સંરક્ષિત અભયારણ્યના દરજ્જા માટે પ્રયત્નો નહીં કરવામાં આવે તો કચ્છને કદી ન પુરાય તેવી ખોટ પડશે

author img

By

Published : Aug 1, 2022, 10:43 PM IST

સંરક્ષિત અભયારણ્યના દરજ્જા માટે પ્રયત્નો નહીં કરવાં આવે તો કચ્છને કદી ન પુરાય તેવી ખોટ પડશે
સંરક્ષિત અભયારણ્યના દરજ્જા માટે પ્રયત્નો નહીં કરવાં આવે તો કચ્છને કદી ન પુરાય તેવી ખોટ પડશે ()

ભુજથી નખત્રાણા તરફ જતા ધોરીમાર્ગ પર સામત્રા ગામમાંથી(Bhuj to Nakhtrana Samtra village) સાત કિલોમીટર અંદર જતાં જ વસેલી ચાડવા રખાલ જંગલ(Chadwa Rakhal forest) જશે તો હવે કદી નહીં મળે. જો આપણે આજે જીવંત હોઈએ તો તેમાં ૫ર્યાવરણનો મોટો હાથ છે. આજે લોકો પોતાની સુવિધાઓ માટે પર્યાવરણથી દૂર થઈ રહ્યા છે. લોકોને પ્રકૃતિ તરફ પાછા વાળવું જરૂરી બન્યું છે. જેમ-જેમ ધરતી પરથી જંગલ ઘટતાં જશે તેમ-તેમ સમસ્ત જીવસૃષ્ટિનાં જીવન પણ ઘટતાં જશે.

કચ્છ: આવનારી પેઢી સ્વસ્થ જીવન જીવવું હશે તો અનેક પ્રકારના ફળો, ઝાડ, પશુ-પક્ષીઓનો પરિચય, પ્રકૃતિ પ્રત્યે પ્રેમ કરવો જોઈશે અને જો વન ટકશે તો જીવન ટકશે .ભુજથી નખત્રાણા તરફ જતા ધોરીમાર્ગ પર સામત્રા ગામમાંથી(Bhuj to Nakhtrana Samtra village) સાત કિલોમીટર અંદર જતાં જ વસેલી ચાડવા રખાલ(Chadwa Rakhal forest) કચ્છને કુદરતની અમૂલ્ય ભેટ છે. 12,700 એકરમાં એટલે કે 50 ચોરસ કિલોમીટરના વિશાળ ભૂભાગમાં રખાલરૂપે ફેલાયેલું જંગલ વારસો દાયકાઓ નહીં, પરંતુ સદીઓથી તે સચવાયેલું છે. આ જંગલ જશે તો હવે કદી નહીં મળે.

વનને બચાવવા સૌ કોઈ કચ્છીજન આગળ આવે, અપિલ -

વિકાસના બહાને માટે સંરક્ષિત અભયારણ્યના દરજ્જા માટે પ્રયત્નો - કચ્છમાં વિકાસ કરવાના બહાને ઉદ્યોગો કુદરતે આપેલી અણમોલ ભેટ સમાન આ રખાલની જમીન પર કબજો જમાવીને અહીંની આબોહવાને બગડે નહીં અને પ્રદૂષિત ન કરે તે માટે પ્રકૃતિના પ્રેમીઓમાં પ્રિય એવી ચાડવા રખાલને કન્ઝર્વેશન રિઝર્વ(Rakhal Forest Sanctuary) એટલે કે, સંરક્ષિત અભયારણ્યનો(Protected Sanctuary) દરજ્જો મળે તે દિશામાં પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે.

