જીવન પરનું આ પુસ્તક આવનારી પેઢીઓ માટે પ્રેરણા પુંજ બની રહેશે. પ્રહલાદજી શેઠનું ભૂદાન યજ્ઞમાં પણ મોટું પ્રદાન હતું. પોતાની 200 વીઘા જમીન ભૂદાનમાં આપવા ઉપરાંત તેમણે ઉત્તર ગુજરાતમાં આ આંદોલનને સફળ બનાવવમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

CM ભૂપેન્દ્ર પટેલે કારીગરોની બનાવેલી ચીજ-વસ્તુઓ નિહાળીને પ્રોત્સાહિત કર્યા
CM ભૂપેન્દ્ર પટેલે કારીગરોની બનાવેલી ચીજ-વસ્તુઓ નિહાળીને પ્રોત્સાહિત કર્યા

સરદાર પટેલને સહયોગ આપ્યો - દેશના ભૌગોલિક એકીકરણ માટે સરદાર પટેલને જરૂરી સહયોગ પણ આપ્યો હતો. પ્રજાના પ્રતિનિધિ તરીકેનું જાહેરજીવન, સમાજ સુધારણા, અસામાજિક તત્વો સામેની મક્કમ લડત, શિક્ષણનો પ્રચાર, દલિતોનો ઉદ્ધાર, ગ્રામોત્થાન એમ વિવિધ ક્ષેત્રે તેમણે ઐતિહાસિક કામગીરી કરી હતી.

આ પણ વાંચો : દલિત સમાજના ઘરે ભોજન લઈ ફોટો પડાવવાની જગ્યાએ તેમને તમારા ઘરે બોલાવો : પાટીલ

આઝાદી માટે જુલમો સહન કર્યા - મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, દેશની આઝાદી માટેની વીરતાથી લડત લડનારા પ્રહલાદજી શેઠેના કાર્યને ઉજાગર કરવાથી આપણા ગુજરાતનું ગૌરવ વધશે. આઝાદીની લડત દરમિયાન બે વખત તેમણે સાબરમતી અને યેરવડામાં જેલ વાસ ભોગવ્યો હતો. તેમના પિતાજીનું અવસાન થયું ત્યારે સ્વર્ગસ્થ પિતાજીની અંતિમક્રિયા પિતરાઇ પાસે કરાવી પણ માફી પત્ર લખી જામીન પર છુટવાનું તેમણે સ્વીકાર્યું નહીં. આ તેમની સરફરોશી તમન્ના હતી. પ્રહલાદજી શેઠ બીજા અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓને આશરો આપી અંગ્રેજો સામેની ઢાલ બન્યા હતા. આઝાદીની લડતમાં તેમણે ખૂબ જુલમો સહન કર્યા હતા. પીઠમાં પડેલા ચાઠાંને પ્રહલાદજી શેઠે અંગ્રેજોએ આપેલા સુવર્ણચંદ્રક ગણાવ્યા હતા.

એ સમયમાં પ્રાકૃતિક ખેતી - મુખ્યપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, પ્રહલાદજી શેઠે એ જમાનામાં પોતાની જમીનમાં પ્રાકૃતિક ખેતીનો સફળ પ્રયોગ કર્યો હતો. તેઓ પોતે પ્રાકૃતિક ખેતીના હિમાયતી હતા. રાસાયણિક ખાતર અને કેમિકલ-દવાઓના છંટકાવથી પાકેલા અનાજ-શાકભાજી જમીન અને માનવી બેયના આરોગ્યને બગાડે છે. લોકો નાની ઉંમરે હૃદયરોગ, ડાયાબિટીસ અને કેન્સર જેવા રોગોનો શિકાર બની જાય છે. આ માટે પ્રાકૃતિક ખેતી જ ઉપાય છે. એ વાત તેમણે એ સમયે સમજી આગવી કોઠાસૂઝ દર્શાવી હતી.

