ETV Bharat / state

માર્ગદર્શન સાથે સુર્યગ્રહણના દર્શન કરાવતા લોકોમાં આનંદ આનંદ

author img

By

Published : Oct 26, 2022, 11:28 AM IST

Updated : Oct 26, 2022, 12:36 PM IST

ભુજમાં લોકો માટે ખંડગ્રાસ સુર્યગ્રહણના (khagras surya grahan in Bhuj) દર્શને લઈને હિલ ગાર્ડન પર આયોજન કરવામાં આવ્યું હતું. લોકોને માટે ટેલીસ્કોપ ગોઠવી તજજ્ઞોની હાજરી અને માર્ગદર્શન (Bhuj Star gazing India) ખંડગ્રાસ સૂર્યગ્રહણ દર્શન કરાવવામાં આવ્યા હતા. જેને લઈને લોકોએ આનંદ વ્યક્ત કર્યો હતો. (Bhuj Hill Garden surya grahan Organized)

માર્ગદર્શન સાથે સુર્યગ્રહણના દર્શન કરાવતા લોકોમાં આનંદ આનંદ
માર્ગદર્શન સાથે સુર્યગ્રહણના દર્શન કરાવતા લોકોમાં આનંદ આનંદ

કચ્છ સ્ટાર ગેઝિંગ ઇન્ડિયા અને રોટરી કલબ ભુજ દ્વારા ખંડગ્રાસ સૂર્યગ્રહણ (khagras surya grahan in Bhuj) દર્શને લઈને સાંજે 4 વાગ્યાથી સૂર્યાસ્ત સમય સુધી હિલ ગાર્ડન પર આયોજન કરવામાં આવ્યું હતું. ખંડગ્રાસ સૂર્યગ્રહનના અવલોકન માટે સ્ટાર ગેઝિંગ ઇન્ડિયા દ્વારા યોગ્ય સુરક્ષિત પદ્ધતિઓ દ્વારા તેમજ ટેલિસ્કોપ ગોઠવી તજજ્ઞોની હાજરી અને માર્ગદર્શન સાથે ખંડગ્રાસ સૂર્યગ્રહણ દર્શન લોકોને કરાવવામાં આવ્યા હતા.(Bhuj Star gazing India)

માર્ગદર્શન સાથે સુર્યગ્રહણના દર્શન કરાવતા લોકોમાં આનંદ આનંદ

ટેલિસ્કોપ ગોઠવી માર્ગદર્શન સાથે દર્શન સ્ટાર ગેજીંગ ઇન્ડીયાના નરેન્દ્ર ગોરે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં ગ્રહણ વિશેની વૈજ્ઞાનિક માહિતી, સુર્યગ્રહણનું પ્રત્યક્ષ નિદર્શન, પ્રોજેકશન, તેમજ ફોટોગ્રાફી ખગોળનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ જેવી ખગોળીય ઘટનાઓ આકાશની અંદર અવારનવાર બનતી હોય છે. આ ખગોળીય ઘટનાઓનો આનંદ લેવા જેવો હોય છે. તેની સાથે સાથે વિજ્ઞાનને સમજવા જેવું હોય છે એને બદલે થાય છે એવું કે આપણી અંદર કેટલીક એવી અંધશ્રદ્ધા હોય છે. કેટલી ખોટી ગેરમાન્યતા હોય છે. જેને કારણે આવી એક કુદરતની સુંદર છે લીલા છે એનો જે લ્હાવો લેવાનો હોય છે તે આપણે ચુકી જતા હોઈએ છીએ. આ વર્ષનો છેલ્લો દિવસ છે અને છેલ્લા દિવસે ખંડગ્રાસ સૂર્યગ્રહણ ઘટના બની છે. (khagras surya grahan 2022)

