ETV Bharat / state

ખેડાના ફાગવેલમાં રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ કાર્યક્રમ યોજાયો

author img

By

Published : Jan 27, 2021, 11:10 PM IST

ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના યાત્રાધામ ફાગવેલ ખાતે રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નીધિ સમર્પણ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ક્ષત્રિય સમાજમાંથી વ્યાપક પ્રતિસાદ મળે તે માટે આહવાન કરવામાં આવ્યું હતું.

ખેડાના ફાગવેલમાં રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ કાર્યક્રમ યોજાયો
ખેડાના ફાગવેલમાં રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ કાર્યક્રમ યોજાયો

  • કઠલાલના ફાગવેલ ભાથીજી મંદિર પાસે યોજાયો કાર્યક્રમ
  • રામ જન્મભૂમિ નિધિ અંતર્ગત ક્ષત્રિય સમાજને આહવાન કરાયું
  • કલાકાર વિક્રમ ઠાકોર સહિત સંતો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા

ખેડાઃ જિલ્લાના કઠલાલ તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ ફાગવેલમાં ક્ષત્રિય વીર ભાથીજી મંદિર પાસે રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ક્ષત્રિય સમાજ દ્વારા રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાનમાં જોડાય અને ક્ષત્રિય સમાજમાંથી રામ મંદિર નિર્માણમાં વ્યાપક અને ખૂબ જ સારો પ્રતિસાદ મળે તે માટે ક્ષત્રિય સમાજને આહવાન કરવામાં આવ્યું હતું.

ખેડાના ફાગવેલમાં રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ કાર્યક્રમ યોજાયો
ખેડાના ફાગવેલમાં રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ કાર્યક્રમ યોજાયો

કલાકાર વિક્રમ ઠાકોર સહિત સંતો અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં
આ પ્રસંગે સંતો, ગુજરાતી ફિલ્મ કલાકાર વિક્રમ ઠાકોર, ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અર્જુન સિંહ ચૌહાણ સહિત અગ્રણીઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ખેડાના ફાગવેલમાં રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ કાર્યક્રમ યોજાયો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.