ETV Bharat / state

જાણો કઇ રીતે આ માનવ લાયબ્રેરીમાં મન અને મગજ બંને થાય છે હળવાંફૂલ?

author img

By

Published : May 24, 2022, 5:28 PM IST

ગત દિવસોમાં જૂનાગઢમાં દેશની પ્રથમ માનવ લાઇબ્રેરી(India first human library)ખુલ્લી મૂકાઇ તે યાદ છે ને? આ પ્રકારની વ્યવસ્થા Gujarat Human library) ગોઠવાઇ છે તે આખરે કામ કઇ રીતે કરી રહી છે? જેમાં મન અને મગજ હળવાફૂલ થાય છે તે વિશે જિલ્લા કલેકટર રચિત રાજ સાથે વાતચીત કરવામાં આવી હતી.

ગુજરાતની પ્રથમ હ્યુમન લાઇબ્રેરી, જ્યાં પુસ્તક નહીં પરંતુ વાત કરવા માટે લોકો મળશે
ગુજરાતની પ્રથમ હ્યુમન લાઇબ્રેરી, જ્યાં પુસ્તક નહીં પરંતુ વાત કરવા માટે લોકો મળશે

જૂનાગઢ: જિલ્લા કલેકટર કચેરીમાં રાજ્ય અને દેશની પ્રથમ માનવ લાઈબ્રેરી જૂનાગઢ જિલ્લા કલેક્ટર રચિત રાજે ખુલ્લી મૂકી હતી. માનવ લાયબ્રેરીની વ્યવસ્થા ડેનમાર્ક જેવા દેશોમાં જોવા મળે છે. માનવ લાઈબ્રેરીમાં પુસ્તકો હોતા નથી પરંતુ રીસેસના સમય દરમિયાન લોકો અહીં બેસીને પોતાના સુખ દુઃખ અને તેમના જીવન વિશેની વાતચીતો એકબીજા સાથે (Human Library in Junagadh)ખુલ્લા મને કરી શકે છે. આ માનવ લાઇબ્રેરીનું સમગ્ર દેશમાં પ્રથમ વખત જૂનાગઢ જિલ્લા કલેકટર કચેરીમાં ખુલ્લી મુકવામાં આવી છે. કલેકટર કચેરી ખાતે બપોરના 1 થી લઈને ત્રણ વાગ્યા દરમિયાન કર્મચારીઓ અહીં બેસીને ભોજન નાસ્તો કરી શકે છે અને સાથે સાથે એક બીજા કર્મચારીઓ સાથે માનવતા અને લાગણીભર્યા સંબંધોથી જોડાઈને માનસિક તણાવ દૂર કરવા આ લાઇબ્રેરી ખૂબ મહત્વની સાબિત થશે.

હ્યુમન લાઇબ્રેરી

આ પણ વાંચોઃ Lemon Sherbet in Junagadh: આખા લીંબુના શરબતનો સ્વાદ માણવા દુર દુરથી લોકો પહોંચી રહ્યા છે અહીં..

આધુનિક યુગમાં લોકો યંત્રવત્ બન્યા - જિલ્લા કલેક્ટર રચિત રાજે માનવ લાઈબ્રેરી ખુલ્લી મૂકવા પાછળ પોતાનો વિચાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આધુનિક સમયમાં લોકો યંત્રવત્ બની ગયા છે. મોબાઈલ અને અન્ય ઇલેક્ટ્રિક ગેઝેટ સાથે માણસ જોડાઈને ધીમે ધીમે લાગણીશૂન્ય બની રહ્યો છે. જેને કારણે તેની વિપરીત અસર પ્રત્યેક વ્યક્તિના સામાજિક માનસિક અને આર્થિક પાસા ઉપર પડી રહી છે, ત્યારે વર્તમાન સમયમાં કર્મચારીઓ કે જે સીધી રીતે અરજદારો સાથે જોડાયેલા છે તે માનસિક તાણમાંથી દૂર થાય અને પોતાના જીવનના સારા નરસા પ્રસંગો એક બીજા સાથે આપ લે કરીને માનસિક તાણ દૂર કરી શકે તે માટેની વ્યવસ્થા ઉભી કરાઈ છે. કર્મચારીઓ પોતાના જીવનના અનુભવ અહીં પોતાના સહકર્મચારીઓ સાથે શેર કરવાથી કર્મચારીની માનસિક સ્થિતિમાં સુધારો થશે અને કર્મચારી હકારાત્મક અભિગમ સાથે કચેરીમાં કામ કરતા જોવા મળશે જેની હકારાત્મક અસર કચેરીમાં કામ માટે આવતાં અરજદારો પર પણ જોવા મળશે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં ભારતની પ્રથમ હ્યુમન લાઈબ્રેરી, કઈ રીતે સુખ દુઃખની વાત શેર કરાશે, જૂઓ

લોકોને પોતાના માનસિક તાણની પણ ચિંતા થવી જોઈએ - આ લાઈબ્રેરી ખાસ જૂનાગઢ જિલ્લા કલેકટર કચેરીમાં કર્મચારીઓ માટે બનાવવામાં આવી છે. પરંતુ આગામી દિવસોમાં જગ્યા અને લોકોને વ્યાપક માંગને આધારે આ પ્રકારની લાયબ્રેરી સામાન્ય લોકો માટે પણ બનાવવામાં આવે તે પ્રકારની દિશામાં જૂનાગઢ જિલ્લાનું વહીવટી તંત્ર હકારાત્મક હોવાનું પણ કલેકટર રચિત રાજે જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે લોકો માથાદીઠ આવકની ચિંતા કરે છે પરંતુ માથાદીઠ માનસિક તાણની પણ ચિંતા થવી જોઈએ અને તેનું માનવ લાઇબ્રેરી ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.