ETV Bharat / state

વરસાદ ખેંચાતા કચ્છમાં ઘાસચારાની તંગી, પશુપાલકોની દયનીય હાલતમાં

author img

By

Published : Jul 18, 2019, 10:27 AM IST

Updated : Jul 19, 2019, 1:08 PM IST

કચ્છઃ જિલ્લામાં ત્રણ-ત્રણ વર્ષથી દુષ્કાળ અને અછતની માર સહન કરી રહેલા કચ્છીજનોમાં આ વર્ષ પણ વરસાદ ખેંચાતા ભારે ચિંતામાં મુકાયા છે. કચ્છમાં જેમ-જેમ વરસાદ ખેંચાતો જાય છે તેમ પશુપાલકો અને ખેડૂતોની ચિંતા વધી રહી છે. અછતની સ્થિતિ વચ્ચે કચ્છમાં 15 દિવસ બાદ લીલા ચારાઓની અછત સર્જાય તેવી પરિસ્થિતિ છે. માત્ર એક સપ્તાહમાં જ મણ દીઠ 70 રૂપિયા જેટલો ભાવ વધારો લીલાચારામાં આવતા સ્થિતિ વિકટ બની છે.

કચ્છમાં વરસાદ ખેચાતા પશુપાલકો અને ખેડૂતોની સ્થિતિ બની વિકટ

દુષ્કાળનો એક વર્ષ તો પશુપાલકોએ સંસ્થા અને સરકારની મદદથી પસાર કર્યો, પરંતુ ચાલુ વર્ષ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યાં કચ્છમાં વરસાદ ખેંચાયો છે તેને લઇને ખેડૂતો પશુપાલકોની ચિંતા વધી છે. ભૂજમાં હોલસેલ વેપાર કરતા વેપારીઓને જ્યારે ભાવ વધારો અંગે પૂછાયું ત્યારે તેઓએ કડપ અને રંજકા(લીલાચારા)માં 70થી 80 રૂપિયાનો વધારો નોંધાયો છે. જે ચારો અને કડપ 90 રૂપીયા મણ હતો તે આજે 165 રૂપિયા પહોંચ્યો છે.

કચ્છમાં વરસાદ ખેચાતા પશુપાલકો અને ખેડૂતોની સ્થિતિ બની વિકટ

કચ્છમાં ગત વર્ષ ઓછા વરસાદ અને ચાલુ વર્ષની આશાએ લીલાચારાનું વાવેતર ખેડૂતોએ ઓછું કર્યું હતું. તેથી કચ્છમાં ગૌશાળાઓ અને ઢોરવાડો ચલાવતા પશુપાલકોના મતે માત્ર15 દિવસ સુધી ચાલે તેટલો ચારો છે. અને તેમાં પણ ભાવ આસમાને છે. 15 દિવસ બાદ પૈસા દેતા પણ પશુપાલકોને ચારો નહી મળે સુકા ઘાસથી દુઘ ઉત્પાદન ઓછું થશે ,તેવામાં વરસાદ પડે એવી પ્રાર્થના ખેડૂતો પશુપાલકો અને કચ્છીજનો કરી રહ્યા છે.

કચ્છમાં ખેતી અને પશુપાલન મુખ્ય વ્યવસાય છે. પરંતુ ત્રણ વર્ષથી અનિયમિત વરસાદ અને ગત વર્ષે અછતની સ્થિતિ ઊભી થઇ હતી. વરસાદની રાહે કચ્છીઓએ મુશ્કેલી વચ્ચે ખેતી-પશુઓને બચાવ્યા પરંતુ હવે જો વરસાદ નહી પડે તો લીલાચારાના દુકાળ સાથે કચ્છમાં ગંભીર સ્થિતિનું નિમાર્ણ થશે.





Intro:ત્રણ ત્રણ વર્ષથી દુષ્કાળ અને અછત ની માર સહન કરી રહેલા કરછીજનો માં આ વર્ષ પણ વરસાદ ખેંચાતા ભારે ચિંતાના વાદળો ઘેરાયા છે. કચ્છમાં જેમ-જેમ વરસાદ ખેંચાતો જાય છે તેમ પશુપાલકો અને ખેડૂતોની ચિંતા વધી રહી છે કચ્છમાં અછતની સ્થિતિ વચ્ચે કચ્છમાં 15 દિવસ બાદ લીલા ચારાઓની અછત સર્જાય તેવી સ્થિતિ છે. માત્ર એક સપ્તાહમાં જ મણ દીઠ 70 રૂપિયા જેટલો ભાવ વધારો લીલાચારા માં આવતા સ્થિતિ વિકટ બની છે


Body:દુષ્કાળનો એક વર્ષ તો પશુપાલકોએ સંસ્થા અને સરકારની મદદથી પસાર કર્યો પરંતુ ચાલુ વર્ષ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યાં કચ્છમાં વરસાદ ખેંચાયો છે તેને લઇને ખેડૂતો પશુપાલકોની ચિંતા વધી છે. ભુજમાં હોલસેલ વેપાર કરતા વેપારીઓને જ્યારે ભાવ વધારો અંગે પૂછાયું ત્યારે તેઓએ કડપ અને રંજકા(લીલાચારા) માં70-80 રૂપિયાનો વધારો નોંધાયો છે. જે ચારો અને કડપ 90રુપીયા મણ હતો તે આજે165રૂપિયા પહોંચ્યો છે..
કચ્છમાં ગત વર્ષ ઓછા વરસાદ અને ચાલુ વર્ષની આશાએ લીલાચારા નું વાવેતર ખેડૂતોએ ઓછું કર્યું હતું તેથી કચ્છમાં ગૌશાળાઓ અને ઢોરવાડો ચલાવતા પશુપાલકોના મતે માત્ર15 દિવસ સુધી ચાલે તેટલો ચારો છે.. અને તેમાં પણ ભાવ આસમાને છે.15દિવસ બાદ પૈસા દેતા પણ પશુપાલકો ને ચારો નહી મળે સુકા ઘાસથી દુઘ ઉત્પાદન ઓછું થશે તેવામાં વરસાદ પડે એવી પ્રાર્થના ખેડૂતો. પશુપાલકો અને કરછીજનો કરી રહયા છે...
કચ્છમાં ખેતી અને પશુપાલન મુખ્ય વ્યવસાય છે. પરંતુ ત્રણ વર્ષથી અનિયમિત વરસાદ અને ગત વર્ષે અછતની સ્થિતિ ઊભી થઇ હતી..વરસાદ ની રાહે કરછીઓએ મુશ્કેલી વચ્ચે ખેતી-પશુઓને બચાવ્યા પરંતુ હવે જો વરસાદ નહી પડે તો લીલાચારાના દુકાળ સાથે કરછમાં ગંભીર સ્થિતિ નું નિમાર્ણ થશે....


બાઈટ------ અરજણભાઈ પિંડોરિયા
ખેડૂત--- સંચાલક ગૌશાળા


Conclusion:
Last Updated : Jul 19, 2019, 1:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.