જિલ્લા કાનુની સેવા મંડળના ન્યાયાધિશ બી.એન. પટેલે ઉપસ્થિત સૌ કોઈને સમાજમાં પોતાની જવાબદારી નિભાવવાની હાકલ કરીને ખાસ કરીને વિધાર્થીઓ સમાજમાં અને પોતાના કુટુંબમાં વ્યસન મુકિત માટે કઈ રીતે મદદરૂપ થઈ શકે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. તો જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એ.પી. રોહાડિયાએ સમાજમાં કઈ રીતે વ્યસન બદી બની ગયું છે,અને સમાજ એકસાથે કઈ રીતે વ્યસન મુકિત પર કામ કરી શકે. સમાજમાંથી વ્યસન મુકિત માટે થતા પ્રયાસો અને તેની સફળતા વિશે જણાવ્યુ હતું.
નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલે વિધાર્થીઓને ડ્રગ્સ વિરોધી કાયદા અને પોલીસ સહિતના વિભાગો તરફથી કડક કાર્યવાહી વિશે જણાવ્યું હતું. નશાબંધી અને આબકારી વિભાગ તરફથી કે.એન ભોજકે સૌ કોઈને આવકાર્યા હતા અને આભારવિધી કરી હતી. પી.આઈ એમ. જે જલુ,નશાબંધી પીઆઈ એસ.વી.પટ્ટણી. શાળાના આચાર્ચ શ્રી પાઠક ઉપસ્થિત રહયા હતા.