આ રખાલની જમીન પર કબજો જમાવીને અહીંની આબોહવાને બગડે નહીં અને પ્રદૂષિત ન કરે તે માટે પ્રકૃતિના પ્રેમીઓમાં પ્રિય એવી ચાડવા રખાલને કન્ઝર્વેશન રિઝર્વ
આ રખાલની જમીન પર કબજો જમાવીને અહીંની આબોહવાને બગડે નહીં અને પ્રદૂષિત ન કરે તે માટે પ્રકૃતિના પ્રેમીઓમાં પ્રિય એવી ચાડવા રખાલને કન્ઝર્વેશન રિઝર્વ

આ પણ વાંચો: જંગલ છોડીને ગજરાજ અચાનક સ્કૂલમાં આંટો મારવા પહોંચ્યા, જુઓ વીડિયો

અનેક પ્રકારના વન્યજીવો અને પક્ષીઓ પર અહીં વસે છે - ચાડવા રખાલની છેલ્લા 7 દાયકાથી સંભાળતી સંસ્થા ‘મહારાવ પ્રાગમલજી નેચર હેરિટેજ ટ્રસ્ટના(Maharao Pragamalji Nature Heritage Trust) મેનેજીંગ ટ્રસ્ટી જહાન ભુજવાલાએ જણાવ્યું હતું કે, મધ્ય કચ્છના ફેફસાં સમાન રખાલ સામત્રા સહિત આસપાસના અનેક ગામોની જીવાદોરી છે.આ જંગલમાં વિવિધ પ્રકારના 300 પક્ષી તેમજ વિલુપ્ત થવામાં ગંભીર જોખમનો સામનો કરતા પ્રાણી સહિત 26 પ્રકારના સસ્તન પ્રાણીઓ લીલાંછમ વૃક્ષોમાંથી ચળાઈને આવતી શીતળ, સ્વચ્છ હવા લીલાંછમ વૃક્ષોમાંથી ચળાઈને રખાલમાં તમામ એકસાથે જીવી રહ્યા છે.

1955થી રાજવી પરિવારના પ્રતિનિધિ રખાલનું રક્ષણ કરે છે - ચાડવા રખાલ એક ખૂબ જ પ્રાચીન અને મોટી રખાલ છે. કચ્છ રાજ હતું ત્યારના મહારાવ પ્રાગમલજી બીજાના શાસનકાળમાં આ વિશાળ વન ભૂમિને રખાલ રૂપે રક્ષિત કરાઇ હતી. ત્યારબાદ 1955થી રાજવી પરિવારના પ્રતિનિધિ પ્રાગમલજી ત્રીજા અને પ્રીતિ દેવી રખાલનું રક્ષણ કરે છે. ચાડવા રખાલની શોભા વધારતા પ્રાગસર તળાવ(Pragsar Lake of Chadwa Rakhal) પર છેક 1850માં બંધાયેલો ડેમ કચ્છનો સૌથી જૂનો મેશનરી ડેમ(Oldest masonry dam of Kutch) છે, જે આજે પોણા બે સદી જેટલા લાંબા સમયખંડ પછીયે અકબંધ છે. પેઢીઓની પેઢીઓ જીવન જીવી જાય, તેટલા લાંબા સમયથી પાણી સાચવી બેઠેલા આ ડેમનું તળિયું એટલું રસાંગવાળું બની ચૂક્યું છે કે, તેનું પોષણ મેળવતાં રખાલનાં વૃક્ષો બારેમાસ લીલાંછમ રહે છે.

અનેક પ્રકારના વન્યજીવો અને પક્ષીઓ પર અહીં વસે છે
અનેક પ્રકારના વન્યજીવો અને પક્ષીઓ પર અહીં વસે છે

રખાલ નષ્ટ થશે તો કચ્છને કદી ન પુરાય તેવી ખોટ પડશે - ચાડવા રખાલના પર્યાવરણને, પ્રકૃતિને સદાકાળ માટે યુવાન રાખી છે. આવી રમ્ય રખાલ નષ્ટ થશે તો કચ્છને કદી ન પુરાય તેવી ખોટ પડશે. રખાલના રખેવાળ ટ્રસ્ટના(Rakhal Custodian Trust) પ્રમુખ પ્રીતિ દેવીના માર્ગદર્શન હેઠળ રખાલ પર વધુ સંશોધન, દસ્તાવેજીકરણ, વનીકરણને વેગ જેવી પ્રવૃત્તિઓ જારી છે, તો લીગલ પ્રોટેક્શન ફ્રેમ વર્ક એટલે કે કાનૂની સુરક્ષા માળખા હેઠળ રખાલને સુરક્ષિત કરવાના પ્રયાસો પણ સતત કરાઈ રહ્યા છે.

