ETV Bharat / state

Kajal Hindustani: કાજલ હિન્દુસ્તાની જેલમાંથી મુક્ત, ભડકાઉ ભાષણના આરોપમાં કરાઈ હતી ધરપકડ

author img

By

Published : Apr 13, 2023, 4:21 PM IST

Updated : Apr 13, 2023, 8:08 PM IST

કાજલ હિન્દુસ્તાનીના શરતી જામીન મંજૂર કરવામાં આવ્યા છે. રામનવમીના દિવસે ઉનામાં ઉશ્કેરણીજનક ભાષણ આપવાના કિસ્સામાં જૂનાગઢ જેલમાં બંધ કાજલ હિન્દુસ્તાની પાંચ દિવસ બાદ જેલમાંથી મુક્ત થયા છે. કોટે 50 હજારના જામીન સાથે કેટલીક શરતોને આધીન કાજલ હિંદુસ્તાનને જામીન આપ્યા છે

કાજલ હિન્દુસ્તાનીના જામીન મંજૂર
કાજલ હિન્દુસ્તાનીના જામીન મંજૂર

કાજલ હિન્દુસ્તાનીના શરતી જામીન મંજૂર કરવામાં આવ્યા

જૂનાગઢ: ઉનામાં ભડકાઉ ભાષણના આરોપમાં કાજલ હિન્દુસ્તાનીને ઉના કોર્ટે જામીન મંજૂર કર્યા છે. કાજલ હિંદુસ્તાનીએ ચોક્કસ ધર્મ અને સંપ્રદાય પ્રત્યે ઉશ્કેરણીજનક અને નીંદનીય કહી શકાય તે પ્રકારનું ભાષણ કર્યું હતું. જેના વિરોધમાં ઉના શહેરમાં ભારે તંગદીલીનું વાતાવરણ સર્જાયું હતું. જે મામલે કોર્ટે આજે શરતી જામીન મંજૂર કર્યા છે.

કોર્ટમાં શું થયું: કાજલના વકીલો દ્વારા ઉના કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી. લઘુમતી સમાજ અને સરકારી વકીલે પણ અરજી દાખલ કરીને કાજલ હિન્દુસ્તાનીને જામી ન મળે તે માટે દલીલો કરી હતી. જેને લઈને 11 તારીખે થયેલી સુનાવણીમાં જામીન અરજી પર ચુકાદો આજના દિવસ સુધી અનામત રાખવામાં આવ્યો હતો. ઉના કોટે ફરિયાદી અને આરોપી પક્ષના વકીલોની દલીલ સાંભળ્યા બાદ અંતે કાજલ હિન્દુસ્તાની પર ભારતીય દંડ સંહિતાની જે ધારાઓ લગાવવામાં આવી છે તે મુજબ ફરિયાદી પક્ષની દલીલોને નામંજૂર કરી હતી.

શરતી જામીન મંજૂર: શરતોને આધીન કાજલ હિન્દુસ્તાનીને આજે જામીન પર મુક્ત કરવાનો આદેશ ઉના સેશન્સ કોર્ટે કર્યો છે. ઉના સેશન્સ કોર્ટે આજે ઉના સેશન્સ કોર્ટે કાજલ હિન્દુસ્તાનીને 50,000 રૂપિયાના જામીનની સાથે કેટલીક શરતોને આધીન જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો હતો. કોર્ટે વધુ કેટલીક શરતો પણ રાખી છે. જેમાં કોઈ પણ પરિસ્થિતિમાં દેશ છોડવો નહીં, તેનો પાસપોર્ટ જમા કરાવવો કોર્ટ દ્વારા જે તારીખો આપવામાં આવે છે તેમાં ચોક્કસ હાજર રહેવું. કોર્ટની તારીખ સિવાય ગીર સોમનાથ જિલ્લાની હદમાં પ્રવેશ કરવો નહીં તેમજ દર મહિનાની 1લી અને 16 તારીખે નજીકના પોલીસ મથકમાં હાજરી પુરાવવી.

મને ન્યાયતંત્ર પર પહેલેથી વિશ્વાસ જ હતો. મેં ક્યારેય ખોટું કામ નથી કર્યું કે નથી ક્યારેય સંવિધાન વિરુદ્ધ ગઈ. કોર્ટ સામે ચાલીને હું હાજર થઈ અને મને ન્યાય મળ્યો. અમારો ધર્મ છે કે આપણા ધર્મની રક્ષા કરીએ. આગળ પણ મારા સામાજિક કાર્યો ચાલુ જ રહેશે. - કાજલ હિન્દુસ્તાની, સામાજિક કાર્યકર

આ પણ વાંચો: Rahul Gandhi : દોષિત ઠર્યા પછી પણ એવું કહેવું કે કંઈ ખોટું કર્યું નથી, આ અભિમાન છે - ફરિયાદી પક્ષના વકીલ

શું હતો મામલો: ગત રામનવમીના દિવસે ઉના ખાતે આયોજિત ધર્મ સભામાં હિન્દુ વક્તા તરીકે કાજલ હિન્દુસ્તાની હાજર રહ્યા હતા. રાત્રિના સમયે ઉના શહેરમાં આયોજિત ધર્મ સભામાં કાજલ હિંદુસ્તાનીએ ચોક્કસ ધર્મ અને જ્ઞાતિ વિરુદ્ધ આકરુ અને આપત્તિજનક ભાષણ આપ્યું હતું. ત્યાર બાદ બે થી ત્રણ દિવસ સુધી ઉના શહેરનું વાતાવરણ એકદમ તંગ જોવા મળ્યું હતું. મામલો ખૂબ જ ગંભીર બનતા અંતે ઉના પોલીસે ખુદ ફરિયાદી બનીને કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.

આ પણ વાંચો: UNA Crime: ભડકાઉ ભાષણ આપવા બદલ કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ

કોણ છે કાજલ હિન્દુસ્તાની: એક માહિતી અનૂસાર કાજલ હિન્દુસ્તાનીનું અસલી નામ કાજલ સિંગલા છે. પરંતુ તેઓ તેમના નામ બાદ હિન્દુસ્તાની રાખે છે. તેઓ જામનગરના મુળ રહેવાસી છે. કાજલ હિન્દુસ્તાની અવારનવાર હિન્દુ સંગઠનોના કાર્યક્રમોમાં જોવા મળતા હોય છે. મુખ્ય તેઓ સોશિયલ મીડિયામાં તે ધર્માંતરણ અને હિંદુત્વના મુદ્દે પોતાનો અવાજ ઉઠાવતા જોવા મળે છે. તેઓ પોતાની વાત સોશિયલ મીડિયા પર રજૂ કરતા હોય છે. તેમના ટ્વિટર પર લગભગ 95 હજાર ફોલોઅર્સ છે. તેઓ સંશોધન વિશ્લેષક અને સામાજિક કાર્યકર પણ છે.

Last Updated :Apr 13, 2023, 8:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.