ETV Bharat / state

Kutch news: કચ્છના અંતિમ રાજવીના પ્રાગમહલ ખાતે 450 કિલો પ્રતિમાનું કર્યું અનાવરણ, જાણો શું છે ખાસિયતો

author img

By

Published : May 4, 2023, 11:07 PM IST

કચ્છના અંતિમ રાજા મહારાવ પ્રાગમલજી ત્રીજાની તિથિ મુજબની આજે જન્મ જયંતિ છે ત્યારે દરબારગઢ ખાતે આવેલા પ્રાગમહલના આંગણામાં રાજાની 8 ફૂટ ઊંચી અને 450 કિલોની કાંસ્યની મૂર્તિનું આજે અનાવરણ કરવામાં આવ્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી બનાવવા માટે જે સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે સામગ્રીથી આ મૂર્તિ બનાવવામાં આવી છે. જેનું આયુષ્ય 500 વર્ષ જેટલું છે.

450-kg-statue-unveiled-at-pragamhal-of-last-royal-of-kutch
450-kg-statue-unveiled-at-pragamhal-of-last-royal-of-kutch

કચ્છના અંતિમ રાજવીના પ્રાગમહલ ખાતે પ્રતિમાનું અનાવરણ

કચ્છ: ભુજના દરબારગઢ ખાતે આવેલ 5 સદી પુરાણા પ્રાગ મહલ ખાતે કચ્છના અંતિમ રાજા પ્રાગમલજી ત્રીજાની જન્મજયંતિ નિમિતે તેમની મૂર્તિનું મહારાણી પ્રિતિદેવિના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું. સાથે જ 500 વર્ષ જૂના રાણીવાસનું જે પુનઃસ્થાપન કરવામાં આવી રહ્યું છે તેના પ્રથમ ચરણને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. પ્રાગ મહલના પટાંગણમાં રાજાની 8 ફૂટ ઊંચી, 3.5 ફૂટ પહોળી અને 2 ફૂટ લંબાઈની મૂર્તિ આજે સ્થાપિત કરવામાં આવી છે.

કચ્છના અંતિમ રાજા મહારાવ પ્રાગમલજી ત્રીજાની તિથિ મુજબની આજે જન્મ જયંતિ
કચ્છના અંતિમ રાજા મહારાવ પ્રાગમલજી ત્રીજાની તિથિ મુજબની આજે જન્મ જયંતિ

પ્રતિમાની ખાસિયત: મહારાવ પ્રાગમલજી ત્રીજાની આ કાંસ્યની મૂર્તિ મૂળ કચ્છના અને હાલ વડોદરા ખાતે શિલ્પકાર તરીકે પોતાની કલાકારી કરતા રુદ્ર ઠાકર દ્વારા બનાવવામાં આવી છે. આ મૂર્તિ અંગે માહિતી આપતા શિલ્પકારએ જણાવ્યું હતું કે આ મૂર્તિની ખાસિયતની વાત કરવામાં આવે તો આ મૂર્તિની વજન 450 કિલો જેટલું છે અને ખાસ કરીને તેનું આયુષ્ય છે તે 500 વર્ષ જેટલું છે. જેમ આ મૂર્તિને ખુલ્લામાં મૂકવામાં આવશે તેમ તેની શોભા વધશે અને આયુષ્ય વધશે. આ મૂર્તિને બનાવતા 3 મહિના જેટલો સમય લાગ્યો હતો. આ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સ્ટેચ્યુ ઓફ લિબર્ટીમાં વપરાયેલ મટીરીયલ માંથી બનાવવામાં એવું છે જેને કોઈ પણ વાતાવરણમાં નુકસાની નહીં થાય. આ અગાઉ પણ શિલ્પકાર રુદ્ર દ્વારા મહારાવના નિવાસ્થાને તેમની મૂર્તિ બનાવવામાં આવી હતી તો ભુજના આશાપુરા મંદિરમાં પણ એક યંત્ર તેના દ્વારા બનાવવામાં આવ્યું છે.

