ETV Bharat / state

Kutch Corona Update: કચ્છ જિલ્લામાં આજે કોરોનાના નવા 129 કેસ નોંધાયા, 66 દર્દીઓ સ્વસ્થ થયા

author img

By

Published : Jan 14, 2022, 11:42 AM IST

Kutch Corona Update: કચ્છ જિલ્લામાં આજે કોરોનાના નવા 129 કેસ નોંધાયા, 66 દર્દીઓ સ્વસ્થ થયા
Kutch Corona Update: કચ્છ જિલ્લામાં આજે કોરોનાના નવા 129 કેસ નોંધાયા, 66 દર્દીઓ સ્વસ્થ થયા

કચ્છ જિલ્લામાં કોરોનાના 129 પોઝિટિવ(Kutch Corona Update) કેસો નોંધાયા છે. જેથી જિલ્લામાં પોઝિટિવ કેસોની(Corona Cases in Kutch) સંખ્યા વધીને 465 પહોંચી છે. તો છેલ્લા 24 કલાકમાં 66 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જિલ્લામાં નવા વેરિયન્ટ ઓમીક્રોનના(Omicron Cases in Kutch) એક પણ કેસ નોંધાયો ન હતો.

કચ્છઃ વૈશ્વિક મહામારી કોરોનાનું સંક્રમણ(Corona Cases in india) ફરીથી વધી રહ્યું છે અને દિવસેને દિવસે પોઝિટિવ કેસોની(Corona Cases in Kutch) સંખ્યા વધી રહી છે. ઉપરાંત કોરોના વાયરસનાં નવા વેરિયન્ટ ઓમીક્રોન પણ દેશમાં પગપેસારો કરી રહ્યું છે. ત્યારે કચ્છમાં કોરોન સંક્રમણની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં કચ્છમાં કોરોનાના 129 પોઝિટિવ કેસો નોંધાયા છે. જેથી જિલ્લામાં પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 465 પહોંચી છે. તો 66 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત નવા વેરિયન્ટ ઓમીક્રોનના(Omicron Cases in Kutch) જિલ્લામાં કુલ 7 કેસો નોંધાયા છે.

કચ્છ કોરોના અપડેટ

કચ્છ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાનાં 13560 પોઝિટિવ કેસો(Kutch Corona Update) નોંધાયા છે. તો જિલ્લામાં આ મહામારીમાં સરકારી ચોપડા મુજબ 282 લોકોએ પોતાનો જીવ ખોયો છે. જિલ્લામાં 402 એક્ટિવ પોઝીટીવ કેસો છે. આજ સુધી સાજા થઈ ૨જા આપેલ કેસો 13124 છે. તેમજ આજ સુધી ઓમીક્રોનના 07 (Corona New Variant Omicron)કેસો નોંધાયા છે.

101 કેસો અર્બન વિસ્તારમાં તેમજ 28 કેસો ગ્રામ્ય વિસ્તારમાં

કચ્છ જિલ્લામાં નોંધાયેલા 129 કેસો પૈકી 101 કેસ અર્બન વિસ્તારમાં નોંધાયા છે. જ્યારે 28 કેસો ગ્રામ્ય વિસ્તારોમાં નોંધાયા છે. ગાંધીધામ તાલુકામાં સૌથી વધારે 35 કેસો નોંધાયા છે. તો ભુજ તાલુકામાં 32, મુન્દ્રા તાલુકા 21, ભચાઉ તાલુકામાં 17,અંજાર તાલુકામાં 16, નખત્રાણા તાલુકામાં 4,માંડવી તાલુકામાં 3 અને રાપર તાલુકામાં 1 કેસ નોંધાયા છે. તેમજ કચ્છ જિલ્લામાં કુલ 66 દર્દીઓને સ્વસ્થ થતા ઘરે પરત મોકલવામાં આવ્યું છે. જેમાંથી 29 દર્દીઓ ગાંધીધામ તાલુકાના, 25 દર્દીઓ ભુજ તાલુકાના, 5 દર્દીઓ અંજાર તાલુકાના, 4 દર્દીઓ માંડવી તાલુકાના, રાપર તાલુકાના 2 દર્દીઓ અને નખત્રાણા તાલુકાના 1 દર્દીઓ સ્વસ્થ થયા છે.

આ પણ વાંચોઃ કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા બાદ કોવિડ ટેસ્ટ જરૂરી નથી: ICMR

ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયેલા 28 કેસોની વિગત

ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયેલા 28 કેસો પૈકી કંડલામાં 3, નખત્રાણામાં 3, દહીસરામાં 2, કોટડીમાં 2, ભુજપુરમાં 2, કુકમામાં 1, માધાપરમાં 1, ભુજોડીમાં 1, વર્ષામેડીમાં 1, વીરામાં 1, મેઘપર બોરિચીમાં 1, ચાંદ્રાણીમાં 1, ચિરઈ નાનીમાં 1, સામખીયારીમાં 1, મોરગરમાં 1, સુખપરમાં 1, દેવપરમાં 1, મોટી મઉંમાં 1, મોટા કપાયામાં 1, લાખાપરમાં 1, કારાઘોઘા ગામ ખાતે 1 કેસ પોઝિટિવ કેસ નોંધાયેલ છે.

કચ્છમાં કોરોના અપડેટઆંંકડાઓ
24 કલાકમાં કોરોના કેસ129
જિલ્લાના કોરોનાના એક્ટિવ કેસ465
જિલ્લાના કુલ કોરોનાના કેસ13689
ઓમિક્રોનના 24 કલાકમાં કેસ00
કુલ ઓમિક્રોનના નોંધાયેલ કેસ07
જિલ્લાનું કુલ મૃત્યુ282
24 કલાકમાં સ્વસ્થ થયા66
કોરોનાથી કુલ સ્વસ્થ થયેલા લોકો 13190
કુલ વેક્સિન 1st Dose1606141
2nd Dose1442590
Precaution Dose14438

આ પણ વાંચોઃ Third Wave Of Corona: વડોદરામાં OSD ડો. વિનોદ રાવની આગેવાનીમાં કાર્યરત કમિટીનું પુનઃગઠન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.