ETV Bharat / state

કચ્છના આદિપુરમા લગ્નપ્રસંગે રાંધણગેસના બાટલામા બ્લાસ્ટ, 7 લોકો ઈજાગ્રસ્ત

author img

By

Published : Feb 17, 2020, 8:47 PM IST

આદિપુરમાં લગ્ન પ્રસંગે જમણવાર દરમિયાન રાંધણ ગેસના બાટલામાં બ્લાસ્ટ થયો હતો. જેમાં 7 લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને 4 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સારવાર દરમિયાન 2 લોકોના મોત થયાની વિગતો જાણવા મળી રહી છે.

aa
કચ્છઃ આદિપુરમા લગ્નપ્રસંગે રાંધણગેસના બાટલામા બ્લાસ્ટ, 7 લોકો ઈજાગ્રસ્ત 4 લોકોને ગંભીર ઈજાઓ

કચ્છઃ આદિપુરમાં લગ્ન પ્રસંગે જમણવાર દરમિયાન રાંધણ ગેસના બાટલામાં બ્લાસ્ટ થયો હતો. મળતી વિગતો મુજબ આદિપુરના લચ્છવાણી ધર્મશાળા નજીક લગ્ન પ્રસંગે જમણવારનું આયોજન કરાયું હતું. જેમાં ભોજન બનાવતી વખતે અચાનક રાંધણ ગેસના બાટલામાં બ્લાસ્ટ થવાથી આ સમગ્ર ઘટના બની હતી. જેમાં 7 લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને 4 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

કચ્છઃ આદિપુરમા લગ્નપ્રસંગે રાંધણગેસના બાટલામા બ્લાસ્ટ, 7 લોકો ઈજાગ્રસ્ત 4 લોકોને ગંભીર ઈજાઓ

રાંધણગેસના બોટલમાં બ્લાસ્ટ થતાં અફરાતફરી મચી ગઈ હતી. જેમાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ સારવાર દરમિયાન 2 લોકોનાના મોત થયાની વિગતો સામે આવી છે, પરંતુ મોતની વિગતોની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.