ETV Bharat / state

ફ્લેશબેકઃ પઢિયાર પરિવાર સાથે PM મોદીએ કરી જૂની યાદો તાજા

author img

By

Published : Oct 20, 2022, 9:10 AM IST

Updated : Oct 20, 2022, 12:14 PM IST

ફ્લેશબેકઃ પઢિયાર પરિવાર સાથે PM મોદીએ કરી જૂની યાદો તાજા
ફ્લેશબેકઃ પઢિયાર પરિવાર સાથે PM મોદીએ કરી જૂની યાદો તાજા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂનાગઢમાં ગઈકાલે પઢિયાર (PM Modi Gujarat visit) પરિવાર સાથે મુલાકાત કરી હતી. નારસિંહ પઢિયાર સાથે કામના દિવસોના કેટલાક સંસ્મરણો વડાપ્રધાન મોદીએ વાગોળ્યા હતા. (Padhiar family met PM Modi)

જૂનાગઢ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે એક દિવસ માટે જૂનાગઢની (PM Modi Gujarat visit) મુલાકાતે હતા. આ દરમિયાન તેઓએ જૂનાગઢમાં ભાજપના કાર્યકરોની સાથે રાજકીય અગ્રણી સાથે પણ મુલાકાત યોજી હતી. આ સમય દરમિયાન જૂનાગઢના પઢિયાર પરિવાર સાથે વડાપ્રધાન મોદીએ વિશેષ મુલાકાત આપી હતી. નારસિંહ પઢિયાર સાથે કામના દિવસોના સંસ્મરણો નરેન્દ્ર મોદીએ વાગોળ્યા હતા અને સમગ્ર નારસિંહ પઢિયાર પરિવારની ખબર અંતર પૂછીને પોતાની શુભેચ્છાઓ પઢિયાર પરિવારને આપી હતી. (Padhiar family met PM Modi)

પઢિયાર પરિવાર સાથે PM મોદીએ કરી જૂની યાદો તાજા
પઢિયાર પરિવાર સાથે PM મોદીએ કરી જૂની યાદો તાજા

પરિવારની પુત્રવધુએ સંસ્કૃતમાં PM મોદીને કરી વિનંતી જૂનાગઢમાં અનેક રાજકીય અને સામાજિક અગ્રણીઓ સાથે PM મોદીએ મુલાકાત કરીને પોતાના સંબંધો અને સંસ્મરણોને વાગોળ્યા હતા. આજે પઢિયાર પરિવારની ત્રીજી પેઢી સાથે નરેન્દ્ર મોદીએ ખૂબ મુક્ત મને પરિવારની ભાવના સાથે મુલાકાત કરી હતી. તેમજ સમગ્ર પઢિયાર પરિવારના સદસ્યો સાથે વાત કરીને સ્વ નરસિંહ પઢિયારના જુના સંબંધોને આજે વર્ષો પછી સંસ્મરણોના રૂપમાં ફરી એક વખત વાગોળ્યા હતા. નરસિંહ પઢિયારની પુત્રવધુ શાળામાં સંસ્કૃતના શિક્ષક તરીકે કામ કરે છે. તેમણે કેન્દ્ર સરકારની નવી શિક્ષણ નીતિના વખાણ કર્યા હતા. (PM Modi Narsingh Padhiar relationship)

નવી શિક્ષણ નીતિના વખાણ કર્યા
નવી શિક્ષણ નીતિના વખાણ કર્યા

PM મોદી સાથે કેટલાક સ્મરણો તાજા કર્યા સાથે જણાવ્યું હતું કે, દેવ ભાષા સંસ્કૃતને પ્રાથમિક શાળાના અભ્યાસથી ફરજિયાત કરવામાં આવે તો દેવ ભાષાનું મહત્વ જળવાઈ રહે તેમ છે. નારસિંહ પઢિયારના ધર્મપત્ની જી કુંવરબાને યાદ કરીને તેમની વતન પ્રત્યેની નિષ્ઠાને બિરદાવી હતી. તે સમયે નારસિંગ પઢિયારના દીકરી ગીતાબેન માત્ર આઠ મહિનાને હતા. તેમ છતાં જી કુંવરબા વર્ષો પૂર્વે કચ્છ સત્યાગ્રહમાં ભાગ લીધો હતો. તે ઘટનાને પણ વડાપ્રધાન મોદીએ વાગોળી (padhiyar family history) હતી. નરસિંહ પઢિયારના નાના પુત્ર નરેન્દ્ર સિંહ નો જન્મ કટોકટી કાળમાં થયો હતો, ત્યારે આજે નરેન્દ્ર મોદીએ નરેન્દ્રસિંહને મિસા કુમાર તરીકે બોલાવીને કટોકટી કાળની યાદ પણ પઢીયાર પરિવાર સાથે શેર કરી હતી. (PM Modi visits Junagadh)

પઢિયાર પરિવાર સાથે PM મોદી
પઢિયાર પરિવાર સાથે PM મોદી
Last Updated :Oct 20, 2022, 12:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.