ETV Bharat / city

Uttarayan 2022 Gujarat: જૂનાગઢમાં મકરસંક્રાંતના તહેવારને લઈને 10 દિવસ માટે શરૂ કરાયુ કરુણા મહા અભિયાન

author img

By

Published : Jan 10, 2022, 7:12 PM IST

Uttarayan 2022 Gujarat: જૂનાગઢમાં મકરસંક્રાંતના તહેવારને લઈને 10 દિવસ માટે શરૂ કરાયુ કરુણા મહા અભિયાન
Uttarayan 2022 Gujarat: જૂનાગઢમાં મકરસંક્રાંતના તહેવારને લઈને 10 દિવસ માટે શરૂ કરાયુ કરુણા મહા અભિયાન

આગામી મકરસંક્રાંતિના તહેવારને (Uttarayan 2022 Gujarat) લઈને જૂનાગઢમાં ઘાયલ થતા પક્ષીઓને બચાવવા (Campaign launched to save the birds) અને સારવાર મળી રહે તે માટે કરુણા મહા અભિયાનનો (caruna abhiyan 2022) પ્રારંભ કર્યો છે.

જૂનાગઢ: આગામી મકરસંક્રાંતિના (Uttarayan 2022 Gujarat) તહેવારને લઈને જૂનાગઢ વન વિભાગે કરુણા મહા અભિયાન અંતર્ગત 10 દિવસનું અભિયાન (caruna abhiyan 2022)આજથી શરૂ કર્યું છે આગામી 20 તારીખ સુધી અભિયાનમાં તબીબો સામાજિક સંસ્થાના સ્વયંસેવકો અને કર્મચારીઓ મળીને કુલ 130 જેટલા વ્યક્તિઓ કરુણા અભિયાન અંતર્ગત સામેલ થયા છે.

જૂનાગઢમાં મકરસંક્રાંતના તહેવારને લઈને 10 દિવસ માટે શરૂ કરાયુ કરુણા મહા અભિયાન

ઘાયલ થતાં પક્ષીઓને બચાવવા શરૂ કરાયું અભિયાન

પતંગની દોરીથી ઘાયલ થતાં પક્ષીઓને (Campaign launched to save the birds) બચાવવા તેમજ ઘાયલ થયેલા પક્ષીઓને નવ જીવન આપવાની સાથે તેને સમયસર સારવાર મળી (Immediate treatment of injured birds In Gujarat) રહે તે માટેના મહા અભિયાનની આજે જૂનાગઢના પ્લાસવા નજીક આવેલા વનવિભાગના ખાતર ડેપોમાં શરૂઆત કરવામાં આવી હતી, જેમાં વનવિભાગના અધિકારીઓએ હાજર રહીને 10 દિવસના આ કરુણા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.

જૂનાગઢમાં 9 તાલુકા મથકો પર 20 કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા

કરુણા અભિયાન 2022 (Karuna Abhiyan 2022) અંતર્ગત જૂનાગઢ જિલ્લાના તમામ 9 તાલુકા મથક પર 20 જેટલા કેન્દ્રો આગામી 20 તારીખ સુધી શરૂ કરવામાં આવ્યા છે, જેમાં 25 જેટલા પશુ તબીબ 108 જેટલા કર્મચારીઓ અને સામાજિક સંસ્થાના સ્વયંસેવકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કરુણા અભિયાન અંતર્ગત જૂનાગઢ વન વિભાગ અને પશુપાલન શાખાના સંયુક્ત ઉપક્રમે એમ્બ્યુલન્સ સેવા પણ 24 કલાક ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

જૂનાગઢમાં મકરસંક્રાંતના તહેવારને લઈને 10 દિવસ માટે શરૂ કરાયુ કરુણા મહા અભિયાન
જૂનાગઢમાં મકરસંક્રાંતના તહેવારને લઈને 10 દિવસ માટે શરૂ કરાયુ કરુણા મહા અભિયાન

પતંગ રસિકોને ઘાતક દોરીનો ઉપયોગ નહીં કરવા વિનંતી

કોઈ પણ ઘાયલ પક્ષીની સૂચના મળતાની સાથે જ અભિયાનના કેન્દ્રમાં હાજર કર્મચારી અને તબીબો ઘાયલ પક્ષીને સ્થળ પર કે કરુણા અભિયાનના કેન્દ્ર પર લાવીને સારવાર શરૂ કરીને તેને નવજીવન આપવાનો પ્રયાસ કરશે. વન વિભાગે પતંગ રસિકોને ઘાતક અને ખાસ કરીને ચાઈનાની દોરી અને તુક્કલનો ઉપયોગ નહીં કરવાની પણ વિનંતી કરી છે.

આ પણ વાંચો:

ખોડલધામ મહિલા સમિતિ દ્વારા મકરસંક્રાંતિ પર્વે માતાજીને તલનો હાર અર્પણ કરાયો

આભમાં અવસર અને આંખમાં જ અંબર, વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને મકર સંક્રાંતિની આપી શુભકામનાઓ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.