વડાપ્રધાને સ્મૃતિ તાજી કરી - આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રહલાદ પટેલને જન્મ જયંતીએ શ્રદ્ધાંજલિ આપી જણાવ્યું હતું કે, દેશ હિત માટે પોતાના પરિવાર હિતને પણ ગૌણ ગાળનારા પ્રહલાદભાઈ સ્વાતંત્ર્ય સંગ્રામની એક ઉત્કૃષ્ટ મિસાલ છે. આઝાદી પછી સરદાર સાહેબના માર્ગદર્શન હેઠળ પહેલાદભાઈ એ આ વિસ્તારના ત્રણ રજવાડાના વિલીનીકરણમા ભજવેલી ભૂમિકા ખૂબ જ મહત્ત્વની છે. બહુચરાજી પંથકમાં સખાવત તરીકે તેમણે (Prahlaji Seth's Biography Book) આપેલા યોગદાનની સ્મૃતિ તાજી કરી હતી.

પ્રહલાદ શેઠેનું યોગદાન - પૂર્વ ગૃહપ્રધાન રજની પટેલે જણાવ્યું હતું કે, આઝાદીની લડતના સમય દરમિયાન કોઈ અહિંસા અને હિંસાના માર્ગ પર આગળ વધી દેશની આઝાદી માટે લડતા હતા. તે સમય દરમિયાન પ્રહલાદ શેઠે આઝાદીની લડતમાં ઝંપલાવ્યું હતું. તેમજ આ વિસ્તારના વિકાસ અને શિક્ષણ કાર્યમાં પણ યોગદાન મહત્વનું રહ્યું છે. ઝીલીયા ગાંધી આશ્રમના પદ્મ માલજી દેસાઈએ જણાવ્યું હતું કે, મને શેઠ સાથે દસ વર્ષ કામ કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે. ઝીલિયામાં ગાંધી આશ્રમ સ્થાપવામાં તેમનું પાયામાં યોગદાન રહ્યું છે. રાધનપુરથી જુનાગઢ સુધીના અનેક નાના નાના રજવાડાઓને અખંડ ભારતમાં જોડવાના કાર્યમાં પણ મહત્વનું યોગદાન આપ્યું છે.

આ પણ વાંચો : મોરબીના રામધન આશ્રમ ખાતે યોજાયો સ્વ. કવિ જુગતરામ વ્યાસ રચિત ‘જુગત કાવ્ય ઝરણી’ પુસ્તક વિમોચન કાર્યક્રમ

પુસ્તકથી આઝાદીની કિંમત - મહેસાણા સાંસદ શારદા પટેલે જણાવ્યું હતું કે, પ્રહલાદભાઈ શેઠના જીવન ચરિત્ર પર લખાયેલા પુસ્તક થકી નવી પેઢી આઝાદીની લડતની વાસ્તવિકતાથી વાકેફ થશે. આઝાદીની કિંમત સમજશે. પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, બહુચરાજી પંથકના શેઠના વિકાસ કાર્યને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આગળ ધમપાવી રહ્યા છે. તેમજ આગામી સમયમાં બહુચરાજી પંથકમાં 10 હજાર કરોડ રૂપિયાનું માતબર રકમનું મૂડી રોકાણના MOU પણ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવ્યા છે.

પુસ્તકમાં શું છે - પ્રહલાદ શેઠના જીવન ચરિત્ર પુસ્તકના લેખક (Author of Prahlad Seth's Book) રમેશ તન્નાએ જણાવ્યું હતું કે, આ પુસ્તક 11 પ્રકરણમાં વિભાજીત કરવામાં આવ્યા છે. તેમજ 562 રજવાડાને એકત્રીકરણની કાર્યમાં તેમણે કેવી રીતે યોગદાન આપ્યું હતું તેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ પુસ્તક આજની યુવા પેઢીને વાંચવું ગમે તે રીતે તૈયાર કરવામાં આવ્યું છે.

રજવાડી ખાટલાની માહિતી મેળવી - આ અગાઉ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ચૈત્રી (CM Bhupendra Patel Visit Bahucharaji) નવરાત્રીના પર્વ પર બહુચર માતાજીની પૂજા અર્ચના કરી હતી. તેમના હસ્તે બેચરાજી ગ્રામ પંચાયત દ્વારા સંચાલિત આત્મનિર્ભર ગ્રામ હાટ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેમણે ગ્રામહાટની મુલાકાત લઇ સ્ટોલ સંચાલકો સાથે વાર્તાલાપ પણ કર્યો હતો. મુખ્યપ્રધાને હાટમાથી બેચર ગામના વાલજીના પાસેથી પાપડ ખરીદ્યા હતા. તેમજ ખીચડી ગામના અંકિત પંચાલના ખાટલા ભરત કામની માહિતી રજવાડી ખાટલામાં બેસીને મેળવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.