450 કિલો પ્રતિમાનું કર્યું અનાવરણ
450 કિલો પ્રતિમાનું કર્યું અનાવરણ

મહારાવની ત્રીજી પ્રતિમાનું અનાવરણ: દેવપર ઠાકોર રાજકુંવર કૃતાર્થસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, 'આજે નરસિંહ જયંતિ છે અને મહારાવ પ્રાગમલજી ત્રીજાનો આજે તિથિ મુજબ જન્મદિવસ હતો અને જન્મદિવસના દિવસે 3જી મે 2021ના મહારાવને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. 25 દિવસ તેઓ હોસ્પિટલમાં હતા. મહારાણી સાહેબે નિર્ણય લીધો કે મહારાવે જે કામ કચ્છ માટે કર્યા છે તેના માટે એમની એક પ્રતિમા બધી જગ્યાએ હોવી જોઈએ. સૌથી પહેલી પ્રતિમા રણજીત વિલાસમાં નરસિંહ જયંતિ 2022માં સ્થાપિત કરવામાં આવી. આજે 2023 માં દરબારગઢ ચોકમાં તેનું અનાવરણ કરવામાં આવ્યું છે. ઉપરાંત જન્માષ્ટમી 2023 ના વિજયરાજ બાવાનો જન્મદિવસ છે ત્યારે માંડવીના વિજ્યરાજ પેલેસ ખાતે પ્રાગમલજી ત્રીજા અને વિજયરાજ બાવાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે.

આજના મુખ્ય સમાચાર

Kiran patel case: મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલના શરતી જામીન મંજુર

Surat News : 2500 કરોડ ટર્ન ઓવરવાળી એપીએમસીનો વહીવટ કરશે સંદીપ દેસાઈ, નવા ચેરમેન તરીકે નિયુક્ત થયાં

પ્રથમ ચરણને ખુલ્લું મુકાયું: ઉલ્લેખનીય છે કે 2001માં આવેલા ગોઝારા ભૂકંપમાં અનેક ઐતિહાસિક ઇમારતો જર્જરિત થઈ હતી. આવી જર્જરિત ઈમારતોને ફરીથી તેના મૂળ સ્થાપત્ય સુધી લઈ જવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. 500 વર્ષ જૂના દરબારગઢમાં રાણીવાસનું કોઈ પણ જાતના સિમેન્ટના ઉપયોગ કર્યા વગર પુનઃસ્થાપન કરવામાં આવી રહ્યું છે અને એનું પણ સમારકામ મહારાણી સાહેબના આશીર્વાદથી શરૂ કરવામાં આવ્યું છે. જેનું પ્રથમ ચરણ પૂર્ણ થતા તેને આજે ખુલ્લું મૂકવામાં આવ્યાં હતું.

આર્કિટેકચર કન્સ્ટ્રક્શન ટેકનોલોજી અંતગર્ત પુન:સ્થાપન: પ્રાગમહલ દરબારગઢના કંઝર્વેશન આર્કિટેક શ્રીરાજસિંહ ગોહિલે ETV Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, 'મહારાવ પ્રાગમલજી ત્રીજા અને મહારાણીનું સપનું હતું કે દરબારગઢનું પ્રાગમહલ અગાઉ જેવું હતું તેવું ફરીથી સ્થાપિત કરવામાં આવે. અગાઉ અહીં જેવું ગાર્ડન હતું તેવું ગાર્ડન અહીઁ ઉભુ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત રાણીવાસનું પુન: સ્થાપન કરવામાં આવી રહ્યું છે. પહેલા જુના સમયમાં જે આર્કિટેકચર કન્સ્ટ્રક્શન ટેકનોલોજી હતી એ જ ટેકનોલોજી સમજી શીખીને પહેલા જે પત્થરો ઉપયોગમાં લેવાય હતા. તેના ઉપયોગથી જ પુન:સ્થાપન કરી રહ્યા છીએ. બીજા ચરણમાં રિસ્ટોરેશનની પ્રક્રિયા મોટા આર્કિટેક રવીન્દ્ર વસાવડાના માર્ગદર્શનમાં કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.