ETV Bharat / state

Dakor Darshan Time: ડાકોર ખાતે પૂનમ નિમિત્તે દર્શનના સમયમાં વધારા સાથે ફેરફાર કરવામાં આવ્યો

author img

By

Published : Apr 15, 2022, 7:31 PM IST

ડાકોર ખાતે પૂનમ નિમિત્તે દર્શનના સમયમાં વધારા સાથે ફેરફાર કરવામાં આવ્યો
ડાકોર ખાતે પૂનમ નિમિત્તે દર્શનના સમયમાં વધારા સાથે ફેરફાર કરવામાં આવ્યો

ડાકોર ખાતે રણછોડરાયજી મંદિરના દર્શનના સમય (Dakor Darshan Time)માં પૂનમ નિમિત્તે ફેરફાર કરવામાં આવ્યો છે. પૂનમે ભાવિકો મોટી સંખ્યામાં દર્શને આવતા હોઈ ટેમ્પલ કમિટી દ્વારા દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

ખેડા: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે રણછોડરાયજી મંદિર (dakor ranchhodraiji mandir)ના દર્શનના સમયમાં (Dakor Darshan Time) પૂનમ નિમિત્તે વધારો કરવા સાથે ફેરફાર કરવામાં આવ્યો છે. 16 એપ્રિલ શનિવારના રોજ પૂનમ (dakor poonam darshan time)નિમિત્તે સવારે 4:45 વાગ્યે મંદિર ખુલશે અને 5:00 વાગ્યે મંગળા આરતી (dakor mangala aarti time) થશે. સુપ્રસિદ્ધ ડાકોર રણછોડરાયજી મંદિરમાં 16 એપ્રિલ શનિવારના રોજ પુનમ નિમિત્તે રાજાધિરાજના દર્શનનો સમય નીચે મુજબ રહેશે.

1:30થી 2:00 વાગ્યા સુધી દર્શ બંધ રહેશે- સવારે 5:00થી 7:30 સુધી મંગળા દર્શન. સવારે 7:30થી 8:00 વાગ્યા સુધી ઠાકોરજી બાળભોગ (dakor thakorji balbhog), શૃંગારભોગ અને ગોવાળભોગ આરોગવા બિરાજશે. 8:00 વાગ્યાથી 1:30 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. બપોરે 1:30થી 2:00 વાગ્યા સુધી રાજાધિરાજ રાજભોગ આરોગશે, જે દરમિયાન દર્શન બંધ રહેશે.

આ પણ વાંચો: Dakor Fagni Poonam Mela 2022 : ફાગણી પૂનમના મેળાને લઈ ડાકોર જતા માર્ગો પર પદયાત્રીઓનો અવિરત પ્રવાહ

6:20થી શયનભોગ સેવા- તો 2:00થી 3:00 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. 3:00થી 4:00 વાગ્યા સુધી દર્શન બંધ રહેશે. 4:00થી 6:00 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. 6:00થી 6:20 વાગ્યા સુધી ઠાકોરજી શયનભોગ (Dakor thakorji shayan bhog) આરોગવા બિરાજશે, જે દરમિયાન દર્શન બંધ રહેશે. 6:20થી શયનભોગ સેવા થી સખડીભોગ આરોગીને અનુકૂળતાએ ઠાકોરજી પોઢી જશે અને મંદિર બંધ થશે.

આ પણ વાંચો: ડાકોરમાં ઠાકોરના દર્શન કરવા શ્રધ્ધાળુઓનું મહેરામણ ઉમટ્યુ

પુનમના દર્શનનું વિશેષ મહત્વ- યાત્રાધામ ડાકોર ખાતે પુનમના દિવસે રાજાધિરાજ રણછોડરાયજીના દર્શનનો વિશેષ મહિમા રહેલો છે, જેને લઈ વહેલી સવારે મંદિર ખુલવા સાથે જ મોટી સંખ્યામાં ભાવિકો (Devotees In Dakor) ઠાકોરજીના દર્શન માટે ઉમટે છે. પૂનમે ભાવિકો મોટી સંખ્યામાં દર્શને આવતા હોઈ ટેમ્પલ કમિટી દ્વારા દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.