ETV Bharat / state

કોઠંબા સ્વામિનારાયણ મંદિર દ્વારા રૂપિયા 25 હજારનો ચેક CM રાહત ફંડમાં અર્પણ કરાયો

author img

By

Published : Apr 27, 2020, 12:07 PM IST

સમગ્ર દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. જેથી દેશમાં લોકડાઉન કરાયું છે. લોકડાઉનના કારણે ગરીબ અને જરૂરિયાતમંદોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ કપરા અને મુશ્કેલ સમયમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મુખ્યપ્રધાન રાહત નિધિ ફંડમાં યોગદાન આપવા તમામ ગુજરાતવાસીઓને અપીલ કરી છે. ત્યારે લુણાવાડાનાં સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટીઓએ મુખ્યપ્રધાન રાહત ફંડમાં 25 હજાર રૂપિયા અર્પણ કરી કોરોના સામેની લડાઈમાં સહભાગી બન્યા હતા.

etv bharat
મહીસાગરઃ કોઠંબા સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટીઓએ 25 હજાર રૂપિયા CM રાહત ફંડમાં અર્પણ કર્યા

મહીસાગરઃ સમગ્ર દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. જેથી દેશમાં લોકડાઉન કરાયું છે. લોકડાઉનના કારણે ગરીબ અને જરૂરિયાતમંદોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ કપરા અને મુશ્કેલ સમયમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મુખ્યપ્રધાન રાહત નિધિ ફંડમાં યોગદાન આપવા તમામ ગુજરાતવાસીઓને અપીલ કરી છે. ત્યારે લુણાવાડાનાં સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટીઓએ મુખ્યપ્રધાન રાહત ફંડમાં 25 હજાર રૂપિયા અર્પણ કરી કોરોના સામેની લડાઈમાં સહભાગી બન્યા હતા.

ત્યારે જિલ્લામાં પણ તેઓના સમર્થનમાં જિલ્લા કલેક્ટર આર.બી.બારડે સેવાભાવી સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ અને દાતાઓને મુખ્યપ્રધાન રાહત ફંડમાં સહયોગ આપવા સંવેદના પ્રગટ કરી આ મહાન કાર્યમાં ભાગીદાર થવા અપીલ કરી હતી. તે સંવેદનાને ધ્યાને લઇ કોઠંબા સ્થિત સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટીઓ નીતિનભાઈ જોશી, કુબેરભાઈ પટેલ, ગોવિંદભાઈ કાછીયા, નગીનભાઈ પટેલ દ્વારા મુખ્યપ્રધાન રાહત ફંડમાં રૂપિયા 25 હજારનો ચેક લુણાવાડા મામલતદાર ઇલાબેન નાયકને અર્પણ કરી કોરોના સામેની લડાઈમાં સહભાગી બન્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.