વનને બચાવવા સૌ કોઈ કચ્છીજન આગળ આવે, અપિલ - કચ્છના મહારાવ પ્રાગમલજી નેચર હેરિટેજ ટ્રસ્ટ વન મંત્રાલય(Nature Heritage Trust Ministry of Forests) સાથે સંપર્કમાં છે. તેરાના મયૂરધ્વજસિંહ જાડેજા, નલિયાના ઇન્દુભા જાડેજા, દેવપરના કૃતાર્થસિંહ જાડેજા, મુંબઇના રવીન્દ્ર સંઘવી સહિત ટ્રસ્ટીઓ પણ રખાલને સાચવવાના અભિયાનમાં સક્રિય છે. જંગલ સારી રીતે સચવાય છે, જે હજુયે સચવાય, આસપાસના લોકોના અધિકાર, પ્રાકૃતિક સ્રોતો સચવાય, રોજગાર ઊભા થાય, પ્રવાસનનો વિકાસ થાય, શાળા-કોલેજના બાળકો આવીને અભ્યાસ, સંશોધન કરી શકે તેવા પ્રયાસો સાથે પ્રત્યેક આ વનને બચાવવા સૌ કોઈ કચ્છીજન આગળ આવે તેવી અપીલ ટ્રસ્ટી દ્વારા કરવામાં આવી છે.

આ પણ વાંચો: Sariska Tiger Reserve Forest Fire : સરિસ્કાના જંગલોમાં લાગી ભીષણ આગ, પોલીસ પ્રશાસન લોકોને કરી રહી છે જાગૃત

આજના સમયમાં પર્યાવરણનું મહત્વ ભૂલાઈ રહ્યું છે - પર્યાવરણનું જેટલું જતન આપણે કરીશું તેટલું જ પર્યાવરણ આપણું જતન કરશે. પ્રાચીનકાળમાં ૫ર્યાવરણના મહત્વને ખુબ સારી રીતે સમજી માનવીએ ૫ર્યાવરણનું રક્ષણ કર્યુ છે. પર્યાવરણ આબોહવાને સંતુલિત રાખે છે તેમજ જીવન માટે જરૂરી બધી વસ્તુઓ ૫ણ પર્યાવરણ દ્વારા જ પ્રાપ્ત થાય છે, પરંતુ આજના સમયમાં પર્યાવરણનું મહત્વ ભૂલાઈ રહ્યા છે. જેની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે. પ્રાચીન કાળમાં મનુષ્ય પગપાળા માઈલો સુધી પ્રવાસ કરતા હતા. આજનો યુવાન થોડુક ૫ણ ચાલે તો તેના શ્વાસ ફુલવાનું શરૂ થઈ જાય છે.

૫ર્યાવરણનું જતન એ માનવીની નૈતિક જવાબદારી છે - સમગ્ર સૃષ્ટી ૫ર્યાવરણને આભારી છે. આ બાબત માનવી સારી રીતે જાણતો હોવા છતાં તે ૫ર્યાવરણનો બેફામ ઉ૫યોગ કરે છે. ૫ર્યાવરણનું જતન એ માનવીની નૈતિક જવાબદારી છે. ભારતીય નાગરીકો માટે તો એ બંઘારણીય ફરજ ૫ણ છે. ૫રંતુ માનવીએ તેનું જતન કરતાં ૫તન વઘુ કર્યુ છે. જેથી હાલમાં સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિગની સમસ્યાથી ૫ીડીત છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.