ETV Bharat / state

આજે ગૌરીવ્રતની પૂર્ણાહુતિ, બાળાઓએ શ્રદ્ધાપૂર્વક જવારાને નદી-તળાવમાં વહાવ્યાં

author img

By

Published : Jul 19, 2019, 5:16 PM IST

ખેડાઃ કુંવારી કન્યાઓએ ગૌરીવ્રતની ભક્તિભાવપૂર્વક ઉજવણી કર્યા બાદ આજે શ્રદ્ધાપૂર્વક જવારાને નદી-તળાવમાં વળાવી વ્રતની પૂર્ણાહૂતી કરી હતી. વહેલી સવારથી જ ડાકોરના ગોમતીઘાટ પર મેળા જેવો માહોલ સર્જાયો હતો. સાથે જ વ્રત કરનારી બાળાઓમાં ખુશીનો ભાવ જોવા મળ્યો હતો.

ગૌરીવ્રતની પૂર્ણાહુતિ

પાંચ દિવસના વ્રત દરમિયાન જિલ્લામાં આવેલ વિવિધ શિવાલયોમાં કુંવારી કન્યાઓ અને યુવતીઓએ ગૌરીવ્રત રાખી શ્રદ્ધાપૂર્વક પૂજા-અર્ચના કરી ઉત્તમ જીવનસાથી મળે તેવી પ્રાર્થના કરી હતી. આ વ્રતમાં શિવલિંગ પર દૂધ, જળ, બીલીપત્ર, પુષ્પ સહિતનો અભિષેક કર્યો હતો.

શાસ્ત્રોમાં વર્ણવ્યા પ્રમાણે, આ વ્રત માતા પાર્વતીએ શિવજીને પામવા કર્યુ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નાની બાળાઓ જવારા ઉગાડીને પૂજન-અર્ચન કરે છે. જ્યારે મોટી કુંવારિકાઓ શિવમંદિરમાં જઈને દૂધ-જળનો અભિષેક કરે છે. આ વ્રતમાં પાંચ દિવસ મીઠા વગરના સુકા મેવા અને મોળી વસ્તુઓ ખાઇને ઉપવાસ કરવાનું હોય છે. જે વ્રત ગઈકાલે જાગરણ કરી પૂર્ણ થતાં આજે ઉપવાસ પુરા કર્યા હતા.

આજે ગૌરીવ્રતની પૂર્ણાહુતિ

ખેડા જીલ્લામાં વિવિધ સ્થળો સહીત યાત્રાધામ ડાકોરમાં ગૌરીવ્રત કરેલ બાળાઓએ વહેલી સવારથી જ આજે પવિત્ર ગોમતીજીમાં પોતાના ગૌરીમાતાને વળાવ્યાં હતા જેથી ડાકોરના ગોમતીઘાટ પર મેળા જેવું વાતાવરણ સર્જાયું હતું. સેવાભાવી સંસ્થાઓ તેમજ વ્યક્તિઓ દ્વારા વ્રત કરેલી બાળાઓ માટે વિનામૂલ્યે અલગ-અલગ નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Intro:ગૌરી વ્રતની પુર્ણાહુતી થતા ભક્તિભાવપૂર્ણ વ્રતની ઉજવણી કર્યા બાદ આજે બાલિકાઓ દ્વારા શ્રદ્ધાપૂર્વક જવારાને નદી તળાવોમાં વળાવવામાં આવ્યા હતા.વહેલી સવારથી ડાકોરના ગોમતીઘાટ પર મેળા જેવો માહોલ સર્જાયો હતો.વ્રત કરનાર બાળાઓમાં ખુશીનો ભાવ જોવા મળ્યો.Body:પાંચ દિવસ દરમ્યાન જીલ્લામાં આવેલા વિવિધ શિવાલયોમાં કુંવારીકા બાલિકા અને યુવતીઓએ ગૌરીવ્રત રાખી શ્રદ્ધાપૂર્વક પૂજન અર્ચન કરી સારો અને ઉત્તમ જીવનસાથી મળે તેવી પ્રાર્થના કરી હતી.આ વ્રતમાં શિવલીંગ પર દૂધ,જળ, બીલીપત્ર,પુષ્પ સહિતનો અભિષેક કર્યો હતો.
શાસ્રોમાં આ વ્રત માતા પાર્વતીએ શિવજીને પામવા કર્યુ હોવાનો ઉલ્લેખ હોવાથી આ વ્રતનો વિશેષ મહિમા છે.નાની બાળાઓ જ્વારા ઉગાડીને પૂજન-અર્ચન કરે છે.જયારે મોટી કુંવારિકાઓ શિવમંદિરમાં જઈને દૂધ-જળનો અભિષેક કરે છે.આ વ્રતમાં પાંચ દિવસ મીઠા વગરના સુકા મેવા સહિતની વસ્તુઓ ખાઇને ઉપવાસ કરવાના હોય છે.જે વ્રત ગઈકાલે જાગરણ કરી પૂર્ણ થતા આજે ઉપવાસ પુરા કર્યા હતા. ખેડા જીલ્લામાં વિવિધ સ્થળો સહીત યાત્રાધામ ડાકોરમાં ગૌરીવ્રત કરેલ બાળાઓએ વહેલી સવારથી જ આજે પવિત્ર ગોમતીજીમાં પોતાના ગૌરીમાતાને વરાવ્યાં હતા.ડાકોરના ગોમતીઘાટ પર મેળા જેવું વાતાવરણ સર્જાયું હતું.સેવાભાવી સંસ્થાઓ તેમજ વ્યક્તિઓ દ્વારા વ્રત કરેલી બાળાઓ માટે વિનામૂલ્યે અલગઅલગ નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું.પાંચ દિવસના ઉપવાસ બાદ વ્રત કરનાર બાળાઓમાં ખુશીનો ભાવ જોવા મળ્યો હતો.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.