ETV Bharat / state

મહીસાગરમાં કોવિડ-19ના વધુ 11 કેસ નોંધાયા, કુલ આંક 622

author img

By

Published : Aug 24, 2020, 11:37 PM IST

મહીસાગર જિલ્લામાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. સોમવારે જિલ્લામાં કોરોનાના વધુ 11 પોઝિટિવ કેસ નોંધાયા છે. નવા નોંધાયેલા 11 કેસમાં બાલાસિનોરમાં 6, લુણાવાડામાં 3 અને સંતરામપુરમાં 2 કેસ નોંધાયા છે. આ સાથે જિલ્લામાં કેસનો કુલ આંક 622એ પહોચ્યો છે.

ETV bharat
મહીસાગર: કોરોનાના વધું 11 કેસ નોંધાયા, કુલ આંક 622એ પહોચ્યો

મહીસાગર: જિલ્લામાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. સોમવારે જિલ્લામાં વધુ 11 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. તેમજ વધુ 5 દર્દીઓ સ્વસ્થ થતાં અત્યાર સુધીમાં 514 દર્દીઓ સ્વસ્થ થયા છે. અત્યારે જિલ્લામાં 73 દર્દીઓ એક્ટિવ છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કોરોના સંક્રમણને કારણે કુલ 35 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

જિલ્લામાં કોરોનાના કુલ 17,141 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. તેમજ જિલ્લાના 471 વ્યક્તિઓને હોમ કોવોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા અધિકારીએ જણાવ્યું હતું.

મહીસાગર જિલ્લામાં કોરોનાના કારણે 17 દર્દીઓ કે.એસ.પી. હોસ્પિટલ-બાલાસિનોર, 9 દર્દી ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ-લુણાવાડા 13 દર્દી હોમ આઈસોલેશન, 4 દર્દી શીતલ નર્સિંગ હોમ-લુણાવાડા, 6 દર્દીઓ એસ.ડી.એચ. સંતરામપુર તેમજ અન્ય 24 દર્દીઓ જિલ્લા બહાર સારવાર લઇ રહ્યાં છે. કોરોના પોઝિટિવ આવેલા માંથી 67 દર્દીઓ સ્ટેબલ અને 4 દર્દીઓ ઓક્સિજન પર તેમજ 2 દર્દી વેન્ટીલેટર પર છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.