ETV Bharat / state

માછીમારોને મુક્ત કરાવવાની કામગીરી મંથર ગતિએ, માછીમારોના પરિવારો ભોગવી રહ્યા છે હાલાકી, લાખો રૂપિયાની કિંમતી બોટ પાકિસ્તાનના કબજામાં

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 4, 2023, 6:15 PM IST

પાકિસ્તાનની જેલમાં બંધ ભારતના માછીમારોની મુક્તિ માટે આજે ફરી એક વખત રાજ્યસભામાં મુદ્દો કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે ઉઠાવ્યો હતો. પાકિસ્તાનની જેલમાં આજે પણ 150 કરતા વધુ કેદીઓ કે જે માછીમાર છે તેને રાખવામાં આવ્યા છે. આ તમામ માછીમારોને મુક્ત કરવા માટે કેન્દ્રની સરકાર બંને દેશો વચ્ચે કાયદાકીય પ્રક્રિયા ઝડપથી પૂરી કરીને તમામ માછીમારોને જેલમાંથી મુક્ત કરાવે તેવી માંગ કરી હતી

તમામ માછીમારોને જેલમાંથી મુક્તિની માંગ
તમામ માછીમારોને જેલમાંથી મુક્તિની માંગ

તમામ માછીમારોને જેલમાંથી મુક્તિની માંગ

જૂનાગઢ: દરિયાઈ સુરક્ષા બોર્ડર નજીક આઝાદી કાળથી વિવાદ ચાલી રહ્યો છે કે જેને કારણે પણ ભારતીય માછીમારોના અપહરણ થઈ રહ્યા છે. પાકિસ્તાનની જેલમાં બંધ ભારતના 150 કરતાં વધુ માછીમારોની મુક્તિને લઈને વધુ એક વખત દેશની સંસદમાં મુદો ઉછળ્યો છે. વધુમાં વર્ષોથી ચાલતી આવતી આ કાયદાકીય પ્રક્રિયા ખૂબ જટિલ બની છે. જેમાં ભારત અને પાકિસ્તાનની સરકારો સહમતિ સાધીને તાકીદે માછીમારોને મુક્ત કરે તેવી કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલેે માંગ કરી છે.

માછીમારોના પરિવારો ભોગવી રહ્યા છે હાલાકી: ભારતીય માછીમારોની મુક્તિને લઈને પાછલા ઘણા વર્ષોથી બંને દેશોની સરકારો વચ્ચે રાજકીય દાવ પેચ ખેલાઈ રહ્યો છે. જેનો ભોગ સામાન્ય માછીમાર અને તેનાથી પણ વધારે માછીમારના પરિવારજનો અનેક યાતનાઓ ભોગવી રહ્યા છે. પાકિસ્તાન એજન્સીઓ દ્વારા ભારતીય માછીમારોનું અપહરણ કરીને તેને જેલમાં બંધ કરી દેવામાં આવે છે. ત્યારબાદ ત્રણ કે પાંચ વર્ષની મુદત પૂર્ણ થયા બાદ તેને છોડવા માટેની કાયદાકીય પ્રક્રિયા શરૂ થાય છે. પરંતુ લાખો રૂપિયાની કિંમતી બોટ આજે પણ પાકિસ્તાનના કબજામાં છે. જેને મુક્ત કરવાને લઈને ભારતની સરકારે ખૂબ જ ત્વરિક કામગીરી કરવી જોઈએ તેવું શક્તિસિંહ ગોહિલે આજે રાજ્ય સભામાં આગ્રહ સાથે કેન્દ્ર સરકારને સવાલોના માધ્યમથી વિનંતી કરી હતી.

અનેકવાર રજૂઆત: પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય માછીમારોને છોડાવવા માટે તેમજ માછીમારોને કાયદાકીય સુવિધાઓ મળી રહે તે માટે કોડિનારમાં સમુદ્ર સુરક્ષા શ્રમિક સંઘની કાર્યવાહી ચાલી રહી છે. અહીંથી પાકિસ્તાનની જેલમાં બંધ તમામ ભારતીય માછીમારોની મુક્તિ માટેની ગતિવિધિઓ પણ રાજ્ય અને કેન્દ્ર સરકારને પત્ર મારફતે થતી રહે છે.

