ETV Bharat / state

એક તરફ નાતાલનો તહેવાર તો બીજી તરફ કોરોના, ગિરનાર રોપ-વે પર પ્રવાસીઓ ઉમટે તેવી શક્યતા

author img

By

Published : Dec 21, 2020, 2:23 PM IST

આગામી નાતાલના તહેવારને લઈને ભવનાથમાં ગિરનાર રોપવે સાઈડ પર મોટી સંખ્યામાં પ્રવાસીઓનો ધસારો જોવા મળી શકે છે. આવી પરિસ્થિતિમાં કોરોના સંક્રમણને લઈને હજુ સુધી અંતિમ નિરાકરણ આવતું જોવા મળતું નથી. પરિણામે વેકેશનમાં કોરોના સંક્રમણનું પ્રમાણ વધવાની શક્યતાને નકારી શકાય તેમ નથી.

આગામી નાતાલના તહેવારને લઇ ગિરનાર રોપ-વેથી યાત્રિકોની સંખ્યામાં વધારો થઇ શકે છે
આગામી નાતાલના તહેવારને લઇ ગિરનાર રોપ-વેથી યાત્રિકોની સંખ્યામાં વધારો થઇ શકે છે

  • નાતાલની રજાઓના સમયમાં પર્યટકો આપે પોતાની વિવેકબુદ્ધિનો પરિચય
  • વધુ સંખ્યામાં ઘરની બહાર નીકળીને રજાઓ માણવા માટે કોરોના સંક્રમણ નાહક ન બને તે માટે યાત્રિકો સંવેદનશીલતા
  • આગામી દિવસોમાં ગિરનાર રોપ વે પર યાત્રિકોની સંખ્યામાં જોવા મળી શકે છે ધસારો

જૂનાગઢઃ આગામી નાતાલના તહેવારને લઈને ભવનાથમાં ગિરનાર રોપવે સાઈડ પર મોટી સંખ્યામાં પ્રવાસીઓનો ધસારો જોવા મળી શકે છે. આવી પરિસ્થિતિમાં કોરોના સંક્રમણને લઈને હજુ સુધી અંતિમ નિરાકરણ આવતું જોવા મળતું નથી. પરિણામે વેકેશનમાં કોરોના સંક્રમણનું પ્રમાણ વધવાની શક્યતાને નકારી શકાય તેમ નથી. આવી પરિસ્થિતિમાં નાતાલની રજાઓના સમયમાં પર્યટન સ્થળો પર આવતા પ્રવાસીઓ પોતાની વિવેકબુદ્ધિનો પરિચય આપીને કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે સંવેદનશીલતા દાખવીને ખૂબ ઓછી સંખ્યામાં ઘરની બહાર નીકળે તો કોરોના સંક્રમણ પર વિજય મેળવવામાં મદદ મળી શકે છે.

Girnar News
આગામી નાતાલના તહેવારને લઇ ગિરનાર રોપ-વેથી યાત્રિકોની સંખ્યામાં વધારો થઇ શકે છે

યાત્રિકો પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને કોરોના સંક્રમણ ઘટાડા માટે આગળ આવે

નાતાલની રજાઓમાં પર્યટન સ્થળો માનવ મહેરામણથી ઉભરાતા જોવા મળતા હોય છે, ત્યારે કોરોના સંક્રમણ ધ્યાને રાખીને તમામ પ્રકારની નિષ્કાળજી અથવા બેદરકારી કોરોના સંક્રમણને વધુ ફેલાવવા માટે નિમિત બની શકે છે. આવી પરિસ્થિતિમાં ઘરની બહાર નાતાલની રજાઓ ગાળવા માટે નીકળતા પ્રવાસીઓ ફેલાવવા માટે મોકળું મેદાન ના આપે તે માટે પ્રત્યેક વ્યક્તિ પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને આગામી નાતાલની રજાઓમાં પર્યટન સ્થળો પર બહાર આવે તેવું વધુ ઇચ્છનીય લાગી રહ્યું છે. વધુમાં 60 વર્ષ કે તેથી વધુની ઉંમરના મોટાભાગના યાત્રિકો નાતાલના તહેવારની રજાઓ પોતાના ઘરમાં આરોગ્યને પ્રાધાન્ય મળે તેવા લક્ષ્ય સાથે ઉજવે છે વધુ ઇચ્છનીય છે.

Girnar News
આગામી નાતાલના તહેવારને લઇ ગિરનાર રોપ-વેથી યાત્રિકોની સંખ્યામાં વધારો થઇ શકે છે
ગિરનાર રોપ વે પર મોટી સંખ્યામાં યાત્રિકોનો ધસારો જોવા મળી શકે છે
નાતાલના તહેવાર અને વેકેશનને લઈ હવે ધીરે-ધીરે પર્યટન સ્થળો પર ચહલ-પહલ વધતી જોવા મળી રહી છે. આવી પરિસ્થિતિમાં એશિયાના સૌથી મોટા ગિરનાર રોપ વે પર પણ નાતાલની રજાઓમાં લોકો આવી શકે છે. આવી પરિસ્થિતિમાં કોરોના મોકળું મેદાન મળવાની શક્યતા ને આપણે નકારી શકીએ તેમ નથી, ત્યારે પર્યટન સ્થળોની મુલાકાતે આવતા તમામ યાત્રિકો અને પ્રવાસીઓ નીચે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. તેનું ચુસ્તપણે પાલન કરીને તહેવાર નીકળે તે વધુ યોગ્ય હશે, પરંતુ તહેવારમાં બહાર નીકળવા માગતા તમામ યાત્રિકો અને પ્રવાસીઓ જો આ વર્ષે ઘરની બહાર ઓછા નીકળે તો કોરોના સંક્રમણ પર આપણને કાબૂ મેળવવા માટે ખૂબ મોટું મનોબળ મળી શકે તેમ છે. જે માટે જો આ વર્ષે પ્રવાસીઓ ખૂબ જૂજ માત્રામાં ઘરની બહાર નીકળે તો આપણે એવું ચોક્કસ કહી શકીએ કે, આગામી દિવસોમાં કોરોના સંક્રમણને આપણને સફળતા ચોક્કસ મળશે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.