સુર્યગ્રહણ
સુર્યગ્રહણ

લોકો સૂર્યગ્રહણ અંગે ગેરસમજ વધુમાં નરેન્દ્ર ગોરે જણાવ્યું હતું કે ઉલ્કા વર્ષા, ચંદ્ર ગ્રહણ, સૂર્યગ્રહણ થતું હોય છે, ત્યારે અથવા તો કોઈ ગ્રહોની યુતિ થતી હોય છે, ત્યારે લોકોમાં નકારાત્મક મેસેજની વૃત્તિના કારણે ગેરસમજ ફેલાતી હોય છે. અનેક લોકો છે જે ગ્રહો અને ગ્રહણ વિશે ગેરસમજ ફેલાવી ભય ઉત્પન્ન કરતા હોય છે અને અંધશ્રધ્ધા ફેલાવતા હોય છે. જો બાળકો અત્યારથી ખગોળને જાણે તો તેની અંદર વૈજ્ઞાનિક અભિગમ પેદા થાય છે. ઉપરાંત વર્ષ 2031 પહેલાં આ પ્રકારનો સૂર્યગ્રહણ જોવા મળશે નહીં. (Bhuj Hill Garden surya grahan Organized)

ખરેખર શું છે સૂર્યગ્રહણ? ચંદ્ર છે એ સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જાય છે, ત્યારે ચંદ્રનો પડછાયો પૃથ્વી ઉપર પડે છે અને એટલા માટે સૂર્ય ગ્રહણ થાય છે એટલે આપણે એમ કહી શકીએ કે ગ્રહણ એ ફક્ત એક પડછાયાની રમત છે. બીજું કશું જ નથી. તો આ વિશે લોકોને વૈજ્ઞાનિક જાણકારી મળે લોકો સાચી રીતે વિચારતા થાય અને ખાસ કરીને બાળકો છે કે જેને ખગોળમાં રસ છે. એસ્ટ્રોનોમિકલ ક્ષેત્રે પોતાની રુચિ વધારે કેળવે અને આ ક્ષેત્રે પોતાનું ભવિષ્ય બનાવે કારકિર્દી બનાવે. કારણ કે આજે ઈસરો નાસાની સમકક્ષ થઈ રહ્યો છે. આપણે અવકાશની અંદર પણ ઘણા બધા સેટેલાઈટ છોડી રહ્યા છે અને થોડા સમયની અંદર ભારતીય પણ અવકાશની અંદર જવાની તૈયારી કરી રહ્યા છે. તો આ ક્ષેત્રની ખૂબ જ વિશાળ તક યુવા વર્ગને માટે છે ભવિષ્યના નાગરિકો માટે છે. માટે અત્યારથી જો એ લોકોની અંદર આપણે વૈજ્ઞાનિક માનસ તૈયાર કરીએ તો આપણી જે આવતી સદી છે. જેને આપણે કહી શકીએ ભારતની સદી માટેનું એક પગથિયું છે. (moongrass solar eclipse in gujarat)

સ્થાનિકોનું શું કહેવું છે સ્થાનિક નિખિલ કુમાર સોનીએ જણાવ્યું હતું કે, ઘણા સમય પછી કોઈ ખગોળીય ઘટના વિશે આટલી વિસ્તૃત માહિતી આપવાની ન્યુઝ મળ્યા અમને. અનુભૂતિની વાત કરવામાં આવે તો આ અંગે પરિકલ્પના પણ ન કરી શકાય. કારણ કે આ ખૂબ અદભૂત ઘટના છે. પૃથ્વી ઉપરની કે સૂરજને ભર દિવસે અંધારું કરી શકતું હોય એ ચંદ્ર છે. સાયન્ટિફિક રૂલ્સ અને રેગ્યુલેશનના લીધે આ બધું થાય છે. ખગોળીય ઘટના છે. ભુજમાં યંગ જનરેશનને, વિદ્યાર્થીઓને તેમજ આપણે ઓપન કમ્યુનિટી માટે બધા લોકો માટે એક આયોજન કરેલું છે. જે આપણે બધા સૂર્યગ્રહણને જોઈ શકાતું નથી. ઘણી બધી વસ્તુઓ જોઈતી હોય છે. આના અવલોકન માટે અને આજે નિરીક્ષણ કરીને આનંદ થયો. khagras surya grahan time, Bhuj Star gazing India Organized surya grahan

Last Updated :Oct 26, 2022, 12:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.