ETV Bharat / state

ગરીબ રેશનકાર્ડ ધારકોને અનાજ ન મળતા માર્યા ચૂંટણી બહિષ્કારના પોસ્ટરો

author img

By

Published : Nov 22, 2022, 4:46 PM IST

ગરીબ રેશનકાર્ડ ધારકોને અનાજ ન મળતા માર્યા ચૂંટણી બહિષ્કારના પોસ્ટરો
ગરીબ રેશનકાર્ડ ધારકોને અનાજ ન મળતા માર્યા ચૂંટણી બહિષ્કારના પોસ્ટરો

મહીસાગરના નવગામા ગામના લોકોએ ચૂંટણી બહિષ્કાર કરવાનું (Election boycott in Navagam village) મન બનાવી લીધું છે. ગરીબ રેશનકાર્ડ ધારકોને (Election boycott poster) સરકારી અનાજનો નથી મળી રહ્યું તેને લઈને ગામમાં ચૂંટણીના બહિષ્કાર પોસ્ટરો તેમજ નેતાઓને પ્રવેશ નહીં અપાય તેવી ચીમકી ઉચ્ચારી છે (Gujarat Assembly Election 2022)

મહીસાગર : ગુજરાત વિધાનસભા ચૂંટણી જંગમાં ભાજપ દ્વારા ગરીબ મતદારોના મતો અંકે કરવા માટે ગરીબ કાર્ડ ધારકોને મફત સરકારી અનાજ આપવાનો ઉપકાર દેખાડે છે. પરંતુ બાલાસિનોર તાલુકાના નવગામા ગામના ગરીબ રેશનકાર્ડ ધારકોને સરકાર (Election boycott poster) અનાજનો જથ્થો મળ્યો નથી. આ બાબતે ગ્રામજનો અને સરપંચ દ્વારા બાલાસિનોર મામલતદાર કચેરીએ લેખિતમાં રજૂઆત કરી હોવા છતાંય કોઈ કાર્યવાહી ન થતા ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. તેમજ કોઈપણ રાજકીય પક્ષના વ્યક્તિને ગામમાં પ્રવેશ નહીં અપાય તેવી ચીમકી ઉચ્ચારી છે. (Election boycott in Gujarat)

નવગામા ગામમાં લોકોએ ચૂંટણી બહિષ્કાર કરવાનું મન બનાવ્યું

શું છે સમગ્ર મામલો મળતી માહિતી મુજબ બાલાસિનોર તાલુકાના નવાગામ ગામે છેલ્લા બે મહિનાથી રેસનીંગનું અનાજ ગરીબ જનતાને નથી મળ્યું. અનાજ ન મળતા સ્થાનિક લોકોએ સરપંચ દ્વારા લેટર પેડ ઉપર તમામ ગ્રામજનો સાથે મામલતદારને રજૂઆત કરી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ તમામ રેશનકાર્ડ ધારકોને મળવાપાત્ર અનાજનો જથ્થો મળવામાં ક્યારેક પૂરતો નથી મળતો. તો ક્યારેક સમયસર નથી મળતો. આ બાબતે દુકાનદાર મનસ્વી રીતે સામાન વિતરણ કરતાં હોય, નવગામા ગામના તમામ કાર્ડ ધારકો હાલાકી ભોગવી રહ્યા છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત મળતું મફત અનાજ ઓક્ટોબર મહિનામાં આજ દિન સુધી કાર્ડધારકોને અપાયું નથી. (Election boycott in Navagam village)

નવગામા
નવગામા

ચૂંટણીનો બહિષ્કારના પોસ્ટરો આ બાબતે ગાંધીનગર, લુણાવાડા તેમજ બાલાસિનોર મામલતદાર કચેરીએ લેખિતમાં રજૂઆત કરી હોવા છતાંય કોઈ કાર્યવાહી ન થતા સૌ ગ્રામજનોએ ભેગા મળીને ઠેર ઠેર ચૂંટણી બહિષ્કાર કરવાના પોસ્ટરો (Election boycott poster) લગાવ્યા છે. તેમજ ચૂંટણીનો બહિષ્કાર પણ કરેલી છે. તેમજ કોઈપણ પક્ષના નેતાઓને ગામમાં પ્રવેશ દેવામાં આવશે નહીં તેવું પણ ગ્રામજનો જણાવી રહ્યા છે. (Election boycott in Balasinor taluka)

સરપંચનું શું કહેવું છે નવગામા ગામના સરપંચના પ્રતિનિધિ પુજા ચૌહાણ જણાવે છે કે, અમારે ત્યાં સેવા સહકારી મંડળી ચાલે છે. એમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત જે અનાજ આવે એ ઓક્ટોબર મહિનાનું મળ્યું નથી. અમોને યોગ્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી ચૂંટણી ચૂંટણી માટે બહિષ્કાર. ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી મામલતદાર સાહેબને રજૂઆત કરી, પુરવઠા મામલતદાર, લુણાવાડા કલેક્ટર સાહેબને અને ગાંધીનગર રજૂઆત કરી, હજુ અમારી તપાસમાં કોઈ આવ્યું નથી. (Election boycott in Mahisagar)

ગામનો લાભાર્થી લાલ નવગામા ગામના બીજા લાભાર્થી અજય જણાવે છે કે, અમારે છેલ્લા ઓક્ટોબરનું પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનું અનાજ જે છે. અમને આપવામાં આવ્યું નથી. તો અમે બધા ગ્રામજનોએ નિર્ણય લીધો છે કે તમામ પાર્ટીઓ કોઈને ગામમાં પ્રવેશવા દેવામાં નહીં આવે, ટોટલી જે છે એ બહિષ્કાર કરીએ છીએ ચૂંટણીનો. અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. બાલાસિનોર, લુણાવાડા, ગાંધીનગર તો પણ અત્યાર સુધી કોઈ એક્શન લેવામાં નથી આવી. (Gujarat Assembly Election 2022)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.