ETV Bharat / state

બોર્ડર આઉટ પોસ્ટ પર હજારો તિરંગાનું કરાયું વિતરણ

author img

By

Published : Aug 12, 2022, 2:25 PM IST

Updated : Aug 13, 2022, 9:38 AM IST

બોર્ડર આઉટ પોસ્ટ પર હજારો તિરંગાનું કરાયું વિતરણ
બોર્ડર આઉટ પોસ્ટ પર હજારો તિરંગાનું કરાયું વિતરણ

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત Azadi ka Amrit Mohotsav વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હર ઘર તિરંગા Har Ghar Tricolor અભિયાનનાં આહવાનને દેશભરમાં રાષ્ટ્રચેતના સાથે સારો પ્રતિસાદ સાંપડ્યો છે. જેને લઈને કચ્છની સરહદની તમામ આઉટ પોસ્ટ પર તિરંગો લહેરાવવા હજારો રાષ્ટ્રધ્વજ (national flag) વિતરણ કરવામાં આવ્યા હતા.

કચ્છ આગામી 15મી ઓગસ્ટે રાષ્ટ્ર તેમનું સ્વતંત્ર પર્વ (Azadi ka Amrit Mohotsav) મનાવવા જઈ રહ્યું છે, ત્યારે હર ઘર તિરંગા (Har Ghar Tricolor) અભિયાન શરૂ થયું છે. આ અભિયાન અંતર્ગત પ્રત્યેક વ્યક્તિ રાષ્ટ્ર પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરે તે માટે તિરંગા અભિયાન શરૂ કરાયું છે. દેશ આખો આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના રંગે રંગાઈ રહ્યો છે. જનજનમાં આઝાદીના આ અમૃત મહોત્સવની ઉજવણીનો થનગનાટ વ્યાપી ચુક્યો છે, ત્યારે કચ્છ લોકસભા પરિવાર દ્વારા પણ હર ઘર તિરંગા અભિયાન 13મીથી 15 ઓગસ્ટ સુધી ઉજવવામાં આવશે.

બોર્ડર આઉટ પોસ્ટ પર હજારો તિરંગાનું કરાયું વિતરણ

7500 તિરંગાનું કરાયું વિતરણ કચ્છ સાંસદ તેમજ પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે, હર ભારતવાસીમાં દેશ ભક્તિ જગાવવા અને રાષ્ટ્રધ્વજ વિશે નાગરિકોમાં જાગૃતિ આવે, દેશની આન-બાન-શાન અને સ્વાભિમાન જળવાય તેવા હેતુ સભર કાર્યક્રમો કચ્છભરમાં આયોજીત છે. 75માં વર્ષની ઉજવણી સંદર્ભે કચ્છ લોકસભા પરિવાર અને સમાજ નવ નિર્માણ દ્વારા કચ્છની સરહદે 7500 તિરંગા - રાષ્ટ્રધ્વજ BSF કમાન્ડર સંજય કુમાર શ્રીવાસ્તવની ઉપસ્થિતિમાં દરેક આઉટ પોસ્ટ ઉપર તિરંગા લહેરાવવા વિતરણ કરવામાં આવ્યા હતા.

આઝાદી કા અમૃત મહોત્સવ
આઝાદી કા અમૃત મહોત્સવ

આ પણ વાંચો : શ્રીનગરના દાલ તળાવમાં તિરંગા શિકારા રેલીનું કરાયું આયોજન

આઉટ પોસ્ટ પર તિરંગા આજે જિલ્લા મથક ભુજ ખાતેથી 75 વાહનો સાથે 300થી વધુ કાર્યકરો- શુભેચ્છકો તેમજ જનપ્રતિનિધિઓ (national flag) બોર્ડર પર જવા રવાના થયા હતા. કચ્છની વાઘા કોટ બોર્ડર પર પહોંચી BSF કમાન્ડર સંજય કુમાર શ્રીવાસ્તવની ઉપસ્થિતિમાં દરેક આઉટ પોસ્ટ ઉપર તિરંગો (Distribution national flag in Gujarat) લહેરાવવા માટે વિતરણ કરવામાં આવ્યું હતું.

હર ઘર તિરંગા
હર ઘર તિરંગા

આ પણ વાંચો : રક્ષાબંધન નિમિતે વડાપ્રધાન મોદીને બહેનોએ બાંધી રક્ષાપોટલી

જનપ્રતિનિધિઓ, કાર્યકરો ઉપસ્થિત આ કાર્યક્રમમાં ગુજરાત (Tricolor distribution in Kutch) વિધાનસભા અધ્યક્ષ ડો. નીમા આચાર્ય, કચ્છ જિલ્લા ભાજપના અધ્યક્ષ કેશુ પટેલ, જિલ્લા પંચાયત અધ્યક્ષ પારૂલબેન કારા, અંજાર મતવિસ્તાર ધારાસભ્ય વાસણ આહીર, માંડવી - મુન્દ્રા મતવિસ્તાર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, અબડાસા મતવિસ્તાર ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, ગાંધીધામ મતવિસ્તાર ધારાસભ્ય માલતી મહેશ્વરી તેમજ કચ્છના જનપ્રતિનિધિઓ, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Last Updated :Aug 13, 2022, 9:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.