ETV Bharat / state

મહીસાગર જિલ્લામાં 31 જુલાઈથી 7 ઓગસ્ટ સુધી વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી

author img

By

Published : Jul 31, 2020, 7:50 PM IST

મહીસાગર જિલ્લામાં તારીખ 31 થી 7 સુધી વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી
મહીસાગર જિલ્લામાં તારીખ 31 થી 7 સુધી વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી

વિશ્વભરમાં ઓગસ્ટના પહેલા સપ્તાહને વર્લ્ડ બ્રેસ્ટફીડિંગ સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે. આ સપ્તાહ દરમિયાન સ્તનપાનથી થતા ફાયદાઓથી સગર્ભા અને ધાત્રી માતાઓને અવગત કરવામાં આવે છે. તેમને બાળકોને સ્તનપાન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. તારીખ 1 થી તારીખ 7 ઓગસ્ટ દરમિયાન જન્મનારા બાળકોનાં ઘરે અને આ સપ્તાહમાં ડિલેવરીની સંભવીત તારીખ હોય તેવી સગર્ભા મહિલાઓને ઘરે વૃક્ષારોપણનું આયોજન કરાશે.

મહીસાગરઃ લુણાવાડા વિશ્વભરમાં દર વર્ષે ઓગસ્ટમાં ઉજવાતો સ્તનપાન સપ્તાહ ઘણી વખત આપણે જોઈએ છીએ કે, કેટલાક બાળકો સતત બિમાર રહેતા હોય છે અને જ્યારે કેટલાક બાળકો હંમેશા નીરોગી અને સ્વસ્થ રહેતાં હોય છે એક જ વર્ગખંડમાં ભણતા વિદ્યાર્થીઓમાં વર્ષના પ્રથમ આગમન સાથે જ અમુકને તરત શરદી ખાંસી તાવ આવી જતા હોય છે.

જ્યારે કેટલાંક બાળકોમાં ઋતુઓની વિષમતાની કોઈ અસર થતી નથી આવું થવાનું મુખ્ય કારણ છે રોગપ્રતિકારક શક્તિ. કોરોના મહામારીના આ સમયમાં પણ વ્યક્તિઓને રોગપ્રતિકારક શક્તિ જ રામબાણ ઉપાય બન્યો છે.

ત્યારે બાળકોમાં જન્મની સાથે જ જીવનભર સાથે રહે તેવી સબળ રોગપ્રતિકારક શક્તિની બક્ષિસ કુદરત માતા થકી આપે છે. જન્મની સાથે જ કરાવવામાં આવતું અને ત્યાર બાદના પ્રથમ છ માસ માટેનું ફક્ત સ્તનપાન બાળકો માટે રોગો સામે ઝઝુંમવાની અમોઘ શક્તિ પ્રદાન કરે છે.

વિશ્વભરમાં ઓગસ્ટના પહેલા સપ્તાહને વર્લ્ડ બ્રેસ્ટફીડિંગ સપ્તાહતરીકે ઉજવવામાં આવે છે. આ સપ્તાહ દરમિયાન સ્તનપાનથી થતા ફાયદાઓથી સગર્ભા અને ધાત્રી માતાઓને અવગત કરવામાં આવે છે અને તેમણે બાળકોને સ્તનપાન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવેછે.

દર વર્ષે ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં વિશ્વ સ્તનપાન સપ્તાહ ની ઉજવણી વખતે એક થીમ પણ નક્કી કરવામાં આવે છે અને તે મુજબ દુનિયાના 170થી પણ વધુ દેશોમાં આઉજવણી અને કાર્યક્રમ ચલાવવામાં આવે છે.

વિશ્વા સ્તનપાન સંપ્તાહ વર્ષ-2020 ની આ વખતની થીમ છે Support Breastfeeding For Healthier Planet એટલે કે, સ્તનપાનનું સમર્થન કરીએ-તંદુરસ્ત વિશ્વના સર્જન માટે બાળકોના સ્તનપાનની સીધી અસર પર્યાવરણ પર થાય છે. કુદરતી આહાર મેળવે છે. જે કોઈપણ પ્રકારના પ્રદૂષણ, પેકેજીંગ કે પ્રોસેસિંગથી મુક્ત હોય છે. પરિણામે પૃથ્વી પરના હવા, પાણી, જમીન જેવાઘટકો પર તેની સીધી અસર થાય છે. અને પૃથ્વી વધુ સલામત બને છે..

જિલ્લામાં આ સપ્તાહ દરમિયાન ખૂબ સુંદર નવતર પ્રયોગ કરવામાં આવશે. જેમાં ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં માતા બનવાની શક્યતા હોય અને માતા બને તેમના કુટુંબને એક છોડ આપવામાં આવશે તથા બાળક અને છોડની સરખી કાળજી લેવાની સમજ આપવામાં આવશે.

જે બાળકો આ રીતે મોટા થશે તેઓ આ છોડને વૃક્ષ થતાં જોશે અને પ્રકૃતિ સાથે આપોઆપ જ તેનો લગાવ બની જશે. તેમના જીવનમાં પ્રકૃતિ સાથેનો નાતો અતૂટ હશે અને તેઓમાં કાયમ પ્રકૃતિની માવજત રાખવાનો સંબધ બનશે. અને એકદમ પ્રકૃતિ તરફ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવશે..

લોકોમાં પ્રકૃતિના ઉદાહરણ સાથે નવજાતને સ્તનપાનથી થતા ફાયદાથી અવગત કરાવાશે. કોરોના મહામારીને કારણે કોઈપણ પ્રકારના મેળા કર્યા વિના જનજાગૃતિ માટે સોશિયલ મીડિયા અને ટેલિફોનિક સંવાદનો વ્યાપક ઉપયોગ કરવામાં આવશે.

મહિસાગર જિલ્લામાં પણ આ સપ્તાહ દરમિયાન વ્યાપક જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે જેમાં સાથે ટેલિફોનિક સંવાદ કરીને પ્રસુતિ માટેની પૂર્વતૈયારી અને સ્તનપાનનું મહત્વ સમજાવાશે. તારીખ 1 થી તારીખ 7 મી દરમિયાન જન્મનાર બાળકોનાં ઘરે અને આ સપ્તાહમાં ડિલેવરીની સંભવીત તારીખ હોય તેવી સગર્ભા મહિલાઓને ઘરે વૃક્ષારોપણનું આયોજન કરાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.