ETV Bharat / state

મોદીનો કોંગ્રેસને કચડવા રોડ શો મેજિક, નરેન્દ્રએ અમદાવાદના નવા ઉમેદવાર માટે દ્વાર ખોલ્યા

author img

By

Published : Dec 2, 2022, 6:40 PM IST

Updated : Dec 2, 2022, 9:38 PM IST

મોદીનું કોંગ્રેસને કચડવા રોડ શો મેજિક, નરેન્દ્રએ નવા ઉમેદવાર માટે દ્વાર ખોલ્યા
મોદીનું કોંગ્રેસને કચડવા રોડ શો મેજિક, નરેન્દ્રએ નવા ઉમેદવાર માટે દ્વાર ખોલ્યા

પ્રધાનમંત્રી મોદી કાલે જાણે(Narendra Modi Road Show) મેજિક કરી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું હતું. કોંગ્રેસને કચડવા જાણે પ્રધાનમંત્રીએ રોડ શોનું મેજિક કરતા હોય તેવું જોવા મળ્યું. અમદાવાદમાં આ વખતે નવા ઉમેદવાર (ahmedabad assembly seat) માટે દ્વાર ખોલવામાં આવ્યા છે. 10 બેઠકો એવી છે કે જયાં ભાજપે(BJP Party Ahmedabad) નવા ઉમેદવારોને ઉતાર્યા છે.

અમદાવાદ ગઇ કાલે અમદાવાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ(Narendra Modi Road Show) 32 કિમીનો રોડ-શો કરવામાં આવ્યો હતો. આ રોડ - શોમાં તેને અમદાવાદની 13 વિધાનસભા બેઠક આવરી લેતો રોડ-શો(Gujarat Assembly Election 2022) હતો. ત્યારે આ રોડ-શો દરમિયાન અનેક લોકો ઉમટી પડ્યા હતા. મોદીની એક ઝલક જોવા માટે તલપાપડ થતા હોય તેવું પણ નજરે પડ્યું હતું. પ્રધાનમંત્રીએ હાથ હલાવીને લાખો લોકોનું અભિવાદન કર્યું હતું. અમદાવાદની 16 બેઠકો છે ત્યારે 16માંથી 13 બેઠકોને આવરી લેવામાં આવી હતી. તો આ બેઠકોમાંથી 10 બેઠકો એવી છે કે જયાં ભાજપે(BJP Party Ahmedabad) નવા ઉમેદવારોને ઉતાર્યા છે. અમદાવાદનો બાપુનગર વિસ્તારમાં કોંગ્રેસ 3 હજાર મતથી જીતી હતી. અને હવે આ બેઠક પર ભાજપની ખાસ નજર જોવા મળી રહી છે. અને આ બેઠકને આંચકી લેવાના પ્રયાસો પણ કરાઇ રહ્યા છે.

રોડ-શો પૂરો કરતાં સાડા ત્રણ કલાક લાગ્યા ગઇ કાલે પ્રધાનમંત્રીએ 32 કિમીનો રોડ-શો કર્યો હતો અને તેને ખતમ કરતા 3.30 કલાક લાગ્યા હતા. આ રોડ-શો નરોડા ગામથી શરૂ થયો હતો. નરોડાથી શરૂ થયેલો આ રોડ-શો ચાંદખેડામાં આખરે 3.30 કલાક પછી પુરો થયો હતો. ત્યારે અમદાવાદની દરેક બેઠક (ahmedabad assembly seat) પર કાંટેની ટક્કર જોવા મળી રહી છે.

નરોડા બેઠક આ બેઠક પરથી ડો. પાયલ કુકરાણીને ઉતારવામાં આવ્યા છે. 2017નું ભાજપને 60142 મતથી જીત મળી હતી. તો કોંગ્રેસએ મેધરાજ ડોડવાણીને ઉતાર્યા છે.અને આમ આદમી પાર્ટીમાંથી ઓમપ્રકાશ દરોગાપ્રસાદન તિવારીને ઉતાર્યા છે. ભાજપમાંથી આ બેઠક પર યુવા મહિલા ટિકિટ આપવામાં આવી છે. ત્યારે મોદીના આ રોડ-શો બાદ ભાજપની લીડ વધવાના ચાન્સ વધી ગયા છે.

નિકોલ બેઠક આ બેઠક પરથી ભાજપે જગદીશ વિશ્વકર્માને રિપીટ કર્યા છે. જયારે આમ આદમી પાર્ટીમાંથી(Aam Aadmi Party Ahmedabad ) અશોક ગજેરાને ઉતાર્યા છે. કોંગ્રેસએ રણજીતસિંહ બારડને ઉતાર્યા છે.ત્યારે આ બેઠક પરથી ભાજપને 2017માં 24880 મતથી જીત મળી હતી. તમણે જણાવી દઇએ કે પાટીદાર અનામત આંદોલનની સમયે પણ આ બેઠક પરથી જગદીશ વિશ્વકર્માએ બેઠક જાળવી રાખી હતી. મોદીના રોડ- શો ને કારણે ભાજપની જીતનું માર્જિન વધવાની શક્યતાઓ જોવા મળી રહી છે.

