ETV Bharat / state

વંથલી પંથકના આંબાવાડીઓમાં વાવાઝોડાએ વિનાશ વેર્યો

author img

By

Published : May 20, 2021, 4:52 PM IST

વંથલી પંથકના આંબાવાડીઓમાં વાવાઝોડાએ વિનાશ વેર્યો
વંથલી પંથકના આંબાવાડીઓમાં વાવાઝોડાએ વિનાશ વેર્યો

ગીર બાદ જૂનાગઢના વંથલી પંથકમાં પણ કેસર કેરીની ખેતી થઈ રહી છે, ત્યારે વાવાઝોડાની અસરને પગલે ગીરની કેસર કેરી ખેદાનમેદાન થયેલી જોવા મળી હતી. વંથલી પંથકના આંબાવાડીઓમાં પણ વાવાઝોડાની ભયાનક અસરોને કારણે મોટાભાગના આંબાવાડિયા વેરાન બની ગયા છે. જેને લઇને ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે. આવી પરિસ્થિતિમાં જગતનો તાત ચિંતિત બનીને સરકાર સમક્ષ રાહતની માગ કરી રહ્યો છે.

  • વંથલી પંથકના આંબાવાડીઓમાં ખૂબ મોટું નુકસાન
  • વંથલીના મોટાભાગના આંબાવાડી વાવાઝોડાની અસર નીચે જોવા મળ્યા
  • કેસર કેરીનો મોટાભાગનો પાક ભારે પવનને વરસાદને કારણે થયો નષ્ટ
    વંથલી પંથકના આંબાવાડીઓમાં વાવાઝોડાએ વિનાશ વેર્યો

જૂનાગઢઃ વાવાઝોડાને પગલે ગીર પંથકના તમામ આંબાવાડીઓમાં આબાની સાથે કેસર કેરી પણ વાવાઝોડું કહેર બનીને તૂટી પડતાં જૂનાગઢથી લઈને ઉના સુધીના મોટાભાગના આંબાવાડીઓમાં વાવાઝોડાએ વિનાશલીલા આચરી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ગીર પંથકના તમામ આંબાવાડીઓમાં આ વર્ષે પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું છે. જેને કારણે કેરીનો તૈયાર પાક વાવાઝોડાની ભેટ ચઢી ગયો અને ખેડૂત અને ઈજારેદારોને ખૂબ મોટું નુકસાન થયું છે, ત્યારે જૂનાગઢ જિલ્લાના વંથલીમાં પણ કેસર કેરીની ખેતી થઈ રહી છે. આ વાવાઝોડાએ વંથલીની કેસર કેરી પર પણ પોતાની અસર છોડી છે. આ વિસ્તારમાં પણ વાવાઝોડાની અસરને કારણે મોટાભાગની કેરી ખરી પડી છે.

આ પણ વાંચોઃ વાવાઝોડાને પગલે ગીર વિસ્તારની આંબાવાડીઓમાં અંદાજે 100 કરોડ કરતાં વધુનું નુકસાન

વંથલી પંથકની કેરી પાછોતરી ઉત્પાદન આપી રહી હતી તેમાં પણ વાવાઝોડાની અસર

ગીર બાદ જૂનાગઢ જિલ્લાના વંથલી પંથકમાં પણ કેસર કેરીની ખેતી ઘણા વર્ષોથી થઇ રહી છે. વંથલી પંથકની કેસર કેરી પાછતરા કેરીના પાક તરીકે જૂનાગઢ જિલ્લામાં વર્ષોથી ઉત્પાદિત થઈ રહી છે, ત્યારે તૌકતે વાવાઝોડાની વિનાશક અસરો નીચે વંથલી પંથકની કેસર કેરીનો પાક પણ હવે વાવાઝોડાની ભેંટ ચડી ચૂક્યો છે. ગીર પંથકના તમામ આંબાવાડીઓમાં વાવાઝોડાએ વિનાશ કરતાં કેરીઓ ખરી પડી હતી તે જ પ્રકારના દ્રશ્યો હવે જૂનાગઢ જિલ્લાના વંથલી પંથકમાં પણ જોવા મળી રહ્યા છે. ભારે પવન અને વરસાદના કારણે વંથલી પંથકના આંબાવાડીઓમાં પણ કેરી ભારે પવન અને વરસાદના કારણે ખરી પડી છે. જેની ચિંતા હવે વંથલી પંથકના ખેડૂતોને પણ સતાવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.