ETV Bharat / state

Calf Assistance Scheme: વાછરડી જન્મે તો પશુપાલકોને 3000 રૂપિયાની સહાય

author img

By

Published : Jul 10, 2021, 5:30 PM IST

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રાજ્યના પશુપાલકો માટે પશુપાલન ખાતાની વિવિધ યોજનાઓ (Animal Husbandry) દર વર્ષે અમલમાં હોય છે અને આ યોજનાઓ પૈકી એક યોજના વાછરડી સહાય યોજનાનો ( Calf Assistance Scheme ) પશુપાલકો બહોળો લાભ લઇ રહ્યા છે. આ યોજના જાણે કચ્છના પશુપાલકો માટે જ બનાવવામાં આવી હોય તેવું પણ કહી શકાય.

Calf Assistance Scheme: વાછરડી જન્મે તો પશુપાલકોને 3000 રૂપિયાની સહાય
Calf Assistance Scheme: વાછરડી જન્મે તો પશુપાલકોને 3000 રૂપિયાની સહાય

  • પશુપાલકો શુદ્ધ સંવર્ધન તરફ વળે તે માટે ખાસ વાછરડી સહાય યોજના અમલમાં મૂકવામાં આવી
  • ( Calf Assistance Scheme ) વાછરડીનો જન્મ થાય તો પશુપાલકને 3000 રુપિયાની સહાય
  • કચ્છ જિલ્લામાં 130 જેટલા પશુપાલકોને વાછરડી સહાય યોજનાનો લાભ મળશે

કચ્છઃ જિલ્લામાં મોટી સંખ્યામાં પશુપાલકો પશુપાલનનો વ્યવસાય (Animal Husbandry) કરી રહ્યા છે અને કચ્છ જિલ્લામાં સૌથી વધુ પશુધન આવેલું છે. વાછરડી સહાય યોજના ( Calf Assistance Scheme ) અંતર્ગત જો પશુપાલક પાસે દેશી ઓલાદની ગાય હોય અને તેમાં પણ શુદ્ધ બીજદાન કરવામાં આવે જેનાથી શુદ્ધ સંવર્ધન દ્વારા વાછરડીનો જન્મ થાય તો એ વાછરડી માટે 3000 રુપિયાની સહાય પશુપાલકને આપવામાં આવે છે.

Calf Assistance Scheme યોજનાનો લાભ લેવા કૃત્રિમ બીજદાન કરાવવું અનિવાર્ય
પશુપાલકો ખાસ કરીને શુદ્ધ સંવર્ધન તરફ વળે તે માટે ખાસ આ યોજના ( Calf Assistance Scheme ) અમલમાં મુકવામાં આવી છે. વાછરડી સહાય યોજના માટેની શરત એ છે કે પશુપાલક પાસે જે ગાય છે તે દેશી ગાય હોવી જોઈએ. આમ તો કચ્છમાં દરેક જગ્યાએ કાંકરેજ ગાયો તો છે જ એટલે કે દેશી ગાયો છે જ માટે પશુપાલકોને તેમાં કૃત્રિમ બીજદાન કરાવવાનું થાય અને આ કૃત્રિમ બીજદાન માટે કચ્છ જિલ્લામાં જિલ્લા પંચાયત, DMFની યોજના અને ઘનિષ્ઠ પશુસુધારણા યોજનામાં કેન્દ્રો ચાલુ છે.

શુદ્ધ સંવર્ધન બાદ વાછરડી જન્મે તો પશુપાલક Calf Assistance Scheme માટે હકદાર
બીજદાન કરતી વખતે શુદ્ધ સંવર્ધન થાય તે જરૂરી છે જેમાં કાંકરેજ ગાયનું જ બીજ મૂકવાનું હોય છે અને આ પ્રક્રિયા કર્યા પછી જ્યારે વાછરડી જન્મે છે ત્યારે પશુપાલકો આ વાછરડી સહાય યોજનામાં ( Calf Assistance Scheme ) અરજી કરવા માટે હકદાર બને છે.

યોજનાનો લાભ લેવા કૃત્રિમ બીજદાન કરાવવું અનિવાર્ય
વાછરડી સહાય યોજનાનો લાભ લેવા પશુપાલકોએ આઇ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની હોય છેઆ વાછરડી સહાય યોજનાનો ( Calf Assistance Scheme ) લાભ લેવા માટે પશુપાલકોએ આઇ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાની હોય છે ગત વર્ષે જે પશુપાલકે બીજદાન કરેલ હોય અને ચાલુ વર્ષે વાછરડી જન્મી હોય એવા પશુપાલકો આ યોજના માટે અરજી કરીને 3000 રૂપિયાની સહાયનો લાભ લઇ શકે છે.જાણો શું કહ્યું પશુપાલન અધિકારીએ?કચ્છ જિલ્લામાં દર વર્ષે આ વાછરડી સહાય યોજના ( Calf Assistance Scheme ) અંતર્ગત 130 જેટલા પશુપાલકોને લાભ આપવાનો લક્ષ્યાંક હોય છે ચાલુ વર્ષે પણ 100 થી 130 પશુપાલકોને આ યોજનાનો લાભ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.જે રીતે બેટી બચાવો યોજના હાલમાં કાર્યરત છે તે જ રીતે વાછરડીઓ માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ પણ વાંચોઃ કચ્છના ખેડૂતો માટે આનંદો...જિલ્લાને મળશે નર્મદાનું વધારાનું 1 મિલિયન એકર ફીટ પાણી

આ પણ વાંચોઃ Ear tag: પશુઓના આધારકાર્ડ દ્વારા પશુઓની વિગતો મેળવી શકાશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.