ETV Bharat / state

Love marriage law: લવ જેહાદની ઘટનાઓ પર અંકુશ લાવવા પાટીદાર સમાજની આ માગ

author img

By

Published : Apr 26, 2022, 8:28 PM IST

મહેસાણાના નુગર ગામે મળેલ 84 કડવા પાટીદાર સમાજના સંમેલનમાં સમાજના(Patidar Samaj Sammelan )અગ્રણી જશુ પટેલ દ્વારા તમામ આગેવાનોની સંમતિ સાથે કેટલાક એજન્ડા નક્કી કરવામાં આવ્યા હતા. જેમાં સમાજમાં લાગેલું પ્રેમ લગ્નોનું દુષણ અને લવ જેહાદની ઘટનાઓ પર અંકુશ લાવવા સરકાર પાસે પ્રેમલક્ષણા કાયદામાં સુધારો કરવા મામલે રજૂઆત કરવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.

Love marriage law: પ્રેમલગ્ન કરનારા માટે માતાપિતાની સહી શા માટે ફરજિયાત કરવા માંગ ઉઠી?
Love marriage law: પ્રેમલગ્ન કરનારા માટે માતાપિતાની સહી શા માટે ફરજિયાત કરવા માંગ ઉઠી?

મહેસાણા: જિલ્લામાં પાટીદાર સમાજનું મોટું પ્રભુત્વ (Patidar Samaj Sammelan ) રહેલું છે. તેવામાં તાજેતરમાં નુગર ગામે મળેલ 84 કડવા પાટીદાર સમાજના સંમેલનમાં સમાજના અગ્રણી જશુ પટેલ દ્વારા તમામ આગેવાનોની સંમતિ સાથે કેટલાક કામોના એજન્ડા નક્કી કરવામાં આવ્યા હતા. જેમાં ઊંઝા કોલેજમાં સ્વર્ગસ્થ ધારાસભ્ય આશા પટેલનું નામ જોડવા સાથે જ અનેક સમાજમાં (Mehsana Patidar Sammelan) લાગેલું પ્રેમ લગ્નોનું દુષણ અને લવ જેહાદની( love jihad) ઘટનાઓ પર અંકુશ લાવવા સરકાર પાસે પ્રેમલક્ષણા કાયદામાં સુધારો (Love marriage law) કરવા મામલે રજૂઆત કરવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.

પ્રેમલગ્ન કરનારા માટે

આ પણ વાંચોઃ સુરતમાં આ તારીખે યોજાશે Global Patidar Business Summit 2022

માતાપિતાની સંમતિ હોય તો જ પ્રેમ લગ્ન કરી શકે - જેમાં કોઈ પણ સમાજની દીકરી કે દીકરો પ્રેમ લગ્ન કરે ત્યારે તે પોતાના માતાપિતાની સંમતિ હોય તો જ પ્રેમ લગ્ન કરી શકે અથવા તો સંમતિ વિના લગ્ન કરનાર વ્યક્તિઓ આપો આપ માતાપિતાની સંપત્તિ કે (Love marriage law in India)વારસા માંથી બેદખલ થઈ જાય તેવા કાયદા લાગુ કરવાની માંગ કરવાની ચર્ચા કરવામાં આવી હતી. હાલમાં મોટાભાગે અંતર સમાજ કે વિધર્મીઓ સાથે યુવક યુવતીઓ પ્રેમ લગ્ન કરી લે છે અને કેટલાક લોકો પાછળ થી પછતાંય છે.

આ પણ વાંચોઃ Naresh Patel On Delhi Visit: તારીખ પે તારીખ... નરેશ પટેલ રાજકારણમાં જોડાવાનો નિર્ણય આ તારીખ સુધી જાહેર કરશે

કાયદો ઘડવાની માંગ - તો કેટલાક લોકોને સામેનું પાત્ર બળજબરી થી તેના માતાપિતાની સંપત્તિ લેવા હેરાન પરેશાન કરતું હોય છે. આમ આવી સામાજિક ઘટનાઓને કારણે સમાજો અને ધર્મો તૂટતા જતા હોઈ પ્રેમલગ્ન સંબંધે સરકાર કાયદામાં સુધારો કરે અને માતાપિતાની સંમતિ વિના પ્રેમલગ્ન ન થઈ શકે તેવો કાયદો ઘડવાની માંગ કરવા રજૂઆત કરવાની તૈયારી 84 કડવા પાટીદાર સંમેલનમાં દર્શવાવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.