બીમાર માછીમારોની પાકિસ્તાન સરકાર દ્વારા નબળી કામગીરી: સમુદ્ર સુરક્ષા શ્રમિક સંઘના અધ્યક્ષ બાલુભાઈ સોચા પણ કેન્દ્ર સરકારની નીતિને કારણે માછીમારોની મુક્તિમાં વિલંબ થાય છે તેવું માની રહ્યા છે. પાકિસ્તાનની જેલમાં ભારતીય માછીમારોને કોઈ મોટી યાતનાઓનો સામનો કરવો પડતો નથી પરંતુ કોઈ પણ માછીમાર બીમાર પડે અથવા તો કોઈ ગંભીર બીમારીમાં સપડાઈ આવી પરિસ્થિતિમાં માછીમારોની આરોગ્યની કાળજી લેવા માટે પાકિસ્તાની જેલ અને ત્યાંની સરકાર કોઈ નક્કર કામગીરી કરતી નથી. જેને કારણે પાછલા ત્રણ-ચાર મહિનામાં ભારતના ત્રણ માછીમારોનું મોત પાકિસ્તાનની જેલમાં થયું છે.

માછીમારોને ઓળખપત્ર મળવું જોઈએ: ભારત અને પાકિસ્તાનની સરકારો બંને દેશના માત્ર માછીમારોને જળસીમામાં તેમની ઓળખ થઈ શકે તે પ્રકારનું ઓળખપત્ર આપે તો અકસ્માતે પણ જળ સીમાને ક્રોસ કરીને જનારા માછીમારોની જળસીમામાં જ ચોક્કસ તપાસ કરીને તેને પરત જે તે દેશની જળ સીમામાં મોકલી શકાય આવી વ્યવસ્થા ભારત અને પાકિસ્તાનની સરકારોએ કરવી જોઈએ. જેથી બંને દેશોના માછીમારોને અકસ્માતે જળસીમાના ઉલ્લંઘન બદલ જેલવાસ ભોગવવો ન પડે.

શા માટે થાય છે આંતરરાષ્ટ્રીય સીમાનુ ઉલ્લંઘન ?

  • દરિયામાં થઈ રહેલી માછીમારીમાં લાઈન ફિશિંગ સૌથી મોટી સમસ્યા બની રહી છે જેને કારણે દરિયામાં માછલીઓની સંખ્યા ઘટી રહી છે. લાઈન ફિશિંગને કારણે માછીમારોને અને ખાસ કરીને દરિયામાં મુક્તપણે એકલ દોકલ માછીમારી કરી રહેલી બોટના ટંડેલોને દૂર સુધી દરિયામાં જવું પડે છે જેને કારણે પણ આંતરરાષ્ટ્રીય જળ સીમાનું ઉલંઘન થાય છે.
  • કોસ્ટગાર્ડ અને મરીન પોલીસ લાઈન ફિશિંગને લઈને જો ખૂબ જ ચોક્કસ અને સાવચેત બને તો કોઈ પણ બોટના ટંડેલ કે માછીમારોને આંતરરાષ્ટ્રીય સીમા ઓળંગીને દૂર દૂર સુધી માછીમારી કરવા જવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ નહીં થાય.

માછીમારોના પરિવારજનોને અપાતી રાહતમાં વધારાની માંગ: સમુદ્ર સુરક્ષા શ્રમિક સંઘ દ્વારા માંગ કરવામાં આવી હતી કે પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય માછીમારોના પરિવારોને રાજ્યની સરકાર દ્વારા પ્રતિ દિવસ 300 રૂપિયા નિર્વાહન ભથ્થુ જ્યાં સુધી માછીમાર પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થઈને તેમના ઘરે પરત ન ફરે ત્યાં સુધી આપવામાં આવે છે પરંતુ આ રાહતમાં 100 રૂપિયાનો વધારો રાજ્યની સરકારે કરવો જોઈએ તેવું માંગ કરી રહ્યું છે.

થોડા વર્ષો પૂર્વે ભારતની સરકારે તાઇવાનની કેટલીક એજન્સીઓને માછીમારી કરવા માટેની મંજૂરી આપી હતી પરંતુ આ ભારતીય માછીમારો માટે નુકસાનકારક હોવાથી તેને બંધ કરવામાં આવી છે. હાલ આ પ્રકારની વિદેશની એજન્સીઓ ભારતીય દરિયામાં માછીમારી કરવા માટે સરકારની મંજૂરીથી આવી રહી હોય તેવી ઘટના સમુદ્ર સુરક્ષા શ્રમિક સંઘના ધ્યાને નથી.

  1. ભારતીય માછીમારોની વાસ્તવિક સ્થિતિ અને સમસ્યાનું સમાધાન શું ? માછીમાર આગેવાને આપી વિગતવાર માહિતી
  2. સાંસદ મનસુખ વસાવાએ વિપક્ષને આડે હાથ લીધું, ધારાસભ્ય ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર કર્યા

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.