ETV Bharat / state

મતદાન પૂર્ણ થયા બાદ વેરાવળ તાલુકાના ભાજપ પ્રમુખે આપ્યું રાજીનામું

author img

By

Published : Dec 2, 2022, 10:56 PM IST

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી 2022નું (Gujarat Assembly Election 2022) પ્રથમ તબક્કાનું મતદાન પૂરું થયું એને હજુ 24 કલાક પણ નથી થયા ત્યાં વેરાવળ સોમનાથ તાલુકા ભાજપ પ્રમુખ હરદાસભાઇ સોલંકીૉએ તાલુકા ભાજપ પ્રમુખ પદેથી રાજીનામું ધરી દીધું છે. તેમણે પારિવારીક તેમજ વ્યવસાયિક વ્યસ્તતાને કારણે નેતાઓ અને કાર્યકરો વચ્ચે સમય ફાળવી શકવામાં ખૂબ મુશ્કેલી આવે છે. જીનામું આપનાર હરદાસભાઇ સોલંકી પારિવારિક અને વ્યવસાયના કારણોને આગળ ધરી રહ્યા છે પરંતુ રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર જાહેર કરવાથી લઈને ચૂંટણી પ્રચારની જે રણનીતિ છે

મતદાન પૂર્ણ થયા બાદ વેરાવળ તાલુકાના ભાજપ પ્રમુખે આપ્યું રાજીનામું
મતદાન પૂર્ણ થયા બાદ વેરાવળ તાલુકાના ભાજપ પ્રમુખે આપ્યું રાજીનામું

જૂનાગઢ મતદાન (Gujarat Election First Phase Election) પૂરું થયું અને હજુ 24 કલાક પણ નથી થયા. ત્યાં સોમનાથ વેરાવળ તાલુકા ભાજપના પ્રમુખ હરદાસભાઈ સોલંકીએ વેરાવળ (Somnath Veraval Taluka BJP President) તાલુકા ભાજપ પ્રમુખ પદેથી રાજીનામું આપી જિલ્લા પ્રમુખ દિલીપ બારડને લખેલા પત્રમાં પોતાના પરિવાર પ્રત્યેની જવાબદારીના કારણે પક્ષના કામમાં પૂરતો સમય ફાળવી શકવાની અસમર્થતા દર્શાવી છે. પરંતુ ગીરસોમનાથ જિલ્લાની ચાર વિધાનસભા બેઠકોની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ રાજીનામાનું ચોક્કસ કારણ સ્પષ્ટ થઈ શકે છે.

પરિણામો પૂર્વે વેરાવળ તાલુકા ભાજપ પ્રમુખનું રાજીનામું
પરિણામો પૂર્વે વેરાવળ તાલુકા ભાજપ પ્રમુખનું રાજીનામું

પરિણામો પૂર્વે વેરાવળ તાલુકા ભાજપ પ્રમુખનું રાજીનામું ગઈ કાલે સોમનાથ વિધાનસભા બેઠક (Somnath assembly seat) પર મતદાન પૂર્ણ થયા ને હજુ 24 કલાક જેટલો પણ સમય પસાર નથી થયો ત્યાં વેરાવળ સોમનાથ તાલુકા ભાજપ પ્રમુખ (Somnath Veraval Taluka BJP President ) હરદાસભાઇ સોલંકી એ તાલુકા ભાજપ પ્રમુખ પદેથી રાજીનામું ધરી દીધું છે. તેમણે પારિવારીક તેમજ વ્યવસાયિક વ્યસ્તતાને કારણે નેતાઓ અને કાર્યકરો વચ્ચે સમય ફાળવી શકવામાં ખૂબ મુશ્કેલી આવે છે. જેને ધ્યાને રાખીને આજે હરદાસભાઇ સોલંકી એ વેરાવળ સોમનાથ તાલુકા ભાજપના પ્રમુખ પદેથી રાજીનામું ધરી (BJP President resigned from the post ) દીધું છે. ગઈ કાલે મતદાન પૂર્ણ થયું છે મતદાનની ટકાવારીમાં વર્ષ 2017 કરતા પાંચ ટકા કરતાં વધુનો ઘટાડો થયો છે ત્યારે મતગણતરી પૂર્વે તાલુકા ભાજપ પ્રમુખ હરદાસભાઇ સોલંકી નું રાજીનામું આવનારા દિવસોમાં સોમનાથ જિલ્લાના રાજકારણમાં મહત્વનું સાબિત થશે.

તાલુકા પ્રમુખનું રાજીનામું પરિણામો બાદ બનશે મહત્વનું સોમનાથ તાલુકા ભાજપ પ્રમુખ હરદાસભાઇ સોલંકી નું રાજીનામું ચૂંટણી પરિણામો બાદ ગીર સોમનાથ જિલ્લા ભાજપ સંગઠન માટે પણ ચિંતનનો વિષય બનશે મતદાન પૂર્ણ થયાના 24 કલાક પૂર્વે જ તાલુકા ભાજપ પ્રમુખનું રાજીનામું અનેક સવાલો ઉભા કરી રહ્યું છે. રાજીનામું આપનાર હરદાસભાઇ સોલંકી પારિવારિક અને વ્યવસાયના કારણોને આગળ ધરી રહ્યા છે પરંતુ રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર જાહેર કરવાથી લઈને ચૂંટણી પ્રચારની જે રણનીતિ છે તેમાં અસંતોષ જોવા મળ્યો હશે જેને કારણે સ્થાનિક નેતાઓમાં ખટરાગ પણ ચાલ્યો હશે પરંતુ હજુ સુધી ખટરાગ ખુલીને બહાર નથી આવ્યો પરંતુ જ્યારે જિલાના ચૂંટણી પરિણામ જાહેર થશે ત્યાર બાદ નેતાઓના ખટરાગ અને વિરોધ આક્ષેપ પ્રતિ આક્ષેપો ના સ્વરૂપમાં સોશિયલ મીડિયાથી લઈને પક્ષના પ્લેટફોર્મ પરથી પણ બહાર આવતો જોવા મળશે ત્યારે હરદાસભાઇ સોલંકીએ આજે આપેલા રાજીનામા પરથી પડદો ઊંચકાઈ શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.