ETV Bharat / state

ખેડાના ગામોમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા

author img

By

Published : May 6, 2021, 9:23 AM IST

રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ગામોને કોરોના મુક્ત કરવા માટે મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ખેડા જિલ્લાના ગામોમાં કોરોના સંક્રમણને રોકવા ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનો તેમજ આરોગ્ય વિભાગના સહયોગથી કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવી રહ્યા છે.

ફાળો ઉઘરાવી ગામમાં સેનિટાઈઝેશન
ફાળો ઉઘરાવી ગામમાં સેનિટાઈઝેશન

  • મારૂં ગામ કોરોના મુક્ત ગામ અભિયાન
  • ગામોમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરાયા
  • ફાળો ઉઘરાવી ગામમાં સેનિટાઈઝેશન

ખેડા: કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. શહેરી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં દિવસે-દિવસે કેસો વધી રહ્યા છે. જેને લઈ રાજ્ય સરકાર દ્વારા ગામોમાં કોરોના સંક્રમણ અટકાવવા 1 મેથી મારૂં ગામ કોરોના મુક્ત ગામ અભિયાન શરૂ કરાયું છે.

મારૂં ગામ કોરોના મુક્ત ગામ અભિયાન
મારૂં ગામ કોરોના મુક્ત ગામ અભિયાન

આ પણ વાંચો: હિંમતનગરના હડિયોલ ગામે કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું

ગામોમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરાયા

રાજ્ય સરકારના માર્ગદર્શન મુજબ ખેડા જિલ્લાના ગામોમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવી રહ્યા છે. મહુધા તાલુકાના હેરંજ ગામે ગ્રામ પંચાયત દ્વારા પ્રાથમિક શાળામાં ગ્રામજનોના સહયોગથી કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જ્યાં ગ્રામજનો દ્વારા સુવિધા ઉપલબ્ધ બનાવાઈ છે. આરોગ્ય વિભાગ દ્વારા દર્દીઓને દવા આપવા સાથે નિયમિત ચકાસણી કરવામાં આવે છે. દાતાઓના સહયોગથી કોવિડ કેર સેન્ટરમાં રહેલા દર્દીઓ માટે ભોજન અને નાસ્તાની પણ વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવામાં આવી રહી છે.

ગામોમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરાયા

આ પણ વાંચો: અમદાવાદના શાહીબાગમાં 50 બેડના કોવિડ કેર સેન્ટરનો કરાયો પ્રારંભ

હાલ ગામમાં 10 એક્ટિવ કેસ

હેરંજ ગામમાં હાલ કોરોનાના 10 એક્ટિવ કેસ નોંધાયા છે તેમજ તાજેતરમાં બે વ્યક્તિના શંકાસ્પદ મોત થયા છે. જેને લઈ ગ્રામજનો આ મહામારી કોરોના સામે લડવા સહિયારા પ્રયાસો કરી રહ્યા છે. હેરંજ ગામમાં ફાળો ઉઘરાવી ગ્રામ પંચાયત દ્વારા સેનિટાઈઝેશનની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. જે વિસ્તારમાં કેસો નોંધાયા છે ત્યાં પહેલા સેનિટાઇઝેશનની કામગીરી હાથ ધરાઈ છે. જે બાદ ગામના અન્ય વિસ્તારોમાં પણ સેનિટાઈઝેશન કરાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.