ETV Bharat / state

બાલાસિનોરનું ડાયનાસોર ફોસીલ પાર્ક અને મ્યુઝિયમ 18 દિવસ માટે બંધ

author img

By

Published : Apr 12, 2021, 1:04 PM IST

Updated : Apr 12, 2021, 4:37 PM IST

મહીસાગર જિલ્લામાં કોરોના સંક્રમણનો વ્યાપ વધી રહ્યો છે. જેના કારણે તાલુકામાં પણ કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. તેને અનુસંધાને જિલ્લા કલેક્ટર અને મેજિસ્ટ્રેટ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં મેળાવડા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બાલાસિનોર તાલુકાના રૈયોલીમાં આવેલા ડાયનાસોર ફોસીલ પાર્ક અને મ્યુઝિયમને ડાયનાસોર ફોસીલ પાર્ક વિકાસ સોસાયટી દ્વારા 18 દિવસ માટે બંધ રાખવા નિર્ણય કર્યો છે.

corona
બાલસિનોરનુ ડાયનાસોર ફોસીલ પાર્ક અને મ્યુઝિયમ 18 દિવસ માટે બંધ

  • કોરોના સંક્રમણ વધતાં વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ સતર્ક બન્યું
  • જિલ્લા કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું
  • ડાયનાસોર ફોસીલ પાર્ક અને મ્યુઝિયમને તંત્ર દ્વારા 18 દિવસ સુધી બંધ રાખવા નિર્ણય


મહિસાગર: બાલાસિનોર તાલુકામાં દિનપ્રતિદિન કોરોના વાઇરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે. કોરોના સંક્રમણ વધતાં જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કોરોના વાઇરસનો ફેલાવો અટકાવવા તેમજ વધું માણસો ભેગા ન થાય તે હેતુથી બાલાસિનોર તાલુકામાં આવેલા ડાયનાસોર ફોસીલ પાર્ક અને મ્યુઝિયમને ડાયનાસોર ફોસીલ પાર્ક વિકાસ સોસાયટી અને બાલાસિનોર મામલતદાર દ્વારા 18 દિવસ માટે બંધ રાખવામાં આવ્યુ છે.

આ પણ વાંચો : મહીસાગરમાં કોરોનાના વધુ 39 કેસ નોંધાયા, કુલ પોઝિટિવ કેસ 2,449


કોરોના સંક્રમણ અટકાવવા અને વધું માણસો ભેગા ન થાય તે હેતુથી ડાયનાસોર પાર્ક બંધ

બાલાસિનોર તાલુકામાં કોરોના સંક્રમણને અટકાવવા તથા તકેદારીના ભાગ રૂપે ડાયનાસોર ફોસીલ પાર્ક અને મ્યુઝિયમ પર લોકોની ભીડ એકત્રિત ન થાય તે માટે બાલાસિનોર તાલુકાના રૈયોલીમાં ચાલતા ડાયનોસોર ફોસિલ પાર્ક અને મ્યુઝિયમને તા. 12/4/21 થી 30/4/21 સુધી વહીવટી તંત્ર દ્વારા બંધ રાખવામાં આવ્યુ છે.

Last Updated : Apr 12, 2021, 4:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.