મહીસાગર જિલ્લાના બાલાસિનોરની નગરપાલિકા કચેરીમાં ગંદકીનો માહોલ સર્જાયો છે. એક તરફ સરકાર દ્વારા સ્વરછ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા અભિયાન માટે લાખોના ખર્ચની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. બીજી તરફ બાલાસિનોર પાલિકા કચેરીમાં સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે. નગરપાલિકા ભવનમાં અલગ-અલગ જગ્યાએ પાનની પિચકારીઓ અને કચરો જોવા મળે છે. તેમજ યોગ્ય સફાઈ થતી ન હોય તેમ લાગી રહ્યું છે. સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત ઓફિસમાં સ્વચ્છતા જાળવવાના બેનરો લગાવવામાં આવ્યા છે, પરંતુ આ સુચનાનો કોઈ અમલ કરતું નથી.
જો સરકારી કચેરીમાં આવી ગંદકી જોવા મળતી હોય તો ગ્રામ્ય વિસ્તારની શું હાલત બને ? જેનું સૌથી મોટું ઉદાહરણ સામે જ છે. જો નગર સેવા સદનની કચેરીમાંજ આવી ગંદકી હોય. તો પછી નગરની હાલત તો શું હશે તે મોટો પ્રશ્ન છે. ઓફિસમાં આવતા નગરજનો ગંદકી કરે તો તેને રોકટોક કરવાની જવાબદારી તંત્રની હોય છે. પરંતુ તંત્રને આ વિશે કોઈ ફરક પડતો નથી તેમ લાગી રહ્યું છે.