ETV Bharat / state

15 દિવસમાં સૂર્ય અને ચંદ્રગ્રહણથી વૈશ્વિક અશાંતિની શક્યતા

author img

By

Published : Nov 7, 2022, 10:52 PM IST

Etv Bharat15 દિવસમાં સૂર્ય અને ચંદ્રગ્રહણથી વૈશ્વિક અશાંતિની શક્યતા: જ્યોતિષાચાર્ય જયપ્રકાશ માઢક
Etv Bharat15 દિવસમાં સૂર્ય અને ચંદ્રગ્રહણથી વૈશ્વિક અશાંતિની શક્યતા: જ્યોતિષાચાર્ય જયપ્રકાશ માઢક

આવતી કાલે ચંદ્ર ગ્રહણ ની ખગોળીય ઘટના (Astronomical phenomenon of lunar eclipse) ઘટવા જઈ રહી છે દિવાળીના દિવસે થયેલું સૂર્ય ગ્રહણ અને હવે દેવ દિવાળીના દિવસે થવા જઈ રહેલું ચંદ્ર ગ્રહણ ધરાતલ પર ભારી હોવાનો મત જ્યોતિષાચાર્ય જયપ્રકાશ માઢકે આપ્યો છે.15 દિવસના અંતરમાં (Solar and Lunar Eclipses 15 days apart) સૂર્ય અને ચંદ્રગ્રહણ વિશ્વમાં મંદી અશાંતિ અને યુદ્ધની સ્થિતિનું નિર્માણ કરી શકે છે. તેવી ભવિષ્ય વાણી જ્યોતિષાચાર્ય જયપ્રકાશ માઢકે વ્યક્ત કરી છે.

ન્યુઝ ડેસ્ક: આવતી કાલે ચંદ્ર ગ્રહણ ની ખગોળીય ઘટના (Astronomical phenomenon of lunar eclipse) ઘટવા જઈ રહી છે દિવાળીના દિવસે થયેલું સૂર્ય ગ્રહણ અને હવે દેવ દિવાળીના દિવસે થવા જઈ રહેલું ચંદ્ર ગ્રહણ ધરાતલ પર ભારી હોવાનો મત જ્યોતિષાચાર્ય જયપ્રકાશ માઢકે આપ્યો છે.15 દિવસના અંતરમાં સૂર્ય અને ચંદ્રગ્રહણ (Solar and Lunar Eclipses 15 days apart) વિશ્વમાં મંદી અશાંતિ અને યુદ્ધની સ્થિતિનું નિર્માણ કરી શકે છે. તેવી ભવિષ્ય વાણી જ્યોતિષાચાર્ય જયપ્રકાશ માઢકે વ્યક્ત કરી છે.

આવતીકાલે ચંદ્રગ્રહણ ધરાતલ પર ભારી હોવાનું અનુમાન: આવતીકાલે ચંદ્રગ્રહણની ખગોળીય ઘટના ઘટવા જઈ રહી છે. આવતીકાલનું ચંદ્રગ્રહણ દુનિયાના કેટલાક ભાગોની સાથે ભારતના બિહાર ઝારખંડ ઉત્તર પ્રદેશ ઓરિસા ઉત્તરાખંડ જેવા રાજ્યમાં ખગ્રાસ જોવા મળશે. તો કેટલાક વિસ્તારોમાં ચંદ્રગ્રહણ ગ્રસ્તોદય કે પછી ખંડગ્રાસ જોવા મળશે ભારતના મોટા શહેરો જેવા કે ગૌહાટી અગરતલા કોલકાતા ભુવનેશ્વર સીલીગુડી પટના રાંચી જેવા શહેરોમાં સંપૂર્ણ તો દિલ્હી મુંબઈ હૈદરાબાદ બેંગ્લોર અમદાવાદ અને શ્રીનગર જેવા શહેરોમાં આંશિક અસર સાથે જોવા મળશે. આવતી કાલનું ચંદ્રગ્રહણ ધરાતલ માટે ભારે હોવાનું (Lunar eclipse predicted to be heavy on earth) જ્યોતિષાચાર્ય જયપ્રકાશ માઢકે પોતાના ખગોળ અનુભવને આધારે શક્યતાઓ વ્યક્ત કરી છે.

15 દિવસમાં સૂર્ય અને ચંદ્રગ્રહણથી વૈશ્વિક અશાંતિની શક્યતા: દિવાળીના દિવસે ચંદ્રગ્રહણ અને હવે 15 દિવસ બાદ દેવ દિવાળીના દિવસે ચંદ્રગ્રહણ 15 દિવસના અંતરમાં આ બંને ગ્રહણો વિશ્વ માટે અશાંતિના કારક બની શકે છે. આ સમય દરમિયાન યુદ્ધની સ્થિતિમાં વધારો થાય ગ્રહણો ની અસરને કારણે ઈરાન પાકિસ્તાન જેવા રાષ્ટ્રોમાં હિસક દેખાવો અને અથડામણો થવાની શક્યતા છે ગ્રહણ.ની અસરો બાદ મધ્ય એશિયામાં સ્થિતિ વિસ્ફોટક બને તે પ્રકારનું અનુમાન જ્યોતિષાચાર્ય જયપ્રકાશ માઢકે વ્યક્ત કર્યું છે. આવતી કાલનું ચંદ્ર ગ્રહણ મેષ રાશિના ક્રૂર નક્ષત્ર ભરણી માં થવા જઈ રહ્યું છે. જેથી મંગળવારે થનારું ચંદ્ર ગ્રહણ પૃથ્વી માટે ભારરૂપ નિવડે તેવી શક્યતાઓ પણ જ્યોતિષાચાર્ય જયપ્રકાશ માઢકે વ્યક્ત કરી છે.

15 દિવસમાં સૂર્ય અને ચંદ્ર ગ્રહણ વૈશ્વિક અર્થતંત્ર માટે ઘાતક: જ્યોતિષાચાર્ય જયપ્રકાશ માઢકે 15 દિવસમાં સૂર્ય અને ચંદ્રગ્રહણ ની ખગોળીય ઘટનાને વૈશ્વિક આર્થિક મંદી સાથે જોડી રહ્યા છે. 15 દિવસમાં ગ્રહણની બે ઘટનાઓ વિશ્વની તમામ મોટી અર્થ વ્યવસ્થાઓ માટે મંદીનું ગ્રહણ લાવી શકે છે. વધુમાં આ ગ્રહણને કારણે વૈશ્વિક દરિયાઈ યુદ્ધની સ્થિતિ પણ ઉદભવી શકે છે કેટલાક દેશો વચ્ચે ચાલી રહેલી યુદ્ધની સ્થિતિમાં અણુ શસ્ત્રનો ઉપયોગ પણ ગ્રહણની અસરોને કારણે થઈ શકે છે. વધુમાં 15 દિવસના અંતરે થયેલા સૂર્ય અને ચંદ્ર ગ્રહણની નકારાત્મક અસરો સમગ્ર વર્ષ દરમિયાન દુનિયાના કેટલાક દેશો લોકો સમુદાયો અને ધરાતલ પર વિપરીત રીતે પડતી જોવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.