ETV Bharat / state

Uttarayan 2022 Gujarat: જૂનાગઢમાં નવાબીકાળમાં કેમ પતંગ ચગાવાતા ન હતા?

author img

By

Published : Jan 11, 2022, 4:17 PM IST

Uttarayan 2022 Gujarat: જૂનાગઢમાં ડિસેમબર માસમાં પતંગ ચગાવાનો મહિમાં, જાણો કેમ?
Uttarayan 2022 Gujarat: જૂનાગઢમાં ડિસેમબર માસમાં પતંગ ચગાવાનો મહિમાં, જાણો કેમ?

સમગ્ર રાજ્યમાં જ્યારે 14 જાન્યુઆરીના દિવસે ઉત્તરાયણ પર્વ (Uttarayan 2022 Gujarat) ઉજવાય છે, ત્યારે જૂનાગઢમાં કંઇક અલગ પરંપરા ચાલે છે. જૂનાગઢમાં નવાબી સમય દરમિયાન જાન્યુઆરીમાં પતંગ ઉડાડવાની પરંપરા (Junagadh navabi tradition) ના હતી. નવાબના શાસનકાળ દરમિયાન જૂનાગઢમાં નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં પતંગ ચગાવવાની વિશેષ પરંપરા (Junagadh Uttarayan tradition) જોવા મળતી હતી. જાણો શું કામ?

જૂનાગઢ: સમગ્ર રાજ્યમાં 14 જાન્યુઆરીના દિવસે ઉત્તરાયણ અને મકરસંક્રાંતિનો (Uttarayan 2022 Gujarat) પર્વ ઉજવાય છે, જ્યારે જૂનાગઢમાં નવાબી સતા દરમિયાન જાન્યુઆરી મહિનામાં પતંગ ઉડાડવાનું ચલણ ન હતું. જૂનાગઢમાં નવાબના (Junagadh navabi tradition) શાસનકાળ દરમિયાન નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં પતંગ ચગાવવાની વિશેષ પરંપરા (Junagadh Uttarayan tradition) હતી જે પંરપરાને આજે પણ લોકોએ જીવતી રાખી છે.

Uttarayan 2022 Gujarat: જૂનાગઢમાં ડિસેમબર માસમાં પતંગ ચગાવાનો મહિમાં, જાણો કેમ?

નવાબી કાળની પરંપરાનું આજે પણ જૂનાગઢવાસીઓના દિલમાં રાજ

૧૪મી જાન્યુઆરીએ સમગ્ર રાજ્યમાં મકરસંક્રાંતિનો તહેવાર મનાવવામાં આવે છે. આ દિવસે પતંગ રસિકો માટે ઉત્સાહનો દિવસ હોય છે. 14 જાન્યુઆરીના દિવસે પતંગ રસિકો રંગબેરંગી પતંગો ચગાવીને આકાશને કલરફુલ બનાવી દેશે, પરંતુ સમગ્ર રાજ્યમાં જુનાગઢ એકમાત્ર એવું શહેર છે કે, જ્યાં વર્ષના છેલ્લા માસમાં પતંગ ચગાવામાં આવે છે.

લાહોરની પતંગને આજે પણ વિશ્વની શ્રેષ્ઠ પતંગનો ખિતાબ યથાવત

જૂનાગઢમાં નવાબી કાળથી ૧૪મી જાન્યુઆરીના દિવસે પતંગ ચગાવવાની પરંપરા નથી. આ પરંપરા આજે પણ જૂનાગઢ વાસીઓમાં જીવતી છે. અહીંયા પતંગ રસિકો દ્વારા નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં આકાશ પતંગોથી ભરેલું જોવા મળે છે. જૂનાગઢમાં નવાબી શાસન દરમિયાન નવાબ પોતાના પતંગ શોખને લઈને ખુબ ચર્ચામાં હતા. ખાસ પાકિસ્તાનના લાહોરમાં બનતી પતંગ આજે પણ વિશ્વની શ્રેષ્ઠ પતંગ માનવામાં આવે છે, ત્યારે જૂનાગઢના નવાબ તે સમયે અખંડ ભારતના ભાગ તરીકે સામેલ લાહોરથી નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં પતંગ ચગાવવા માટે ખાસ દોરી અને પતંગ ત્યાંથી મંગાવતા હતા.

જાણો એક એનોખી પરંપરા વિશે

તે સમયમાં જૂનાગઢના નવાબ પોતાના પતંગ શોખને લઈને પણ દુનીયાભરમાં જાણીતા હતા. આ શોખના આધારે તેઓ ખાસ લાહોરથી પતંગ અને દોરી મંગાવતા હતા. જેને ચગાવીને તે છોડી મૂકતા હતા અને તે પતંગ જે પરત લઇને આવે તેમને નવાબે ઇનામ આપવાની પરંપરા હતી. જૂનાગઢ શહેરમાં ત્યારથી નવેમ્બર અને ડિસેમ્બરમાં પતંગ ચગાવવાની વિશેષ પરંપરા શરૂ થઇ હતી જે આજે પણ જોવા મળે છે.

જાણો જ્યોતિષશાસ્ત્રના ફર્ક મુજબ ક્યારે ઉતરાયણનું આગમન?

હિંદુ ધર્મ શાસ્ત્રો મુજબ, ૨૨ ડિસેમ્બરથી ઉત્તરાયણના તહેવારની શરૂઆત થઇ જાય છે. જે ૧૪મી જાન્યુઆરીના દિવસે મકરસંક્રાંતિના તહેવાર તરીકે ઉજવાય છે. જ્યોતિષશાસ્ત્રના (Astrology Today) ફર્ક મુજબ નવાબી કાળમાં ઉતરાયણનો તહેવાર ડિસેમ્બર મહિનામાં આવતો હતો. એ સમયમાં ત્યારે પતંગો ચગાવવામાં આવતી હતી. સૃષ્ટિનો નિયમ છે ને કે, સમય સમયે પરિવતર્ન લાવવું જોઇએ. આ પરિવર્તન આવતા પાછલા કેટલાક વર્ષોથી મકરસંક્રાંતિનો તહેવાર ૧૪મી જાન્યુઆરીના દિવસે મનાવવામાં આવે છે.

જાણો ડિસેમ્બરમાં પતંગ ચગાવાના મહિમા વિશે

માન્યતા અનુસાર, ડિસેમ્બર મહિનામાં પવનની ગતિ અને દિશા બન્ને 14મી જાન્યુઆરી કરતા સારી અને પતંગ ચગાવવા માટે અનુકૂળ આબોહવા હોય છે. આ માન્યતા સાથે નવાબી સમય દરમિયાન જૂનાગઢમાં પતંગ ચગાવવાનો વિશેષ મહિમા જોવા મળતો હતો.

આ પણ વાંચો:

Uttarayan 2022 Gujarat: જૂનાગઢમાં મકરસંક્રાંતના તહેવારને લઈને 10 દિવસ માટે શરૂ કરાયુ કરુણા મહા અભિયાન

Uttarayan 2022 Jamnagar: પતંગ અને દોરીમાં ભાવ વધારાથી ખુદ વેપારીઓ અકળાયા, લગાવ્યા બેનર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.