ETV Bharat / state

Gujarat Budget 2022: રખડતા ઢોર અને ગાયોની સુરક્ષાને લઈને બજેટની જોગવાઈને લોકોએ આવકારી પરંતુ અમલ અંગે શંકા

author img

By

Published : Mar 4, 2022, 3:59 PM IST

Gujarat Budget 2022: રખડતા ઢોર અને ગાયોની સુરક્ષાને લઈને બજેટમાં કરાયેલી જોગવાઈ લોકોએ આવકારી પરંતુ અમલ અંગે વ્યક્ત કરી શંકા
Gujarat Budget 2022: રખડતા ઢોર અને ગાયોની સુરક્ષાને લઈને બજેટમાં કરાયેલી જોગવાઈ લોકોએ આવકારી પરંતુ અમલ અંગે વ્યક્ત કરી શંકા

રાજ્ય સરકારે અંદાજપત્રમાં ગૌશાળા(Gujarat Budget 2022)અને પાંજરાપોળની જાળવણી માટે 500 કરોડની જોગવાઈ કરી છે.આ યોજનાને જૂનાગઢના લોકોએ આવકારી છે. આ યોજના(Cow nutrition plan)અને રખડતા ઢોર તેમજ ગૌશાળા અને ગૌવંશને પોષણ યુક્ત બનાવવા માટે જે યોજના બનાવી છે તેને લઇને સવાલો કર્યા હતા.

જૂનાગઢઃ રાજ્ય સરકારે વર્ષ 2022 -23 ના સામાન્ય અંદાજપત્રમાં (Gujarat Budget 2022)રખડતા ઢોર અને ગૌશાળા(Cattle roaming the cities)તેમજ ગાય માતાના પોષણને લઈને 500 કરોડ રૂપિયાની યોજના જાહેર કરી(Cow nutrition plan) છે. રાજ્ય સરકારે પ્રથમ વખત તેના સામાન્ય અંદાજપત્રમાં આ પ્રકારની યોજનાની જાહેરાત કરી હોય તેવું જોવા મળે છે. સમગ્ર મામલાને લઈને ETV Bharat તે જૂનાગઢના સામાજિક લોકોને રાજ્ય સરકારની આ યોજના અને રખડતા ઢોર(Cattle roaming the cities)તેમજ ગૌશાળા અને ગૌવંશને પોષણ યુક્ત બનાવવા માટે જે યોજના બનાવી છે તેને લઇને સવાલો કર્યા હતા.

ગૌશાળા અને પાંજરાપોળ જાળવણી

આ યોજનામાં માતબર રકમની ફાળવણી

જૂનાગઢના લોકોએ રાજ્ય સરકારની આ યોજનાને આવકારી છે પરંતુ સાથે સાથે યોજનાના અમલને લઈને અનેક શંકાઓ ઉભી કરી છે 500 કરોડ જેટલી માતબર રકમની ફાળવણી આ યોજના પાછળ(Gaushala and Panjrapol maintenance)આગામી વર્ષમાં થવા જઈ રહી છે પરંતુ વાસ્તવિક રીતે આ યોજનાનો અમલ અને આ યોજનાથી રખડતા ઢોરના ત્રાસ માંથી શહેરીજનોને કેટલી હદે મુશ્કેલીઓનું નિવારણ થશે તેને લઈને અનેક સવાલો ઉભા કર્યા છે.

આ પણ વાંચોઃ Morbi Municipality:મોરબીમાં રખડતા ઢોરના ત્રાસના કારણે પાલિકાએ ગૌશાળા બનાવી

સામાજિક લોકોનો અભિપ્રાય

ચૂંટણીના વર્ષમાં પ્રથમ વખત રખડતા ઢોરના ત્રાસ માંથી મુક્તિ મળે તેમજ ગૌશાળા અને ગૌવંશને પોષણયુક્ત બનાવી શકાય તે માટે ખૂબ મહત્વપૂર્ણ કહી શકાય તેવી 500 કરોડની યોજના બનાવવાનું સરકારે મન બનાવી લીધું છે. વાસ્તવિક દ્રષ્ટિએ આ યોજના અમલમાં આવે તો તમામ શહેરોને રખડતા ઢોરના ત્રાસ માંથી મુક્તિ મળી શકે છે તેમ છે અને સાથે સાથે ગૌવંશને પણ પોષણયુક્ત બનાવવા માટે આ યોજના ખૂબ કારગર નીવડી શકે છે. પરંતુ જૂનાગઢ લોકો એવું માની રહ્યા છે કે ચૂંટણીના વર્ષમાં રાજ્ય સરકાર તેમના મળતિયાઓને સાચવવા માટે આ પ્રકારની યોજના લાવી છે. પરંતુ તેનો અમલ સંપૂર્ણપણે થશે નહીં યોજના પાછળ આયોજન કરેલા 500 કરોડ રૂપિયાનો વ્યય થશે અને શહેરી જનોને રખડતા ઢોરનો જે ત્રાસ છે તે સમસ્યા જેમની તેમ જોવા મળશે એવી શંકાઓ વ્યક્ત કરી છે.
આ પણ વાંચોઃ New law of Gujarat High Court: રાજ્યમાં રખડતા ઢોર અંગે આવશે નવા કાયદા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.