બાપુનગર બેઠક આ બેઠક પરથી ભાજપે દિનેશ કુશવાહને ઉતાર્યા છે અને તે નવા ઉમેદવાર છે. કોંગ્રેસએ (Congress Party Ahmedabad)હિમ્મતસિંહ પટેલને ઉતાર્યા છે. તો આમ આદમી પાર્ટીએ રાજેશ દિક્ષીતને ઉતાર્યા છે. 2017માં આ બેઠક પરથી 3067 મતથી કોંગ્રેસની જીત થઇ હતી.

અમરાઈવાડી બેઠક આ બેઠક પરથી ભાજપે ડો. હસમુખ પટેલને ઉતાર્યા છે. આમ આદમી પાર્ટીએ વિનય નંદલાલ ગુપ્તાને ઉતાર્યા છે અને કોંગ્રેસએ ધર્મેન્દ્ર દયાનંદ વિશ્વકર્માને ઉતાર્યા છે. ભાજપે નવા ઉમેદવારને ઉતાર્યા છે. 2017માં ભાજપને 105694 મત મળ્યા હતા. આ બેઠક પર આ વખતે કાંટેની ટકર જોવા મળી રહી છે.

મણિનગર બેઠક આ બેઠક પરથી ભાજપે ડો. અમૂલ ભટ્ટને ઉતારવામાં આવ્યા હતા. અને આ નવા ઉમેદવારને ભાજપે ઉતાર્યા છે. આ વિસ્તારમાં 2017માં ભાજપ જીતી હતી અને 75199 મતથી જીત મળી હતી. ભાજપનો ગઢ ગણાતી આ બેઠક પર ભાજપે જ્ઞાતિથી વિપરીત ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે. આ વખતે ઉલ્લેખનીય છે બ્રાહ્મણને ટિકિટ આપવામાં આવી છે જે આજ સુધી કયારે પણ આપવામાં આવી નથી. મણિનગર બેઠક પરથી આમ આદમી પાર્ટીએ વિપુલ પટેલને ઉતાર્યા છે.કોંગ્રેસએ સી.એમ.રાજપૂતને ઉતાર્યા છે.

દાણીલીમડા બેઠક આ બેઠક પરથી ભાજપે નરેશ વ્યાસને ઉતાર્યા છે અને તે નવા ઉમેદવાર છે. કોંગ્રેસમાંથી શૈલેશ પરમારને અને આમ આદમી પાર્ટીમાંથી કાપડીયા દિનેશને ઉતારવામાં આવ્યા હતા. 2017માં કોંગ્રેસની જીત થઇ હતી અને 32510ના મતથી કોંગ્રેસ જીત મળી હતી. અહિંયા રોડ-શોની કોઇ અસર નહીં થાઇ તેવું લાગી રહ્યું છે.

ઠક્કરબાપાનગર બેઠક આ બેઠક પરથી ભાજપે નવા ઉમેદવાર કંચન રાદડિયા ઉતાર્યા છે. આ બઠેક પરથી કોંગ્રેસએ વિજયકુમાર બારોટને ઉતાર્યા છે અને આમ આદમી પાર્ટીએ સંજય મોરીને ઉતાર્યા છે. 2017માં ભાજપને જીત મળી હતી. 34088 મતથી ભાજપએ જીત મળી હતી. રોડ-શોની કોઇ અસર પડશે નહિં આ વિસ્તારમાં એવું જોવા મળી રહ્યું છે.

જમાલપુર ખાડિયા બેઠક ભાજપે ભૂષણ ભટ્ટને રિપીટ કર્યા છે.આ બેઠક પરથી 2017માં કોંગ્રેસની જીત થઇ હતી. 29339 કોંગ્રેસને મત મળ્યો હતો. આમ આદમી પાર્ટીએ હારૂન એફ.નાગોરીને ઉભા રાખવામાં આવ્યા છે. ઇમરાન ખેડાવાલાને ઉભા રાખવામાં આવ્યા છે. આ બેઠક 2017માં કોંગ્રેસએ જીત મેળવી હતી અને 29339 મતથી જીત મેળવી હતી. આ બેઠક પર આંતરીક વિવાદ જોવા મળી રહ્યો છે.

એલિસબ્રિજ બેઠક આ વખતે ભાજપે અમિત શાહને ઉતાર્યા છે અને તે નવા ઉમેદવાર છે. કોંગ્રેસએ ભીખુ દવેને ઉતાર્યા છે. આમ આદમી પાર્ટીએ પારસ શાહને ઉતાર્યા છે. આ બેઠક પર ભાજપનો ગઢ જોવા મળે છે. મોદીના રોડ શો ના કારણે ભાજપના ઉમેદવારની લીડ વધી શકે છે.

