ETV Bharat / state

મહીસાગરમાં 30 નંદઘરનું મુખ્યપ્રધાનના હસ્તે લોકાર્પણ અને નવીન 73 નંદઘરનું ઈ-ભૂમિ પૂજન કરાયું

author img

By

Published : Oct 2, 2020, 10:53 PM IST

ગુજરાત રાજ્ય ICDS મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા 2જી ઓકટોબર ગાંધી જયંતિના અવસરે મુખ્યપ્રધાનના હસ્તે આંગણવાડી, સેજા કચેરી અને બ્લોક ઓફિસના નવનિર્મિત ભવનનું લોકાર્પણ, ઈ- ભૂમિ પૂજન તથા નંદઘર ઇન્ફોર્મેશન ટ્રેકિંગ એપ્લિકેશન અને જિલ્લા કક્ષાના માતા યશોદા એવોર્ડ વિતરણ મહિસાગર જિલ્લા કક્ષાનો કાર્યક્રમ લુણાવાડા બાવ્વન પાટીદાર સમાજ ઘર ખાતે યોજાયો હતો, જેમાં નર્મદા અને શહેરી ગૃહ નિર્માણ રાજ્યકક્ષાના પ્રધાન યોગેશભાઈ પટેલ અને અન્ન નાગરિક પુરવઠા નિગમ ચેરમેન રાજેશ પાઠકના અધ્યક્ષ સ્થાને અને મહાનુભાવોના વરદ હસ્તે દિપ પ્રાગટ્ય કરી પોષણ આરતી સાથે શુભારંભ કરવામાં આવ્યો.

મહીસાગરમાં 30 નંદઘરનું મુખ્યપ્રધાનના હસ્તે લોકાર્પણ અને નવીન 73 નંદઘરનું ઈ-ભૂમિ પૂજન કરાયું
મહીસાગરમાં 30 નંદઘરનું મુખ્યપ્રધાનના હસ્તે લોકાર્પણ અને નવીન 73 નંદઘરનું ઈ-ભૂમિ પૂજન કરાયું

લુણાવાડાઃ આ કાર્યક્રમમાં મહાનુભાવોના પ્રાસંગિક ઉદ્બોધન બાદ મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં કાર્યક્રમમાં જોડાયા હતા. મહીસાગર જિલ્લામાં પણ મુખ્યપ્રધાનના વરદ હસ્તે 2.10 કરોડના ખર્ચે તૈયાર થયેલ 39 નંદઘરનું ઈ-લોકર્પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત 73 નંદઘરનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.

મહીસાગરમાં 30 નંદઘરનું મુખ્યપ્રધાનના હસ્તે લોકાર્પણ અને નવીન 73 નંદઘરનું ઈ-ભૂમિ પૂજન કરાયું
મહીસાગરમાં 30 નંદઘરનું મુખ્યપ્રધાનના હસ્તે લોકાર્પણ અને નવીન 73 નંદઘરનું ઈ-ભૂમિ પૂજન કરાયું

રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ નિમિત્તે મહીસાગર જિલ્લામાં હેન્ડવોસના કાર્યક્રમમાં જોડાઈને 13000 હેન્ડ વોશ કીટ વિતરણ કરાઇ હતી. 130 સ્થળો હેન્ડવોસ કાર્યક્રમમાં 13,000 જિલ્લા વાસીઓ સહભાગી થયા હતા એને સ્વચ્છ ભારત, સ્વચ્છ ગુજરાત, સ્વચ્છ મહીસાગરના સંકલ્પને ચરિતાર્થ કરવા અપીલ કરી હતી.

મહીસાગરમાં 30 નંદઘરનું મુખ્યપ્રધાનના હસ્તે લોકાર્પણ અને નવીન 73 નંદઘરનું ઈ-ભૂમિ પૂજન કરાયું
મહીસાગરમાં 30 નંદઘરનું મુખ્યપ્રધાનના હસ્તે લોકાર્પણ અને નવીન 73 નંદઘરનું ઈ-ભૂમિ પૂજન કરાયું

જિલ્લાકક્ષાના કાર્યક્રમ સ્થળે મહાનુભાવોના વરદ હસ્તે આંગણવાડીના 10 લાભાર્થીઓને હેન્ડવોશ કીટ અને સહભાગી પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર માતા યશોદા એવોર્ડ ખાનપુર તાલુકાના બોરવાઈ-1ના આંગણવાડી કાર્યકર લીલાબેન માલીવાડને 31,000નો ચેક સ્મૃતિ ચિન્હ, પ્રમાણપત્ર આપવામાં આવ્યો હતો, સાથે કૈલાશબેન પારગીને રુ.21,000નો ચેક, સ્મૃતિ ચિન્હ અને પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા.

મહીસાગરમાં 30 નંદઘરનું મુખ્યપ્રધાનના હસ્તે લોકાર્પણ અને નવીન 73 નંદઘરનું ઈ-ભૂમિ પૂજન કરાયું

આ સમારોહમાં ભાજપના હોદ્દેદારો, જિલ્લાના અધિકારીઓ, આંગણવાડી કાર્યકરો, કિશોરીઓ તેમજ ઉપસ્થિત સૌએ પોષણ શપથ લઇ કુપોષણ મુક્ત ભારત બનાવવા પ્રતિજ્ઞા બંધ થયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.