જૂનાગઢ: તેલંગાણા અને આંધ્રપ્રદેશની રાજ્ય સરકાર દ્વારા જે પ્રકારે હિન્દુ વિરોધી નીતિઓ અમલમાં મુકવામાં આવી રહી છે તેમજ ધર્માંતરણ જેવી ગંભીર બાબતોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે તેવો આક્ષેપ કરીને જૂનાગઢ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
સાથે જ આ બંને રાજ્ય સરકારો સામે આકરા પગલાં ભરવામાં આવે તેવું રાષ્ટ્રપતિને સંબોધીને રજૂ કરવામાં આવેલું આવેદનપત્ર જૂનાગઢ જિલ્લા કલેકટરને આપવામાં આવ્યું હતું. જો આગામી દિવસોમાં તેલંગાણા અને આંધ્રપ્રદેશની રાજ્ય સરકારો આવી ભેદભાવ ભરી નીતિ બંધ નહીં કરે તો વિશ્વ હિન્દુ પરિષદ ઉગ્ર આંદોલન કરશે તેવી પણ ચિમકી ઉચ્ચારી હતી.