ETV Bharat / state

Single use plastic banned : આગામી લીલી પરિક્રમામાં પણ સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધ, કલેક્ટરે વધારી સુવિધાઓ

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 29, 2023, 2:02 PM IST

Single use plastic banned : આગામી લીલી પરિક્રમામાં પણ સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધ, કલેક્ટરે વધારી સુવિધાઓ
Single use plastic banned : આગામી લીલી પરિક્રમામાં પણ સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધ, કલેક્ટરે વધારી સુવિધાઓ

ગિરનાર પર પ્લાસ્ટિક પ્રદુષણને લઈને વન વિભાગ અને વહીવટી તંત્રએ આળસ મરડી કામે લાગ્યું છે. હવે ગિરનારની સાથે આગામી વર્ષે લીલી પરિક્રમા દરમ્યાન પણ પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓને પ્રતિબંધ કરવાને લઈને જૂનાગઢ જિલ્લા કલેકટરે કામગીરી શરુ કરી છે. પ્લાસ્ટિક પ્રદુષણને લઈને બેઠક યોજી હતી.

વહીવટી તંત્ર દ્વારા કામગીરી

જૂનાગઢ : ગિરનાર પર સતત વધી રહેલા પ્લાસ્ટિકના પ્રદુષણને લઈને રાજ્યની વડી અદાલત ખૂબ જ આકરૂ વલણ દર્શાવી રહી છે. જાહેર હિતની અરજી પર સુનાવણી કરતા વડી અદાલતે જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર વન વિભાગ અને કોર્પોરેશનને નોટિસ પાઠવીને પ્લાસ્ટિકનું પ્રદૂષણ ઓછું થાય તે માટે કામ કરવા હુકમ કર્યો છે. જેને લઈને આજે ગિરનાર પર્વત પર રોજગારી મેળવતા નાના વેપારીઓને પાણીના પ્લાસ્ટિકના મોટા કેરબા વિનામૂલ્ય વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જૂનાગઢ જિલ્લા કલેકટર ધારાસભ્ય મ્યુનિસિપલ કોર્પોરેશન અને વન વિભાગના અધિકારીઓએ હાજર રહીને ગિરનાર પર પ્લાસ્ટિકનું પ્રદૂષણ બંધ કરી શકાય તે માટે ઉપસ્થિત સૌ નાના વેપારીઓને માર્ગદર્શનની સાથે સાધન સહાય વિતરણ કરી હતી.

લીલી પરિક્રમામાં પણ પ્રતિબંધ : જિલ્લા કલેકટર દ્વારા સમગ્ર ગિરનાર અભયારણ્યને પ્લાસ્ટિક પ્રદુષણ મુક્ત કરવાને લઈને કામગીરી શરૂ કરી છે. તે મુજબ આવતા વર્ષે આયોજિત થનારી ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમામાં પણ પ્લાસ્ટિકની બોટલ સહિત સિંગલ યુઝ પ્લાસ્ટિક સંપૂર્ણ પણે પ્રતિબંધિત થશે. તે અંગેની કામગીરી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે.

વેપારીઓ સહમત : તેના ભાગરૂપે આજથી ગિરનાર પર્વત પર પ્લાસ્ટિક પ્રદૂષણને બંધ કરવા માટે અભિયાન શરૂ કરાયું છે. આજથી ગિરનાર પર્વતની સીડી પર રોજગારી મેળવી રહેલા નાના વેપારીઓ સિંગલ યુઝ પ્લાસ્ટિક સદંતર બંધ કરીને ઇકો ફ્રેન્ડલી અને કાચની બોટલમાં પાણી સહિત અન્ય ચીજવસ્તુઓનું વેચાણ કરવાને લઈને સહમત થયા હતાં.

ધારાસભ્યએ આપ્યો પ્રતિભાવ : જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ ગિરનાર પર્વત પર અંબાજી મંદિર સુધી પીવાના પાણીની વ્યવસ્થા પાણી પુરવઠા બોર્ડ દ્વારા આગામી દિવસોમાં પૂરી પાડવામાં આવે તે પ્રકારની વ્યવસ્થા કરવા પણ જિલ્લા વહીવટી તંત્ર આગળ વધી રહ્યું છે. પાણી પુરવઠો પૂર્વત થયા બાદ ગિરનાર પર્વત પર જાહેર શૌચાલય અને પાણીની પરબનું પણ આયોજન કરવાને લઈને રાજ્યની સરકાર ગંભીરતાથી કામ કરી રહી છે .આગામી દિવસોમાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા ગિરનાર પર્વત પર પીવાના પાણીની લાઈન નાખવાની સાથે જ જાહેર શૌચાલયો પણ જોવા મળશે.

  1. કમોસમી વરસાદની વચ્ચે ભાવિકોએ કરી લીલી પરિક્રમા, જાણો કેવો રહ્યો અનુભવ
  2. ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન 108 એમ્બ્યુલન્સ સેવાએ આજ દિન સુધી 129 દર્દીને આપી સારવાર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.