વેજલપુર બેઠક આ બેઠક પરથી ભાજપે નવા ઉમેદવાર અમિત ઠાકર ઉતાર્યા છે. તો આમ આદમી પાર્ટીએ કલ્પેશ પટેલને ઉતાર્યા છે. કોંગ્રેસમાંથી રાજુ મકરબાને ઉતારવામાં આવ્યા છે. 2017માં ભાજપના ઉમેદવારે 22 હજારના 22567 મતથી જીત મેળવી હતી. રોડ-શોથી ભાજપને ફાયદો થઇ શકે છે.

નારણપુરા બેઠક આ બેઠક પરથી ભાજપે જિતેન્દ્ર પટેલને ઉતાર્યા છે અને તે નવા ઉમેદવાર છે. આમ આદમી પાર્ટીમાંથી પંકજ પટેલને ઉતાર્યા છે તો કોંગ્રેસએ સોનમ પટેલને ઉતાર્યા છે. આ બેઠક પર ત્રણેય પાટીદારો હોવાના કારણે કાંટેની ટક્કર જોવા મળશે. કૌશિક પટેલની તબિયત સારીના હોવાના કારણે નવા ચહેરાને મોકો આપવામાં આવ્યો છે. રોડ-શોના કારણે મતદાન અને મતમાં વધારો થઇ શકે છે જેના કારણે આ રોડ-શો કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ઘાટલોડિયા બેઠક આ બેઠક પર ભૂપેન્દ્ર પટેલને ઉતારવામાં આવ્યા છે અને તેમને રિપીટ કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટી માંથી વિજય પટેલને ઉતારવામાં આવ્યા છે. અને કોંગ્રેસમાંથી ડો.અમી યાજ્ઞિકને ઉતારવામાં આવ્યા છે. 2017માં ભાજપનો વિજય થયો હતો. તે સમયે117750 મતથી ભાજપનો વિજય થયો હતો. મહત્વની વાત એ છે કે આ બેઠક પરથી બે ઉમેદવાર મુખ્યમંત્રી છે અને સૌથી વઘુ લીડ ગુજરાતમાંથી આ સીટ પર મળી આવે છે. ભાજપનો પ્રયાસ એવો છે કે આ વખતે તેને 2012 અને 2017 કરતાં પણ વધુ લીડથી ભૂપેન્દ્ર પટેલને જીતાડવામાં આવે.

સાબરમતી બેઠક આ બેઠક પરથી ભાજપે નવા ચહેરાને ઉતાર્યા છે જેમાં ડો. હર્ષદ પટેલ છે. આમ આદમી પાર્ટીએ જસવંતસિંહ ઠાકોરને અને કોંગ્રેસએ દિનેશ સિંહને ઉતાર્યા છે.તમને જણાવી દઇએ કે ભાજપ આ સીટ પર સૌથી વધારે સેફ છે. પરંતુ ભાજપ અંહિયા લીડ વધારવાનો પ્રયાસ કરી રહી છે.

અસરવા બેઠક આ બેઠક પરથી ભાજપએ દર્શના વાધેલાને ઉતાર્યા છે. તો આમ આદમી પાર્ટીએ મેવાડા જંયતિ ને ઉતાર્યા છે. તો કોંગ્રેસએ વિપુલ પટેલને ઉતાર્યા છે. 2017માં આ બેઠક પરથી ભાજપની જીત થઇ હતી અને 65.12 મતથી વિજય થયો હતો.

દરિયાપુર બેઠક આ બેઠક પરથી ભાજપે કૌશિક જૈનને ઉતાર્યા છે. આમ આદમી પાર્ટીએ તાજમોહમ્મદદ કુરેશીને ઉતાર્યા છે અને કોંગ્રેસમાંથી ગ્યાસુદીન શેખને ઉતાર્યા છે. 2017માં આ બેઠક પરથી કોંગ્રેસ વિજેતા થયા હતા અને આ વખતે પણ એજ ઉમેદવારને રિપીટ કરવામાં આવ્યા છે.

વટવા બેઠક આ બેઠક પરથી ભાજપે બાબુસિંહ ગઢવીને ઉતાર્યા છે. તો કોંગ્રેસએ બળવંતસિંહને ઉતાર્યા છે. તો આમ આદમી પાર્ટીએ બિપીન પટેલને ઉતાર્યા છે. 2017માં આ બેઠક પરથી ભાજપ વિજેતા થયું હતું. આ વખતે આ બેઠક પર ખરાખરીનો ખેલ જોવા મળી રહ્યો છે. કેમકે કોંગ્રેસ અને ભાજપ બને ઉમેદવાર સરખી જ્ઞાતીથી આવે છે.

Last Updated :Dec 2, 2022, 9:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.