ETV Bharat / state

મહીસાગરમાં યોજાયો રકતદાન કેમ્પ

author img

By

Published : Oct 14, 2020, 9:59 PM IST

Mahisagar
Mahisagar

કોરોના વાયરસની વૈશ્વિક મહામારી વચ્ચે પણ મહીસાગર જિલ્લાની એનેમીક સગર્ભા મહિલાઓને તેમજ થેલેસેમિયાના દર્દીઓ સાથે કોરોનાના દર્દીઓને નિ:શુલ્ક ધોરણે અવિરતપણે રક્ત મળી રહે તે માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લામાં અવાર-નવાર રકતદાન શિબિરોનું આયોજન કરવામાં આવે છે. મોટીકયાર અને ચુથાનામુવાડા ખાતે યોજાયેલા રકતદાન કેમ્પમાં 95 રકતદાતાઓએ પોતાના રકતદાન કરી રકતદાન-મહાદાન મંત્રને સાર્થક કર્યો હતો.

મહીસાગર: કોરોના વાયરસની વૈશ્વિક મહામારી વચ્ચે પણ મહીસાગર જિલ્લાની એનેમીક સગર્ભા મહિલાઓને તેમજ થેલેસેમિયાના દર્દીઓ સાથે કોરોનાના દર્દીઓને નિ:શુલ્ક ધોરણે અવિરતપણે રક્ત મળી રહે તે માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લામાં અવાર-નવાર રકતદાન શિબિરોનું આયોજન કરવામાં આવે છે. મોટીકયાર અને ચુથાનામુવાડા ખાતે યોજાયેલા રકતદાન કેમ્પમાં 95 રકતદાતાઓએ પોતાના રકતદાન કરી રકતદાન-મહાદાન મંત્રને સાર્થક કર્યો હતો.

જિલ્લા કલેકટર આર.બી.બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એસ.બી.શાહની રાહબરીમાં ખેડાપા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મોટીકયાર હેલ્થર એન્ડ વેલનેસ કેન્દ્ર ખાતે ડૉ. વિજય ડામોર અને CHO આશિકાબેન પટેલની હાજરીમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

સંતરામપુર તાલુકાના ચુથાનામુવાડા પ્રાથમિક આરોગ્યર કેન્દ્ર ખાતે ડૉ.રાજ સમીરભાઇ ચૌધરી અને ડૉ. શહેનાઝ તથા તેમની આરોગ્ય ટીમ અને રેડક્રોસ સોસાયટી, ગોધરાના ઉપક્રમે તારીખ 8મી અને તારીખ 13મીના રોજ રક્તદાન કેમ્પ યોજાયા હતા. આ રકતદાન કેમ્પમાં મેડીકલ ઓફિસર ડૉ. દેવેન્દ્ર શાહે પણ રકતદાન કરી રકતદાતાઓને પ્રેરણા પૂરી પાડી હતી.

મોટીકયાર ખાતે યોજાયેલા રકતદાન કેમ્પમાં 32 અને ચુથાનામુવાડા ખાતે યોજાયેલા રકતદાન કેમ્પમાં 63 રકતદાતાઓ મળીને કુલ 95 રકતદાતાઓએ પોતાના રક્તનું દાન કરીને કોરોના સામેની લડતમાં પોતાનું યોગદાન આપી ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડ્યું હતું.

રક્તદાન કેમ્પમાં કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટેના સરકારની ગાઇડલાઇનનું અને દિશાનિર્દેશોની સાથે ફરજિયાત માસ્કનો ઉપયોગ તેમજ સામાજિક અંતર જાળવવાનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પનું ખૂબજ કાળજીપૂર્વક અમલીકરણ કરવામાં આવ્યું હતું. જેથી કોઈ પણ રક્તદાતાને કોરોના વાયરસનો ચેપ ન લાગે તે માટે દરેક ડોનરને નવી બેડશીટ પાથરીને જ રક્તદાન કરાવવામાં આવ્યું હતું.

આ રક્તદાન કેમ્પમાં રકતદાતાઓ જ્યારે કેમ્પના સ્થળે આવ્યા ત્યારે તેમને થર્મલગનથી આરોગ્ય તપાસ કરી, તેમના હાથ સાફ કરવા માટે હેન્ડવોશ તેમજ સેનેટાઈઝરની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે સિનિયર મેડિકલ ઓફિસર બિરેન્દ્રસીંગે રક્તદાન કેમ્પમાં કોરોનાને ધ્યાને લઇ સાવચેતીના તમામ પગલા સુનિશ્ચિત કરવાની સાથે રક્તદાતાઓને બેડશીટ બદલવાની અને તમામ સામગ્રી જંતુરહિત રહે તેનું સુચારૂં આયોજન કર્યું હતું.

રકતદાન કેમ્પમાં રકતદાન કરનાર દરેક રકતદાતાને રેડક્રોસ સોસાયટી પંચમહાલ દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. બંને કેમ્પમાં 95 રકતદાતાઓએ રકતદાન કરવાની સાથે જિલ્લામાં મે-2020 થી તા.13મી ઓકટોબર, 2020 સુધી યોજાયેલા 28 રકતદાન કેમ્પ‍માં 1370 રકતદાતાઓએ કોરોનાની મહામારીના સમય વચ્ચે પણ રકતદાન કરીને રકતદાનની ઉપયોગીતા અને જરૂરિયાતને સાર્થક કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.